UPS Pension System: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આજથી એક નવી પેન્શન સ્કીમ લાગૂ થઈ છે. આ સ્કીમ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS). આ નવી પેન્શન સ્કીમ એ તમામ કેન્દ્રીય કર્મચારીઓ કે જેઓ ઓછામાં ઓછા 25 વર્ષથી પોતાની સેવા આપી રહ્યા છે, 1 એપ્રિલથી UPS માં ટ્રાન્સફર થઈ શકે છે. UPS હેઠળ રિટાયરમેન્ટ અગાઉ છેલ્લા 12 મહિનાના પોતાના સરેરાશ મૂળ પગારના 50 ટકા પેન્શન તરીકે મળવા પાત્ર રહેશે. સરકારની આ નવી પેન્શન યોજનામાં લગભગ 23 લાખ સરકારી કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ ફાઈનાન્શિયલ સિક્યુરિટી મળવાની છે.
કોના માટે બની છે આ UPS સ્કીમ?
UPS પેન્શન સ્કીમ ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે જેમને બજાર આધારિત પેન્શનની જગ્યાએ એક સ્થિર અને નિર્ધારિત આવક ગમે છે. નવી યોજના હેઠળ જે કર્મચારીઓએ 10 વર્ષથી વધુ પરંતુ 25 વર્ષથી ઓછો સમય સેવા કરી છે તેમને માસિક ન્યૂનતમ 10,000 રૂપિયા પેન્શન મળશે. સ્કીમ માટે એનરોલમેન્ટ અને ક્લેમ ફોર્મ 1 એપ્રિલ 2025થી ઓફિશિયલ વેબસાઈટ પર હાજર છે.
શું છે UPS નું હાઈબ્રિડ મોડલ
પેન્શનર્સની મૃત્યુની સ્થિતિમાં તેમના પરિવારને કૌટુંબિક પેન્શન તરીકે અંતિમ પેન્શનના 60 ટકા મળશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે વર્તમાનમાં NPS હેઠળ છે તેઓ UPS પર સ્વિચ કરી શકે છે. આ યોજનાને હાઈબ્રિડ મોડલ તરીકે ડિઝાઈન કરાઈ છે. જેમાં ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) બંનેની વિશેષતાઓ સામેલ છે.
Attention NPS subscribers!
The option to migrate to the Unified Pension Scheme (UPS) is now LIVE!
"NPS subscribers can now migrate to the UPS! Simply visit [https://t.co/PkoNmOGuih] and select UPS under NPS to make the switch."#NPS #UPS@FinMinIndia @PFRDAOfficial
— DFS (@DFS_India) April 1, 2025
કેમ જરૂર પડી UPS સ્કીમની?
NPS કોઈ નિશ્ચિત ચૂકવણી નહીં પરંતુ બજાર આધારિત રિટર્ન આપે છે અને એનપીએસથી અલગ નવી યોજના UPS એક ચોક્કસ પેન્શન રકમ સુનિશ્ચિત કરે છે. ઓપીએસને 2004માં એનપીએસ સાથે બદલવામાં આવી હતી. OPS સમયાંતરે મોંઘવારી ભથ્થામાં સુધારા સાથે સંપૂર્ણ સરકારી સમર્થિત પેન્શન આપતું હતું. યુપીએસની શરૂઆત એનપીએસની અનિશ્ચિતતાઓ વિશે સરકારી કર્મચારીઓમાં વધતી ચિંતાઓને જોતા થઈ છે. અનેક સરકારી કર્મચારીઓએ રિટાયરમેન્ટ બાદ નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વધુ પૂર્વાનુમાનિત પેન્શન સ્કીમની માંગણી કરી. સરકારનું લક્ષ્ય આ નવી યોજનાના માધ્યમથી કર્મચારી સુરક્ષાને પોતાની નાણાકીય જવાબદારીઓ સાથે સંતુલિત કરવાનું છે.
આ પગલું રાજ્ય સરકારોને સમાન પેન્શન મોડલ શોધવા માટે પણ પ્રભાવિત કરી શકે છે. 25 વર્ષથી વધુ સેવા કરનારાઓને 50 ટકા ગેરંટેડ પેન્શનથી સૌથી વધુ લાભ થશે. રિટાયરમેન્ટ બાદ સ્થિર આવક ઈચ્છતા કર્મચારીઓને યુપીએસ વધુ સારી લાગી શકે છે. જ્યારે બજારમાં ઉતાર ચડાવથી સહજ રહેતા કર્મચારીઓ સંભવિત રીતે ઉચ્ચ રિટર્ન માટે એનપીએસને પ્રાથમિકતા આપી શકે છે.
PFRDA એ કર્મચારીઓને 3 કેટેગરીમાં વહેંચ્યા છે
ગત સપ્તાહ પેન્શન એન્ડ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA) એ એનપીએસ વિનિમય 2025 હેઠળ યુપીએસના સંચાલનને અધિકૃત રીતે અધિસૂચિત કર્યા.
આ નિયમો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ કેટેગરીમાં વહેંચે છે...
- પહેલી કેટેગરીમાં 1 એપ્રિલ 2025 સુધી સેવામાં કાર્યરત હાલના કેન્દ્ર સરકારના કર્મચારીઓ સામેલ છે જે એનપીએસ હેઠળ આવે છે.
- બીજી કેટેગરીમાં કેન્દ્ર સરકારની સેવાઓમાં નવા ભરતી થયેલા લોકો સામેલ છે, જે 1 એપ્રિલ 2025 કે ત્યારબાદ સેવામાં સામેલ થાય છે.
- ત્રીજી કેટેગરીમાં કેન્દ્ર સરકારના એવા કર્મચારીઓ સામેલ છે જે એનપીએસ હેઠળ આવતા હતા અને જે 31 માર્ચ 2025 કે તે પહેલા રિટાયર થઈ ચૂક્યા છે. (સ્વૈચ્છિક રીતે રિટાયર કે મૌલિક નિયમ 56 (જે) હેઠળ રિટાયર) અને યુપીએસ માટે પાત્ર છે કે કાનૂની રીતે વિવાહિત જીવનસાથી, જે રિટાયર થઈ ચૂક્યા છે કે યુપીએસ માટે વિકલ્પનો પ્રયોગ કરતા પહેલા જેમનું અવસાન થઈ ચૂક્યું છે.
- કેન્દ્ર સરકારના કર્મચારીઓની આ તમામ કેટેગરીઓ માટે એનરોલમેન્ટ અને ક્લે ફોર્મ 1 એપ્રિલ 2025થી વેબસાઈટ https://npscra.nsdl.co.in પર ઓનલાઈન ઉપલબ્ધ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે