Home> Relationship
Advertisement
Prev
Next

આ કારણે મહિલાઓ પોતાના પતિને આપે છે 'દગો', એક્સપર્ટે જણાવ્યા બેવફાઈના કારણ

હંમેશા આપણે તેવા મામલા જાણીએ જ્યાં પુરૂષોએ પોતાની ગર્લફ્રેન્ડ કે પત્નીને દગો આપી અન્ય મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સર્વેમાં તે સામે આવ્યું કે મહિલાઓમાં પોતાના પાર્ટનરને ગદો આપવાની પ્રવૃત્તિ વધી છે.
 

આ કારણે મહિલાઓ પોતાના પતિને આપે છે 'દગો', એક્સપર્ટે જણાવ્યા બેવફાઈના કારણ

તમારા જીવનસાથી તમારા માટે બેવફા છે તે કોઈના માટે દુઃસ્વપ્નથી ઓછું નહીં હોય. પછી ભલે તમે ડેટિંગ કરો છો, સગાઈ કરી રહ્યાં છો કે લગ્ન કરી રહ્યાં છો. પ્રેમમાં વિશ્વાસ તોડવો એ પ્રેમ સંબંધ તોડવા સમાન છે. જો તમે આ પરિસ્થિતિમાં તમારા સંબંધને અકબંધ રાખવાનું નક્કી કરો છો, તો પણ તમારા વચ્ચેના જૂના બંધન અને જૂની લાગણીને જાળવી રાખવી લગભગ અશક્ય છે.

fallbacks

ફિલ્મોમાં હંમેશા પુરૂષોને ઘણી મહિલાઓ સાથે સંબંધ બનાવનાર છેતરનારના રૂપમાં દર્શાવવામાં આવે છે. પરંતુ હાલના દાયકાઓમાં પુરૂષો અને મહિલાઓ વચ્ચે પાર્ટનર સાથે બેવફાઈ કરવાનું અંતર ખૂબ ઓછું થઈ ગયું છે. 

અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં National Opinion Research Center (NORC) ના 2022ના ગ્લોબલ સોશિયલ સર્વે (GSS) માં આવી કેટલીક ચોંકાવનારી વાત મળી હતી. આ સર્વે દરમિયાન 20 ટકા પુરૂષો અને 13 ટકા મહિલાઓએ પોતાના જીવનસાથીને દગો આપવાની વાત સ્વીકારી હતી. આ સિવાય બ્રિટનની રિસર્ચ અને ડેટા એલાનિટિક્સ ફર્મ YouGov એ 1000થી વધુ પરિણીત વ્યક્તિઓ પર કરવામાં આવેલા 2019ના સર્વેમાં પણ કંઈક આવા પરિણામ આવ્યા હતા.

આ પણ વાંચોઃ સુહાગરાત પર હંમેશા આ પાંચ ભૂલ કરતા હોય છે પુરૂષો, બરબાદ થઈ જાય છે લગ્નની પ્રથમ રાત

તેમાં 20 ટકા પુરૂષો અને 10 ટકા મહિલાઓએ પોતાના જીવનસાથી સાથે છેતરપિંડી કરવાની વાત સ્વીકારી હતી. છેલ્લા કેટલાક દાયકામાં બેવફાઇ કરનારી મહિલાઓની સંખ્યામાં સતત વધારો થયો છે. 2010માં પત્નીઓ દ્વારા પતિઓને છેતરવાની ટેન્ડેસી 20 વર્ષ પહેલાની તુલનામાં 40 ટકા વધુ જોવા મળી છે. તેમ છતાં આ આંકડાઓ વચ્ચે એક પાયાનો સવાલ છે કે મહિલાઓ આખરે દગો કેમ આપે છે?

1-એકલતા
સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ લાગણીશીલ હોય છે અને ગંભીર એકલતા અથવા તેમના જીવનસાથીથી ભાવનાત્મક અલગ થવાને કારણે અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક અને રોમેન્ટિક સંબંધો વિશે કલ્પના કરવાનું શરૂ કરે છે. આ પ્રકારની લાગણી ઘણી અલગ-અલગ પરિસ્થિતિઓમાંથી ઉદ્ભવી શકે છે જેમાં વારંવાર મુસાફરી કરતા જીવનસાથી, લાંબા સમય સુધી કામ કરતા જીવનસાથી અથવા તો પતિની બીમારીનો પણ સમાવેશ થાય છે.

2- ઓછું આત્મસન્માન
જ્યારે કોઈ સ્ત્રી નીચા આત્મસન્માન સાથે સંઘર્ષ કરતી હોય, ત્યારે આ પરિસ્થિતિ તેણીને ધ્યાન અને આદર જેવી બાબતો માટે બહારના લોકો તરફ જોવા માટે પ્રેરિત કરી શકે છે.

આ પણ વાંચોઃ સગાઈ પછી પાર્ટનરની સાથે ભૂલથી પણ ના કરો આ 5 ગંભીર ભૂલ, તૂટી જશે તમારું રિલેશન!

3-ભાવનાત્મક ભૂખ
અભ્યાસ દર્શાવે છે કે જે મહિલાઓ તેમના પાર્ટનર સાથે છેતરપિંડી કરે છે તેઓ તેમની ભાવનાત્મક જરૂરિયાતોને સંતોષવા માટે આવું કરે છે. સેક્સ આ સમીકરણનો ભાગ નથી. જો કે, સંબંધ શારીરિક હોય કે ભાવનાત્મક હોય, સ્ત્રી અન્ય વ્યક્તિ પાસેથી ક્રિયાપ્રતિક્રિયા, સહાનુભૂતિ, આદર, કદર, સમર્થનની ઈચ્છા રાખે છે જે તેણીને તેના વર્તમાન સંબંધોમાંથી મળતી નથી.

4-ગુસ્સો અથવા બદલો
કેટલીક સ્ત્રીઓ તેમના મનમાં તેમના જીવનસાથીની આદર્શ છબી સાથે સંબંધમાં પ્રવેશ કરે છે. પરંતુ જ્યારે પાર્ટનર અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી અને તેમની દરેક જરૂરિયાત અને ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી ત્યારે તે સંબંધમાં તિરાડ પેદા કરે છે. આ સિવાય કેટલાક લોકો પોતાના પાર્ટનરથી અન્ય કારણોસર પણ ગુસ્સે થઈ શકે છે, જેમ કે તેમના પાછલા સંબંધો, જેના બદલા તરીકે તેઓ પોતે જ બેવફા થવા લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More