Home> Jobs
Advertisement
Prev
Next

IPL શરૂ થતાં પહેલા મુકેશ અંબાણીનો મોટો નિર્ણય, 1100 લોકોની થશે છટણી

આઈપીએલ શરૂ થતા પહેલા મુકેશ અંબાણીની કંપની જિયોસ્ટારે છટણીની શરૂઆત કરી છે. કંપનીએ 1100 કર્મચારીઓની છટણી કરવાનો પ્લાન બનાવ્યો છે. આવો તમને જણાવીએ આખરે મુકેશ અંબાણીનો કેવા પ્રકારનો પ્લાન છે.

IPL શરૂ થતાં પહેલા મુકેશ અંબાણીનો મોટો નિર્ણય, 1100 લોકોની થશે છટણી

નવી દિલ્હીઃ ફેસબુક, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઓલા બાદ હવે જિયોસ્ટાર પણ છટણીની તૈયારીમાં છે. જિયોસ્ટાર 1100થી વધુ કર્મચારીઓની છટણી કરશે. આ ઝટકો ત્યારે લાગ્યો જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના વાયકોમ 18 અને વોલ્ટ ડિઝ્ની કંપનીના ઈન્ડિયન યુનિટ વચ્ચે નવા જોઈન્ટ વેન્ચરના મર્જર બાદ ઓવરલેપિંગ પોસ્ટમાં ઘટાડો કર્યો. રિપોર્ટ અનુસાર જિયોસ્ટાર 1100થી વધુ કર્મચારીઓની છટણી કરવાનું છે. આવો તમને જણાવીએ આખરે જિયોસ્ટારને લઈને કયા પ્રકારનો રિપોર્ટ સામે આવ્યો છે.

fallbacks

કેમ છટણી કરી રહ્યું છે જિયોસ્ટાર?
વાયકોમ 18 અને ડિઝ્નીના સ્ટાર ઈન્ડિયાનું મર્જર થઈ ગયું છે. જેનાથી તે ભારતની સૌથી મોટી મીડિયા કંપની બની ગઈ છે. રિપોર્ટ અનુસાર આ છટણી ઓપરેશનને મજબૂત કરવા અને કાર્યક્ષમતામાં સુધાર કરવા માટે કરવામાં આવી રહી છે. કંપની હાઈ ગ્રોથવાળા સેક્ટર્સ, વિશે રૂપથી ખેલ અને ડિજિટલ સ્ટ્રીમિંગને પ્રાથમિકતા આપી રહી છે. ઉદ્યોગ અધિકારીઓનુંસૂચન છે કે પ્રાદેશિક બજારોમાં ડિઝ્ની સ્ટારની મજબૂત હાજરી વાયકોમ18 ની રીઝનલ ચેનલ્સને વધુ સુવ્યવસ્થિત કરી શકે છે. પરંતુ જિયોસ્ટાર નવી ચેનલ લોન્ચ કરવાની યોજના સાથે પોતાના સ્પોર્ટ્સ પોર્ટફોલિયોના વિસ્તાર કરવા પર પણ કમર કચી રહ્યું છે. રિલાયન્સ-ડિઝ્ની મર્જથી ભારતની સૌથી મોટી મીડિયા કંપની બની ગઈ છે, જેનું મૂલ્ય 70352 રૂપિયા (પોસ્ટ-મની) છે.

આ પણ વાંચોઃ આગામી સપ્તાહે વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, જાણો કેટલો થશે ફાયદો

કોણ-કોણ થશે પ્રભાવિત
નામ ન આપવાની શરતે, મીડિયા અહેવાલોને ટાંકીને, લગભગ એક ડઝન લોકોએ માહિતી આપી છે કે વિતરણ, નાણા, વાણિજ્યિક અને કાયદાકીય સહિત વિવિધ કોર્પોરેટ વિભાગોના કર્મચારીઓને છટણીથી અસર થઈ રહી છે. અસરગ્રસ્તોમાં એન્ટ્રી લેવલના કર્મચારીઓથી લઈને વરિષ્ઠ મેનેજર, ડિરેક્ટર્સ અને આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ સુધીના દરેકનો સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોએ કહ્યું કે હજુ સુધી સ્પોર્ટ્સ વિભાગમાં છેડછાડ કરવામાં આવી નથી. તેનું કારણ ચેમ્પિયન્સ ટ્રોફી, વિમેન પ્રીમિયર લીગ અને ઈન્ડિયન પ્રીમિયર લીગનું એક બાદ એક થનાર આયોજન છે. પરંતુ કલર્સ કન્નડ અને કલર્સ બાંગ્લા જેવી પ્રાદેશિક મનોરંજન ચેનલો પર ખૂબ અસર પડી છે અને નોકરીમાં ઘટાડો યથાવત રહેવાની આશા છે. 

વધુમાં, એક હરીફ કંપનીના CEO એ ખુલાસો કર્યો છે કે તેઓ પહેલેથી જ 1 કરોડ રૂપિયાથી વધુના વાર્ષિક પેકેજ સાથે Jiostarના કર્મચારીઓ પાસેથી CV મેળવી રહ્યા છે, જેઓ નવી તકોની શોધમાં છે. JioStar અસરગ્રસ્ત કર્મચારીઓને નોકરીમાં ફેરફાર સાથે સમાયોજિત કરવામાં મદદ કરવા માટે વળતર પેકેજ ઓફર કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ 12 પાસ ઉમેદવારો માટે પોલીસમાં મોટી ભરતી, અરજી પહેલા જાણો શું છે સરકારનું નોટિફિકેશન?

કઈ રીતે મળશે વળતર પેકેજ
1. મીડિયા રિપોર્ટ અનુસાર કમ્પન્સેશન પેકેજ કર્મચારીના કામના વર્ષના આધાર પર અલગ-અલગ હોય છે, જે છથી બાર મહિનાના પગાર વચ્ચે હોય છે.
2. કર્મચારીઓએ કંપનીમાં પૂરા કરેલા દર એક વર્ષના બદલામાં એક મહિનાનું વેતન મળશે, આ સિવાય એકથી ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ પણ હશે.
3. કંપનીમાં 6 વર્ષથી ઓછું કામ કરનાર કર્મચારીઓને ઓછામાં ઓછા સાત મહિનાનો પગાર મળશે, જેમાં નોટિસ પીરિયડનો પગાર પણ સામેલ છે.
4. લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓને15 મહિના સુધીનું વળતર મળી શકે છે.
5. જે કર્મચારીઓએ ગ્રેચ્યુઇટી માટે ફરજીયાત પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી, તેને પણ પ્રમાણસર ચુકવણી મળશે.
6. આ સિવાય કેટલાક પ્રભાવિત કર્મચારીઓ- વિશેષ રૂપથી ટેક્નોલોજી અને ડિજિટલ સેવાઓ સાથે જોડાયેલા લોકોને જિયો કે રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં ભૂમિકા આપી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More