નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 1 એપ્રિલથી યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગૂ થવાની છે. કેન્દ્રીય કર્મચારીઓએ NPS અને UPS માંથી એકની પસંદગી કરવી પડશે. UPS એ પેન્શન માટે એક નવી સ્કીમ છે. જેમાં નિવૃત્તિ બાદ પેન્શન મળશે. જ્યારે એનપીએસમાં પેન્શનની રકમ બજારના પ્રદર્શન પર નિર્ભર કરે છે. UPS માં મિનિમમ 10,000 રૂપિયાના માસિક પેન્શનની ગેરંટી આપવામાં આવી છે.
1 એપ્રિલ 2025થી થશે લાગૂ
UPS એટલે કે યુનિફાઇડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી લાગૂ થશે. જો કોઈ કર્મચારી NPS છોડી UPS પસંદ કરે છે તો તે બીજીવાર NPSમાં જઈ શકશે નહીં. આ સ્કીમનો ફાયદો તે કર્મચારીઓને મળશે જે કેન્દ્ર સરકાર હેઠળ NPS માં સામેલ છે.
કઈ રીતે થશે પેન્શનની ગણતરી?
UPS હેઠળ પેન્શનની ગણતરી નીચે જણાવેલી ફોર્મ્યુલા હેઠળ કરવામાં આવશે.
પેન્શન = 50% (છેલ્લા 12 મહિનાની બેસિક સેલેરીનો ટોટલ / 12
જો સર્વિસ 25 વર્ષથી ઉપર છે તો સંપૂર્ણ પેન્શન મળશે.
જો સર્વિસ 25 વર્ષથી ઓછી છે તો પેન્શન તે પ્રમાણે મળશે.
આ પણ વાંચોઃ 8th Pay Commission માં પગાર વધી જશે પરંતુ ઘટી જશે ભથ્થા? સામે આવી મોટી જાણકારી
ઉદાહરણથી સમજો
ઉદાહરણ 1: સંપૂર્ણ પેન્શન (25+ વર્ષની સર્વિસ)
જો કોઈ કર્મચારીની એવરેજ બેસિક સેલેરી 1,00,000 રૂપિયા છે તો પેન્શન હશે.
50% 1,00,000 = 50,000 રૂપિયા મહિને.
ઉદાહરણ 2: ઓછો સર્વિસ પીરિયડ (25 વર્ષથી ઓછો)
જો કોઈ કર્મચારીની સર્વિસ 20 વર્ષ છે અને તેની બેસિક સેલેરી 1,00,000 રૂપિયા છે તો
50% 1,00,000 x (20/25) = 40000 રૂપિયા પેન્શન મળશે.
ઉદાહરણ 3: મિનિમમ ગેરેન્ટેડ પેન્શન
જો કોઈનો બેસિક પગાર 15000 રૂપિયા છે તો આ ફોર્મ્યુલાથી પેન્શન 7500 રૂપિયા થાય છે. પરંતુ ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાના પેન્શનની ગેરંટી છે, એટલે તેને મહિને 10 હજાર રૂપિયા મળશે. યુનાઇટેડ પેન્શન સ્કીમથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને સ્થિર અને ગેરેન્ટેડ પેન્શનનો ફાયદો મળશે. ખાસ કરીને તે કર્મચારીઓને ફાયદો થશે જે બજારના જોખમોથી બચવા ઈચ્છે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે