Breakfast Mistakes: સવારનો નાસ્તો સૌથી વધારે જરૂરી હોય છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો નાસ્તામાં જ એવી ભુલ કરે છે જે ધીરેધીરે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર સવારે નાસ્તાની પ્લેટમાં ખોટી વસ્તુઓ એડ કરવામાં આવે તેના કારણે શરીરને કામ કરવાની એનર્જી મળતી નથી અને મેટાબોલિઝમ પણ સવારમાં સ્લો થઈ જાય છે.
આ પણ વાંચો: ચટપટું ખાવાની ઈચ્છા હોય તો ટ્રાય કરો પોહા કટલેટ, એકવાર ખાશે તે વારંવાર માંગશે
સવારનો નાસ્તો ફક્ત પેટ ભરવા માટે નથી હોતો. તેનાથી શરીરને દિવસભર કામ કરવાની એનર્જી મળે છે. પરંતુ સવારે નાસ્તામાં આ 3 ભુલ કરવામાં આવે તો નાસ્તો અનહેલ્ધી બની જાય છે અને શરીરને નુકસાન કરે છે.
નાસ્તામાં થતી 3 સામાન્ય ભુલો
આ પણ વાંચો: ઈમરજન્સી સમયે પાયલોટ Mayday શા માટે બોલે ? આ છેલ્લા શબ્દોનો અર્થ ખબર છે તમને ?
1 સવારે ખાલી પેટ ફક્ત ચા કે કોફી પીવી
ઘણા લોકો સવારે જાગીને સૌથી પહેલા ચા કે કોફી પી લેતા હોય છે પછી નાસ્તો ટાળે છે. પરંતુ આ ભુલથી એસિડીટી વધી જાય છે અને પાચન ક્રિયાને નુકસાન થાય છે. તેનાથી ગેસની સમસ્યા વધે છે.
આ પણ વાંચો: Weight loss: બસ 15 દિવસ આ પાવડર ગરમ પાણીમાં ઉમેરી પીવો, ઘટવા લાગશે શરીરની ચરબી
2. નાસ્તામાં સ્વીટ કે પ્રોસેસ્ડ ફૂડ લેવું
બ્રેડ, જામ, મફિન્સ, ડોનટ્સ, બટર જેવી વસ્તુઓ નાસ્તામાં લેવી નુકસાનકારક છે. તેનાથી સુગર સ્પાઈક થાય છે. તેનાથી શરીરમાં એનર્જી ઝડપથી ઘટે છે. આવો નાસ્તો કરશો તો વારંવાર ભુખ લાગશે. સાથે જ વજન પણ વધે છે.
આ પણ વાંચો: વારંવાર બાથરુમમાં નીકળે છે કાનખજૂરો ? આ 4 ટ્રિક અપનાવી કાનખજૂરાથી કાયમી મુક્તિ મેળવો
3. પ્રોટીન અને ફાઈબરની ખામી
નાસ્તામાં પ્રોટીન અને ફાઈબરની ખામી ન હોવી જોઈએ. આ બંને પોષકતત્વોથી ભરપુર નાસ્તો કરવો જરૂરી છે. જેમકે સવારે નાસ્તામાં ઘણા લોકો કાર્બ્સથી ભરપુર પરોઠા, ઉપમા, પોહા જેવી વસ્તુઓ ખાય છે, જો તેમાં પ્રોટીન માટે દાળ, પનીર, ફણગાવેલા અનાજ લેવામાં આવે તો તે હેલ્ધી નાસ્તો બને છે.
આ પણ વાંચો: Rava Dosa: મુંબઈ સ્ટાઈલ ક્રિસ્પી રવા મસાલા ઢોસા બનાવવાની રીત
હેલ્ધી બ્રેકફાસ્ટ પ્લેટ કેવી હોવી જોઈએ ?
જો તમે સવારે સંતુલિત બ્રેકફાસ્ટ કરવા માંગો છો તો સારા પ્રમાણમાં પ્રોટીન મળે તે માટે ઈંડા, મગની દાળના ચીલા, દૂધ લઈ શકો છો. હેલ્ધી ફેટ માટે બદામ, સીંગદાણા અને ફાઈબર માટે ફળ, ઓટ્સ કે અન્ય અનાજ લઈ શકો છો. આવો નાસ્તો શરીરને એનર્જી આપશે અને શરીર આખો દિવસ એક્ટિવ રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે