Home> India
Advertisement
Prev
Next

જનરલ વીકે સિંહ બન્યા મિઝોરમના ગવર્નર, કેરલ અને બિહારના રાજ્યપાલોની અદલાબદલી

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી રાજ્યપાલોની નિમણૂકના આદેશ જારી કરવામાં આવ્યા છે.
 

જનરલ વીકે સિંહ બન્યા મિઝોરમના ગવર્નર, કેરલ અને બિહારના રાજ્યપાલોની અદલાબદલી

Governor Posting order: દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂંક કરી છે. આ સિલસિલામાં પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવને જાહેર કરેલા આદેશ પ્રમાણે મિઝોરમના રાજ્યપાલ ડો. હરિ બાબૂ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ બનાવ્યા છે. તો સેવાનિવૃત્ત જનરલ વીકે સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 

fallbacks

બિહાર અને કેરલના રાજ્યપાલની અદલાબદલી
રાષ્ટ્રપતિએ ઓડિશાના રાજ્યપાલના રૂપમાં કાર્યરત રઘુબર દાસનું રાજીનામું સ્વીકાર કરતા નવા રાજ્યપાલોની નિમણૂંકને મંજૂરી આપી છે. બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરની કેરલના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તો કેરલના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે આ નિમણૂકોનો ચાર્જ સંભાળવાની તારીખ સંબંધિત રાજ્યપાલો પદ સંભાળ્યા પછી લાગુ થશે.

નવી નિમણૂંકોનો પરિચય
તમને જણાવી દઈએ કે દુનિયા રિટાયર્ડ જનરલ વીકે સિંહને જાણે છે. જેમને સેવન સિસ્ટર્સમાં એક મહત્વપૂર્ણ રાજ્ય મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ભૂતપૂર્વ IAS અધિકારી અને ભૂતપૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, જેમની ગણતરી બાહોસ અધિકારીઓમાં થાય છે, તેઓને તેમના વહીવટી અનુભવને ધ્યાનમાં રાખીને મણિપુર જેવા સંવેદનશીલ રાજ્યમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More