Anand News : ગઈકાલે આણંદમાં ચાલુ કથાએ ગુજરાતના જાણીતા જીગ્નેશ દાદાની અચાનક તબિયત લથડી હતી. જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સ્વાસ્થય સુધારા પર આવી જતા તેમને રજા આપી દેવાઈ હતી. ત્યારે તેમણે હોસ્પિટલથી બહાર આવીને ભક્તો માટે સંદેશ આપ્યો છે.
ગઈકાલે સાંજે આણંદમાં લાંભવેલ રોડ પર કથાકાર જીગ્નેશ દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું ચાલુ કથા દરમિયાન જીગ્નેશ દાદાની તબિયત લથડી હતી. તેથી જીગ્નેશ દાદાને કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવાયા હતા.
ગુજરાતના આ 3 શહેરોમાં રૂપિયા વગર મળી જશે દારૂની પરમિટ, સરકારે ખુદ કર્યો ખુલાસો
તેમણે ચાલુ કથામાં લોકોને કહ્યું હતું કે, મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોય જવું પડશે. વ્યાસપીઠ પરથી ઈશારો કરીને તેઓએ તાત્કાલિક ગાડી મંગાવી હતી. કથામાં જીગ્નેશ દાદાને પરસેવો વળી જતા કથા મોકૂફ રાખી હોસ્પિટલમાં પહોંચ્યા હતી.
કથાકાર જીગ્નેશ દાદાનો ભક્તોને સંદેશ, ચિંતા ન કરો, સ્વાસ્થય સારું છે
#Jigneshdada #healthupdate #health #ZEE24Kalak #Gujarat pic.twitter.com/vbNfns6dda— Zee 24 Kalak (@Zee24Kalak) March 27, 2025
જોકે, મોડી રાતે ખબર આવી હતી કે, જીગ્નેશ દાદાની તબિયત નોર્મલ છે. તેમણે હોસ્પિટલથી બહાર આવીને ભક્તોને સંદેશ આપ્યો હતો કે, આપ ચિંતા ન કરશો. બધાને રાધે રાધે. સ્વાસ્થય સારું છે અને આજે કથામાં મળીશું. રાધે રાધે.
તો જીગ્નેશ દાદા તરફથી ખબર આવી હતી કે, આજે બપોરે 04:30 કલાકે કથા રાબેતા મુજબ ચાલશે.
સ્ટેમ્પ ડ્યૂટી ભરનારાઓ માટે આવ્યો નવો નિયમ, સરકારે વધારી દીધી દંડની રકમ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે