Home> India
Advertisement
Prev
Next

વેંકૈયા નાયડૂ બાદ ટ્વિટરે હવે RSS ના મોટા નેતાઓના એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick

ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ હટાવ્યા બાદ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠનના ઘણા મોટા નેતાઓના એકાઉન્ટ પરથી પણ બ્લૂ ટિક હટાવી દીધું છે.

વેંકૈયા નાયડૂ બાદ ટ્વિટરે હવે RSS ના મોટા નેતાઓના એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick

નવી દિલ્હી: ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ હટાવ્યા બાદ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠનના ઘણા મોટા નેતાઓના એકાઉન્ટ પરથી પણ બ્લૂ ટિક હટાવી દીધું છે. તેનાથી ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે તણાવ વધી શકે છે. 

fallbacks

તમને જણાવી દઇએ કે ટ્વિટર એકાઉન્ટ વેરિફાઇ કરાવવા માટે એકાઉન્ટ એક્ટિવ, વાસ્તવિક અને સમાજ માટે કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિનું હોવું જોઇએ. ટ્વિટર અત્યારે 6 પ્રકારના એકાઉન્ટ છે. તેમાં સરકારી કંપનીઓ, બ્રાન્ડ્સ, એનજીઓ, ન્યૂઝ ચેનલો, પત્રકારો, મનોરંજન અને રમતગમત સાથે સંકળાયેલા લોકો, એક્ટિવિસ્ટ, ઓર્ગેનાઇઝર્સ અને બીજા મહત્વપૂર્ણ લોકોના એકાઉન્ટ સામેલ છે. 

Twitter એ ઉપરાષ્ટ્રપતિ Venkaiah Naidu ના પર્સનલ એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick, વધી શકે છે વિવાદ

ટ્વિટરના અનુસાર કોઇ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ કોઇપણ નોટિસ આપ્યા વિના હટાવી શકાય છે. જો કોઇ એકાઉન્ટના યૂઝરનેમ બદલી શકાય છે અથવા એકાઉન્ટ ઇનએક્ટિવ થઇ જાય છે અથવા પછી કોઇ વ્યક્તિ પોતાના પદ પર રહેતો નથી, તેના માટે તેનું એકાઉન્ટ વેરિફાઇ કરવામાં આવે છે તો બ્લૂ ટિક બેજ હટાવી શકાય છે. 

આ ઉપરાંત ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ ત્યારે પણ હટાવી શકાય છે જ્યારે કોઇ વારંવાર ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમાં હિંસા માટે ઉશ્કેરવા, ગાળો ભાંડવી, હિંસાને ગ્લોરિફાઇ કરવી, ફેક ન્યૂઝ ફેલાવવા અને સંપ્રભુતાને નુકસાન પહોંચાડવું વગેરે સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More