Home> Relationship
Advertisement
Prev
Next

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું લગ્ન પછી પતિએ પોતાની પત્નીને કેવી રીતે ખુશ રાખવી

Premanand Maharaj Relationship Advice: પ્રેમાનંદ મહારાજના કહ્યા અનુસાર લગ્નજીવનમાં સુખી થવું હોય તો પતિ એ ક્યારેય પત્નીને આધિન કરવાનું વિચારવું જોઈએ નહીં. સંસારમાં બંને એક સમાન હોય છે. પતિએ પત્નીને હંમેશા પ્રસન્ન રાખવી જોઈએ. આવું શા માટે તેનું કારણ પણ પ્રેમાનંદ મહારાજે જણાવ્યું છે.
 

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું લગ્ન પછી પતિએ પોતાની પત્નીને કેવી રીતે ખુશ રાખવી

Premanand Maharaj Relationship Advice: જ્યારે દીકરીના લગ્ન થવાના હોય ત્યારે તેને માતા પિતા શીખવાડે છે કે તેને સાસરામાં કેવી રીતે રહેવું જોઈએ અને તેની જવાબદારીઓ શું હશે. લગ્ન પછી જ્યારે દીકરી સાસરે આવે છે તો સાસરામાં પણ તેને સમજાવવામાં આવે છે કે તેની જવાબદારીઓ શું છે અને તેણે કેવી રીતે પતિ સાથે રહેવું જોઈએ. આમ તો દીકરીને તે સમજણી થાય ત્યારથી જ આદર્શ પુત્રી, આદર્શ પુત્રવધુ અને આદર્શ પત્ની કેવી રીતે બનવું તે શીખવાડવામાં આવે છે. પરંતુ વાત જ્યારે લગ્નજીવનમાં પતિના કર્તવ્યની આવે તો તેના વિશે વધારે વાત કરવામાં આવતી નથી. પરંતુ જ્યારે આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજને આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે હકીકતમાં પતિના કર્તવ્ય શું હોય છે અને તેણે પત્નીને કેવી રીતે રાખવી જોઈએ?

fallbacks

આ પણ વાંચો: Relationship Tips: દરેક કપલને એકબીજાની આ 5 વાતો વિશે જાણકારી હોવી જોઈએ, તમને ખબર છે?

પત્નીને પ્રાણ માને પતિ 

પ્રેમાનંદ મહારાજ એ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે પતિએ પોતાની અર્ધાંગનીને પ્રાણ સમાન માનવી જોઈએ. જે રીતે આપણે આપણા પ્રાણના પોષણ માટે, તેની રક્ષા કરવા માટે અને પોતાને સુખ મળે તેવા દરેક પ્રયત્ન કરીએ છીએ તે રીતે પત્નીની રક્ષા માટે અને પત્નીને સુખ મળે તે માટે પતિએ દરેક પ્રયત્ન કરવા જોઈએ અને તેની દરેક ઈચ્છાનું સન્માન કરવું જોઈએ. 

આ પણ વાંચો: Extra marital Affairs: જાણો એ 5 કારણો વિશે જેના લીધે પતિ પોતાની પત્નીને છેતરે

પત્નીની સલાહ લઈને કામ કરો 

પ્રેમાનંદ મહારાજ અનુસાર પતિએ કોઈપણ કામ પત્નીની સલાહ વિના કરવું નહીં.. તેમનું કહેવું છે કે લગ્ન પછી ધર્મ સંબંધિત કાર્ય હોય તો પણ અને મોટામાં મોટો નિર્ણય હોય તો પણ પત્ની સાથે વિચાર વિમર્શ કર્યા પછી જ પતિએ તેના પર અમલ કરવો જોઈએ. કારણ કે લગ્ન જીવનમાં પત્ની પણ બરાબરની ભાગીદારી છે. પતિએ ક્યારેય પોતાની પત્નીને પોતાનાથી નીચે ગણવી નહીં. 

આ પણ વાંચો: કોને કહેવાય ડિજિટલ અફેર? શા માટે ભારતમાં એકાએક વધી રહ્યા છે ઓનલાઈન લફરાં જાણો

કઠોર સ્વભાવ સહન કરી લો 

પ્રેમાનંદ મહારાજે એમ પણ જણાવ્યું હતું કે જો પત્નીનો સ્વભાવ કઠોર હોય કે થોડો તીખો હોય તો પણ પતિએ ધીરજ સાથે પત્ની સાથે જીવન ગુજારવું જોઈએ. જો પત્ની ક્યારેય વિરોધ કરે કે તેની નારાજગી દેખાડે તો પ્રેમ પૂર્વક તેની સાથે વર્તન કરો અને તેને સમજાવો. કારણ કે લગ્ન સમયે પતિએ પાણી ગ્રહણ કર્યું હોય છે તેથી તેણે પત્નીનું પોષણ કરવું સૌથી મહત્વનું હોય છે. 

આ પણ વાંચો: Open Marriage એટલે શું ? લગ્ન પછી કપલ્સ વચ્ચે આ ટ્રેંડ શા માટે પોપ્યુલર છે ?

પત્નીને આધીન કરવાનો પ્રયત્ન ન કરો 

પ્રેમાનંદ મહારાજે અંતે જણાવ્યું હતું કે પતિએ ક્યારેય પોતાની પત્નીને પોતાને આધીન રાખવાનો પ્રયત્ન કરવો નહીં. પત્ની પણ અલગ જીવ છે અને તેને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર હોય છે. આ વાત સમજીને જો પતિ પત્ની સાથે વર્તન કરે તો સંસાર સુખમય રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More