વધતું વજન લોકો માટે સમસ્યા બની રહ્યું છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો કલાકો જીમમાં પરસેવો વહાવી રહ્યા છે તો કોઈ ભોજન પર લગામ લગાવી રહ્યા છે. કેટલાક લોકો વજન ઓછું કરવા માટે ઘરેલુ નુસ્ખાનો પણ સહારો લઈ રહ્યા છે. જો કે અનેકવાર એવું પણ જોવા મળે કે ફાયદો જોવા મળતો નથી. આવામાં જો તમે પણ તેમાંથી એક છો જે વજન ઘટાડવા માટે અનેક ઉપાય અપનાવીને થાકી ચૂક્યા છે તો હવે રાજસ્થાનના એક વૈદ્યએ વજન ઘટાડવા માટે જાદુઈ આયુર્વેદિક નુસ્ખો જણાવ્યો છે તે જાણો.
15 દિવસમાં પાતળી થવા લાગશે કમર?
વૈદ્યનો દાવો છે કે આ આયુર્વેદિક નુસ્ખાને અપનાવવાથી 15 દિવસમાં મોટાપાથી રાહત મળી શકે છે. રાજસ્થાનના ફેમસ વૈદ્ય જગદીશ સુમને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ નુસ્ખાને શેર કર્યો છે. તેમનું કહેવું છે કે જે લોકો પેટ અને જાંઘની ચરબીથી પીડાતા હોય તેમને છૂટકારો મળશે.
આ ચીજોની જરૂર પડે
તેમણે કહ્યું કે આ નુસ્ખાને સારી રીતે સમજી લો અને વારંવાર ફોન કરીને પરેશાન ન કરો. તેના માટે તમારે 200 ગ્રામ અમરવેલ પાઉડર, 30 ગ્રામ કાળા મરીનો પાઉડર, 1 ગ્રામ કીડા જડી પાઉડર, 25 ગ્રામ ધાગા મિશ્રી પાઉડરની જરૂર પડશે.
કેવી રીતે બનાવવો
આ પાઉડર બનાવવા માટે કાળા મરી પાઉડર, કીડા જડી પાઉડર, અમરવેલ પાઉડર અને ધાગા મિશ્રીના પાઉડરને એક સાથે સારી રીતે મિક્સ કરી લો. હવે તેને એક સૂકા અને સાફ કન્ટેનરમાં રાખો. જો તમે દુકાનથી આખા લાવ્યા હોવ તો તેને પીસીને મિક્સ કરી લેવો અને સ્ટોર કરી લો.
આ રીતે કરો સેવન
જો તમારે ઝડપથી વજન ઉતારવું હોય તો ખાલી પેટે સવારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આ પાઉડર ભેળવીને પીઓ. તેનાથી 15 દિવસમાં તમને ફરક જોવા મળશે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને ફક્ત સૂચન તરીકે લેવી જોઈએ. કોઈ પણ જાણકારીને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે