Home> World
Advertisement
Prev
Next

ભારતના આ એક નિર્ણયથી પાકિસ્તાનમાં ભારે દહેશતનો આલમ, પોકળ ધમકીઓ આપવા લાગ્યું

પહલગામમાં જે રીતે ભારતીય પર્યટકો તેમાં પણ ખાસ કરીને હિન્દુઓનું ટાર્ગેટ કિલિંગ કરાયું તેનાથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે હડકંપ મચ્યો છે. ભારતે તાબડતોબ જવાબી કાર્યવાહી શરૂ કરી જેના પરિણામ સ્વરૂપે પાકિસ્તાનને સૌથી મોટો ફટકો પડ્યો છે. 

ભારતના આ એક નિર્ણયથી પાકિસ્તાનમાં ભારે દહેશતનો આલમ, પોકળ ધમકીઓ આપવા લાગ્યું

પહલગામમાં થયેલા નરસંહાર બાદ ભારત હવે પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં સિંધુ નદી જળ સમજૂતિ પણ સામેલ છે. આ કાર્યવાહી પર પાકિસ્તાન ધૂંધવાયું છે અને ભારતને કડક જવાબ આપવાની વાત કરી રહ્યું છે. હાલ ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ભારત સરકારે પાડોશી દેશ વિરુદ્ધ સિંધુ જળ સમજૂતિ તોડવા સહિત 5 મોટા નિર્ણય લીધા છે. 

fallbacks

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ અને વિદેશમંત્રી ઈશાક ડારે ભારતના નિર્ણયોને વખોડ્યા છે. બુધવારે એક ચેનલ સાથે વાતચીતમાં ડારે કહ્યું કે ભારતે આતંકી ઘટનાઓ અંગે કોઈ પુરાવા આપ્યા નથી. આ સાથે એમ કહ્યું છે કે ભારત આ નિર્ણય ગુસ્સામાં લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આતંકી ઘટનાઓ સંબંધમાં ભારતે કોઈ પુરાવા નથી આપ્યા. તેમની જાહેરાતો ગંભીરતાની કમી દેખાડે છે. 

તેમણે કહ્યું કે, ભારતમં જ્યારે પણ સંકટ આવે છે ત્યારે તેઓ પાકિસ્તાનને જવાબદાર  ગણે છે. ડારે કહ્યું કે ભારતની જાહેરાતો બાદ પાકિસ્તાની જવાબ માટે એનએસસી એટલે કે નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક બોલાવાઈ હતી. તેમણે કહ્યું કે ભારતના નિવેદનો અયોગ્ય છે  અને NSC તરફથી પ્રતિક્રિયા આપવામાં આવશે. આતંકવાદ પર આ પ્રકારે ગુસ્સો વ્યક્ત કરવો યોગ્ય નથી. 

ભારતની કાર્યવાહી
અત્રે જણાવવાનું કે ભારતે પહલગામ આતંકી હુમલા બાદ બુધવારે પાકિસ્તાનને કડક સંદેશો આપતા રાજનયિક સંબંધોમાં વ્યાપક કાપ, 1960ની સિંધુ જળ સમજૂતિ સ્થગિત કરવા અને અટારી બોર્ડર બંધ કરવા સહિતના નિર્ણયો લીધા. સીસીએસની બેઠક બાદ રાતે વિદેશ સચિવે પત્રકારોને આ નિર્ણયો અંગે જણાવ્યું. તેમણે જણાવ્યું કે એક મે સુધીમાં રાજનયિક સંંબધોમાં વધુ કાપના માધ્યમથી પાકિસ્તાન અને ભારતીય દૂતાવાસોમાં તૈનાત લોકોની કુલ સંખ્યા ઘટાડીને 55થી 30  કરવામાં આવશે. 

તેમણે જણાવ્યું કે પાકિસ્તાની નાગરિકોને એસવીઈએસ હેઠળ ભારત આવવાની મંજૂરી નહીં મળે અને એસવીઈએસ વિઝા હેઠળ ભારતમાં હાજર કોઈ પણ પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે. 

વિદેશ સચિવે પાંચ જવાબી કાર્યવાહીની જાહેરાત કરતા કહ્યું કે પાકિસ્તાની દૂતાવાસમાં રક્ષા, સૈન્ય, નેવી, અને વાયુ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરાયા છે. તથા તેમને એક  અઠવાડિયાની અંદર ભારત છોડવા માટે કહેવાયું છે. 

તેમણે કહ્યું કે ભારત પણ ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસથી પોતાના રક્ષા, નેવી, વાયુ સલાહકારોને પાછા  બોલાવશે. સંબંધિત દૂતાવાસોમાં આ પદ રદ ગણાશે. દૂતાવાસોમાંથી સેવા સલાહકારોના પાંચ સહાયક કર્મચારીઓને પણ પાછા બોલાવવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More