Curd : દહીં સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળાના દિવસોમાં આપણે તેને કોઈને કોઈ સ્વરૂપે આપણા આહારમાં સામેલ કરવું જોઈએ. દહીં ખાવાથી શરીરને સારા બેક્ટેરિયા મળે છે, જે ગરમીમાં પણ પેટને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં દહીંમાં લેક્ટિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન B-6, B-12, રિબોફ્લેવિન જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.
દહીંનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. કેટલાક લોકો બજારમાંથી દહીં ખરીદે છે જ્યારે કેટલાક લોકો ઘરે દહીં બનાવવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીં સેટ કરતી વખતે થયેલી ભૂલ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. દહીંને ક્યારેય ભૂલથી પણ અમુક વાસણોમાં સંગ્રહિત ન કરવું જોઈએ. જેના કારણે સ્વાસ્થ્ય પર ઝેર જેવી ખરાબ અસર પડી શકે છે. ચાલો તેના વિશે જાણીએ.
15 થી 20 મિનિટમાં જામી જાશે દહીં, ઈમરજન્સી હોય ત્યારે આ સ્ટેપ ફોલો કરી દહીં જમાવજો
કયા વાસણમાં દહીં ના જમાવવું જોઈએ ?
દહીં જમાવવા માટે તમારે ક્યારેય પિત્તળ, તાંબા કે કાંસાના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે જ્યારે આ વાસણોમાં દહીં જમાવવામાં આવે છે, ત્યારે જે ધાતુઓમાંથી આ વાસણો બનાવવામાં આવે છે તે દહીં સાથે રાસાયણિક રીતે પ્રતિક્રિયા કરવાનું શરૂ કરે છે. તેથી આ દહીં ખાવા માટે યોગ્ય નથી રહેતું. તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
કયા વાસણમાં દહીં જમાવવું જોઈએ ?
સામાન્ય રીતે મહિલાઓ ઘરે દહીં જમાવવા માટે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરે છે. આ સિવાય તમે સિરામિકના બનેલા વાસણોનો પણ ઉપયોગ કરી શકો છો. દહીં જમાવવા માટેનું શ્રેષ્ઠ પાત્ર માટીનું વાસણ છે. તેમાં જમાવેલું દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે