Home> India
Advertisement
Prev
Next

Meerut murder case updates: સૌરભ હત્યાકાંડથી દહેશતમાં બાગેશ્વર સરકાર! કહ્યું- સારું થયું કે મારા લગ્ન....

Baba Bageshwar on Meerut Murder Case: મેરઠમાં થયેલા સૌરભ હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. લવ મેરેજ કરનારા મુસ્કાન અને સૌરભની પ્રેમ કહાનીનો આટલો ભયાનક અંત જોઈ લોકો બે ઘડી વિશ્વાસ જ નથી કરી શકતા કે પ્રેમ લગ્ન કરનારા કપલ સાથે પણ આવું થઈ શકે. આ ઘટના પર હવે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે. 

Meerut murder case updates: સૌરભ હત્યાકાંડથી દહેશતમાં બાગેશ્વર સરકાર! કહ્યું- સારું થયું કે મારા લગ્ન....

Meerut Murder Case: ઉત્તર પ્રદેશના મેરઠના અત્યંત ચર્ચિત સૌરભ હત્યાકાંડ અંગે સમગ્ર દેશમાં આક્રોશ છે. આ જઘન્ય અપરાધ પર પ્રતિક્રિયા આપતા બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેને અત્યંત નીંદનીય ગણાવ્યો. તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ સમાજમાં નૈતિક પતનને દર્શાવે છે અને તેનાથી બચવા માટે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો તરફ પાછા વળવું ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે સારું છે મારા હજુ સુધી લગ્ન નથી થયા નહીં તો ન જાણે શું થાત. 

fallbacks

ધીરેન્દ્ર શાસ્ત્રી કહ્યું કે, આવા અપરાધ એ દર્શાવે છે કે આપણે આપણી મૂળ ઓળખ ભૂલતા જઈએ છીએ. સમાજમાં વધતા અપરાધોનું કારણ એ છે કે લોકો રામાયણ, ભાગવત ગીતા અને સનાતન સંસ્કૃતિથી દૂર થઈ રહ્યા છે ને પશ્ચિમી દેખાડા તરફ વધુ વળી રહ્યા છે. તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે બાળકોમાં નૈતિકતાનો સંચાર ત્યારે થશે જ્યારે માતા પિતા તેમને ધાર્મિક ગ્રંથો સાથે જોડશે. તેમણે માતા પિતાને પણ અપીલ કરી કે તેઓ પોતાના બાળકોને રામચરિત માનસ અને ગીતાનો અભ્યાસ કરાવે જેથી કરીને તેઓ સાચા અને ખોટામાં ભેદ કરી શકે અને ભારતીય મૂલ્યોને સમજી શકે. 

ભારતમાં હવે વાદળી ડ્રમ ખુબ ફેમસ થયું
ધીરેન્દ્ર શાસ્ત્રી કટાક્ષ કરતા કહ્યું કે, આજકાલ ભારતમાં વાદળી  ડ્રમ ખુબ ફેમસ થયું છે. રોજ કોઈને કોઈ અપરાધ સામે આવે છે, જે સમાજના નૈતિક પતન તરફ ઈશારો કરે છે. ભગવાનની કૃપાથી અમારા લગ્ન નથી થયા, નહીં તો ન જાણે શું થાત. 

તેમની આ ટિપ્પણીને સોશિયલ મીડિયા પર ખુબ પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાક લોકો તેને એક ગંભીર સંદેશ તરીકે જોઈ રહ્યા છે તો કેટલાક લોકો હળવા કટાક્ષ તરીકે ગણી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહેવું છે કે જો સમાજમાં આ પ્રકારની અમાનવીય ઘટનાઓથી બચવું હોય તો દરેક વ્યક્તિએ પોતાના બાળકોમાં સારા સંસ્કારોને સિંચવા પડશે. 

શું છે આ બ્લ્યુ ડ્રમ મર્ડર કેસ
મેરઠમાં સૌરભ રાજપૂતની અત્યંત નિર્દયતાપૂર્વક ઘાતકી રીતે હત્યા કરાઈ હતી. સૌરભની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડાં કરીને તેને એક વાદળી ડ્રમમાં ભરી ઉપર સિમેન્ટ અને રેતીથી સીલ કરી દેવાયું હતું. પોલીસે તપાસ કરી તો મામલો સામે આવ્યો. આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More