Home> India
Advertisement
Prev
Next

હવે જાણી લો તે ચહેરા, જે યોગી 2.0 માં નહી બને ફરીથી મંત્રી!

આજે ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદના શપથ લેશે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યોગી સરકારના પહેલાં કાર્યકાળમાં મંત્રી રહેલા શ્રીકાંત શર્મા અને સિદ્ધાર્થ નાથ સિંહ સહિત ઘણા મોટા ચહેરાઓ મંત્રીમંડળમાં જગ્યા નહી મળે. 

હવે જાણી લો તે ચહેરા, જે યોગી 2.0 માં નહી બને ફરીથી મંત્રી!

લખનઉ: આજે ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદના શપથ લેશે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યોગી સરકારના પહેલાં કાર્યકાળમાં મંત્રી રહેલા શ્રીકાંત શર્મા અને સિદ્ધાર્થ નાથ સિંહ સહિત ઘણા મોટા ચહેરાઓ મંત્રીમંડળમાં જગ્યા નહી મળે. 

fallbacks

ઘણા મોટા ચહેરાને નહી મળે મંત્રીમંડળમાં સ્થાન 
સૂત્રોના જણાવ્યા અનુસાર યૂપી સરકારના બીજા કાર્યકાળમાં ઘણા મોટા ચહેરા મંત્રીમંડળમાંથી ગાયબ થઇ શકે છે. તેમાં જળ શક્તિ મંત્રી ડોક્ટર મહેન્દ્ર સિંહ, ઔદ્યોગિક વિકાસમંત્રી રહેલા સતીશ મહાના, ઉર્જા મંત્રી રહેલા શ્રીકાંત શર્મા, સિદ્ધાર્થ નાથ સિંહ, જય પ્રતાપ સિંહ સહિત ઘણા બધા નામ છે, જે મુખ્યમંત્રી આવાસ પર જોવા મળ્યા નહી. 

દાનિશ આઝાદને મળી શકે છે મોટી જવાબદારી
આ સાથે જ ભાજપ અલ્પસંખ્યક મોરચાના મહામંત્રી છે દાનિશ આઝાદને મોહસિન રજાની જગ્યા મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દાનિશને તેના માટે સંપર્ક કરવામાં આવ્યો. તે અત્યારે મુખ્યમંત્રી આવાસમાં હાજર છે. 

યોગી આદિત્યનાથ આજે લેશે CM પદના શપથ, જાણો કોણ-કોણ બની શકે છે મંત્રી

બૃજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય બનશે ડેપ્યુટી સીએમ
સૂત્રોના અનુસાર યૂપીમાં બે ડેપ્યુટી સીએમ હશે. બૃજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્યને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે કેશવ પ્રસાદ મૌર્ય યોગી સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ ડેપ્યુટી સીએમ રહ્યા. તો બીજી તરફ આ યાદીમાં દિનેશ શર્માની જગ્યાએ બ્રજેશ પાઠકને મળી શકે છે. 

જિતિન પ્રસાદને પણ આવ્યો ફોન
યોગી સરકાર 2.0 ના મંત્રીમંડળમાં પૂર્વ મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરી હોઇ શકે છે. શપથ ગ્રહણ માટે તેમને રાજભવનથી આમંત્રણ આવ્યું છે. જિતિન પ્રસાદ અને પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર ચૌધરીને પણ ફોન આવ્યો છે. ગિરીશ યાદવ અને સતીશ શર્મા પણ સીએમ આવાસ પહોંચી ગયા છે. 

તમે પણ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છે? આ વાતોને ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ

જિતિન પ્રસાદને પણ આવ્યો ફોન
યોગી સરકાર 2.0 ના મંત્રીમંડળમાં પૂર્વ મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરીને બનાવી શકાય છે. શપથ ગ્રહણ માટે તેમને રાજભવનથી નિમંત્રણ આવ્યું છે. જિતિન પ્રસાદ અને પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર ચૌધરીને પણ ફોન આવ્યો છે. ગિરિશ યાદવ અને સતીશ શર્મા પણ સીએમ આવાસ પહોંચી ગયા છે. આ સાથે જ નિતિન અગ્રવાલ, સંદીપ સિંહ અને આશીષ પટેલ સીએમ આવાસ પર પહોંચ્યા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી બીએલ વર્મા સીએમ આવાસ પર હાજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More