Home> India
Advertisement
Prev
Next

કયા દેશની જેલમાં બંધ છે સૌથી વધુ ભારતીયો? યાદીમાં ચીનનું નામ પણ સામેલ

Indian Prison: વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતીય મિશન અને પોસ્ટ્સ વિદેશી જેલોમાં બંધ નાગરિકોને કાનૂની સહાય સહિત તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે સંબંધિત ભારતીય દૂતાવાસ તરફથી સહાય મેળવતા ભારતીય કેદીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી.
 

કયા દેશની જેલમાં બંધ છે સૌથી વધુ ભારતીયો? યાદીમાં ચીનનું નામ પણ સામેલ

Indian Prison: દુનિયામાં સૌથી વધુ ભારતીયો આ દેશની જેલમાં કેદ છે. આ યાદીમાં ચીન સહિત અન્ય ઘણા દેશોના નામ પણ સામેલ છે. વિદેશ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિ સમક્ષ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતની બહાર જેલમાં બંધ ભારતીયોની સંખ્યાની વિગતો આપવામાં આવી છે. તાજેતરનો કિસ્સો ટેક મહિન્દ્રાના અધિકારી અમિત ગુપ્તાનો છે. તેને કતરમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

fallbacks

સૌથી વધુ ભારતીયો કયા દેશમાં કેદ છે?

ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ વિદેશ મંત્રાલયે કહ્યું છે કે 86 દેશોની જેલોમાં 10 હજાર 152 ભારતીયો બંધ છે. આવા ભારતીયોની સૌથી વધુ સંખ્યા સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાતમાં છે. આ બંને વિસ્તારોમાં ભારતીય કેદીઓની સંખ્યા 2 હજારથી વધુ છે. આ સિવાય બહેરીન, કુવૈત અને કતરમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો જેલમાં બંધ છે.

આ સિવાય નેપાળમાં 1317 ભારતીયો જેલમાં સજા કાપી રહ્યા છે. જ્યારે મલેશિયામાં તેમની સંખ્યા 338 અને ચીનમાં 173 છે. ચીન, કુવૈત, નેપાળ, કતર, સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત એવા 12 દેશોમાં સામેલ છે જ્યાં 100થી વધુ ભારતીયો કેદ છે. તેમાંથી 9 દેશો એવા છે કે જેઓ ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ્ડ પર્સન્સ એગ્રીમેન્ટમાં સામેલ છે. આ હેઠળ દોષિત ઠરેલા વ્યક્તિને તેની સજા પૂરી કરવા માટે તેના દેશમાં મોકલવાની છૂટ છે.

કેટલા પાછા આવ્યા?

રિપોર્ટ મુજબ, આ કરાર પછી પણ, છેલ્લા ત્રણ વર્ષમાં, 8 ભારતીય કેદીઓને દેશમાં પાછા લાવવામાં આવ્યા છે અને ભારતીય જેલોમાં રાખવામાં આવ્યા છે. આમાંથી 3 ઈરાનના, 3 બ્રિટનના, 2 કંબોડિયાના અને 2 રશિયાના છે. મંત્રાલયનું કહેવું છે કે ભારતીય મિશન નિયમિતપણે વિદેશી જેલમાંથી ભારતીય નાગરિકોને મુક્ત કરવા અથવા પ્રત્યાર્પણ કરવા માટે કામ કરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતીય મિશન અને પોસ્ટ્સ વિદેશી જેલોમાં બંધ નાગરિકોને કાનૂની સહાય સહિત તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે, 'સંબંધિત ભારતીય દૂતાવાસ તરફથી સહાય મેળવતા ભારતીય કેદીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. વિદેશ મંત્રાલયે એ પણ માહિતી આપી છે કે TSP કરાર હેઠળ, કેદી, યજમાન દેશ અને ટ્રાન્સફર કરનાર દેશની સંમતિ જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More