Home> Relationship
Advertisement
Prev
Next

Relationship Tips: લગ્નના 1 વર્ષ પછી દરેક કપલની સામે આવે સમસ્યાઓ, પહેલાથી જ ધ્યાન રાખશો તો પછી તકલીફ નહીં પડે

Relationship Problems: લગ્ન પછીના 1 વર્ષનો સમય કપલ માટે હનીમૂન પીરીયડ જેવો હોય છે. આ સમય તો દરેક કપલનો સારી રીતે પસાર થાય છે. ખરી તકલીફ તો એક વર્ષ પછી શરુ થાય છે. જો આ બાબતે પહેલાથી થોડું ધ્યાન રાખશો તો પછી તકલીફ નહીં થાય.
 

Relationship Tips: લગ્નના 1 વર્ષ પછી દરેક કપલની સામે આવે સમસ્યાઓ, પહેલાથી જ ધ્યાન રાખશો તો પછી તકલીફ નહીં પડે

Relationship Problems: લગ્ન એક સુંદર અને જીવનભરનો સંબંધ છે. લગ્નમાં 2 લોકો એકબીજાને સુખમાં, દુ:ખમાં અને દરેક સ્થિતિમાં સાથ આપે છે. જીવનમાં આવતી સમસ્યાઓને પણ એકબીજાની સાથે મળી દુર કરે છે. લગ્નની શરુઆતનો સમય તો પ્રેમ, રોમાંચ અને રોમાંસથી ભરપુર હોય છે. આ સમયમાં બધું એક સપના જેવું લાગે છે.

fallbacks

આ પણ વાંચો: આ 5 બાબતે રોજ લમણાઝીંક કરવી પડે તો યુવતીનો લગ્ન કર્યાનો ઉત્સાહ અફસોસમાં બદલી જાય

લગ્ન પછી જેમજેમ વર્ષો પસાર થાય છે તેમ તેમ સમસ્યાઓ સામે આવવા લાગે છે. મોટાભાગે તો લગ્નના 1 વર્ષ પછી કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. કપલની લાઈફમાં શરુઆતના સમયના આનંદ પછી આ નાની-નાની બાબતોને લઈને તકલીફો શરુ થાય છે. ઘણીવાર કપલ આ સમસ્યાઓ માટે તૈયાર નથી હોતા જેના કારણે દંપતિ વચ્ચે સમસ્યાઓ વધી જાય છે. આજે તમને એવી સમસ્યાઓ વિશે જણાવીએ જે લગ્નના 1 વર્ષ પછી ઊભી થતી હોય છે.

આ પણ વાંચો: સંબંધમાં આત્મસમ્માન સાથે બાંધછોડ ન કરો, અપમાનનો જવાબ યોગ્ય રીતે આપવો જરૂરી

વાતચીત ઓછી થઈ જવી

લગ્ન પછી શરુઆતમાં કપલ એકબીજા સાથે વધારે સમય પસાર કરે છે અને તેમની પાસે વાતો પણ હોય છે શેર કરવા માટે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વાતો ઓછી થઈ જાય છે. જ્યારે અચાનક વાતચીત ઓછી થઈ જાય તો કપલ આ ફેરફારને હેંડલ કરી શકતા નથી અને તેની નેગેટિવ અસર સંબંધ પર પડવા લાગે છે. 

આ પણ વાંચો: સુખી અને પરફેક્ટ રિલેશનશિપ ઈચ્છતા હોય તો આ 5 વસ્તુઓને ઓનલાઈન ક્યારેય પોસ્ટ કરવી નહીં

રુટીન ફીક્સ થઈ જવું

લગ્નની શરુઆતમાં જે રોમાંચ અને રોમાંસ હોય છે તે 1 વર્ષ સુધીમાં ઓછો થઈ જાય છે પછી પતિ અને પત્ની બંને પર જવાબદારીઓ આવે છે. આ જવાબદારીઓના કારણે તેમનું રુટીન ફીક્સ થઈ જાય છે. કામની વધતી વ્યસ્તતાના કારણે કપલને પહેલા જેવો સમય મળતો નથી અને પછી ગેરસમજ અને ઝઘડા શરુ થાય છે.

આ પણ વાંચો: Relationship Tips: લગ્ન પછી ખુશહાલ સંસાર માણવો હોય તો પત્નીને કહેતા નહીં આ 6 વાતો

એકલતા લાગે

લગ્ન પછી શરુઆતમાં તો એક કપલ એકબીજાની સાથે રહેવાના બહાના શોધે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ બંને વ્યસ્ત થાય છે. પુરુષો કામ પરથી પરત આવ્યા પછી આરામ કે પર્સનલ સ્પેસને માણવા માંગે છે તેવામાં સ્ત્રીઓ એકલતા અનુભવવા લાગે છે. 

આ પણ વાંચો: Extra marital affair: આ 4 કારણોને લીધે પતિનું ઘરની બહાર શરુ થાય ઈલુ ઈલુ

આર્થિક જવાબદારીનું પ્રેશર

આ પ્રેશર પુરુષો વધારે અનુભવે છે. લગ્ન પછી ધીરેધીરે પુરુષો પર જવાબદારી વધવા લાગે છે. તેણે ઘર ચલાવવું, બચત કરવી, ફ્યૂચર પ્લાનિંગ કરવું વગેરે માટે ફાઈનેંશિયલ સ્ટેબલ થવાનું પ્રેશર લાગે છે. એટલે જ ઘણા કપલ વચ્ચે ખર્ચાની વાતને લઈને ઝઘડા થતા હોય છે. કારણ કે લગ્ન પછી આવતી આર્થિક જવાબદારી વિશે તેઓ તૈયાર નથી હોતા.તેથી પહેલાથી જ આ બાબતે એકબીજા સાથે વાત કરી લેવી જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More