જૂન અડધો વીતી ગયો અને હવે જુલાઈ 2025 આવશે. એક એવો મહિનો કે ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, અને ભવિષ્યવાણી...આ ત્રણેય એક સાથે એક એવા ઈશારા તરફ સંકેત આપી રહ્યા છે. ભવિષ્યવક્તા બાબા વેંગાએ દાયકાઓ પહેલા જે કહ્યું હતું તે હવે આપણા માથે મંડરાઈ રહ્યું છે.
જ્યારે શનિ વક્રી થશે, ગુરુ અસ્ત થશે અને યુદ્ધની આહટો તેજ થશે, ત્યારે શું માનવતા કોઈ મહાવિનાશ તરફ આગળ વધી રહી હશે? શું આ એ જ સમય છે, જેની ચેતવણી શાસ્ત્રો અને સંતોએ પહેલા જ આપી હતી? જુલાઈ 2025 ફક્ત ભવિષ્યની એક તારીખ નથી પરંતુ ચેતવણી છે. જ્યારે ગ્રહોની ચાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી અને વૈશ્વિક ઘટનાઓ એક જ દિશામાં સંકેત આપતા હોય તો આ ફક્ત સંયોગ ન હોઈ શકે. શું આપણે ઈતિહાસ દોહરાતા જોઈ રહ્યા છીએ?
અત્રે જણાવવાનું કે બાબા વેંગા એક દ્રષ્ટિહીન બાલ્કન મહિલા સંત હતા જેમને દિવ્ય દ્રષ્ટિ મળી હતી એવું તેમના અનુયાયીઓનું કહેવું છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક મોટી ઘટનાઓની ભવિષ્યવાણી કરી હતી, જેમાં 9ય11 હુમલાથી લઈને રશિયા-યુક્રેન યુદ્ધ સુધી...2025 અંગે પણ તેમણે ભવિષ્યવાણીઓ કરેલી છે.
બાબા વેંગાની 2025ની રહસ્યમયી ભવિષ્યવાણી
2025માં યુરોપ લગભગ સુમસામ થઈ જશે...વિનાશ બાદ જે બચશે તે આગળ વધશે...
પહેલા આ પ્રતિકાત્મક સમજવામાં આવી, પરંતુ જુલાઈ 2025માં જે પ્રકારે ગ્રહોની ઉગ્ર સ્થિતિ, વૈશ્વિક તણાવ અને યુદ્ધની આહટ તેજ થઈ રહી છે તે તેને ગંભીર અને સંભવિત રીતે જાણે સાચી પડે તેવી બનાવે છે. બીજી બાજુ ગ્રહોની ચાલ અને જ્યોતિષથી પણ જે સંકેત મળી રહ્યા છે તેનાથી આ ભવિષ્યવાણીઓ સત્યની ઘણી નજીક જોવા મળી રહી છે.
ગ્રહોની ચાલ આપી રહી છે ખતરનાક સંકેત
- ગુરુ અસ્ત ( 9 જૂન-7 જુલાઈ 2025)
મિથુન રાશિમાં ગુરુ અસ્ત થવાથી નીતિ, ધર્મ, વિવેક અને નેતૃત્વ ક્ષીણ થાય છે. ગુરુની અસ્ત અવસ્થામાં સમાજ દિશાહીન હોય છે.
- શનિ વક્રી ( 13 જુલાઈ- 30 નવેમ્બર 2025)
મીન રાશિમાં શનિ વક્રી થશે, જે ન્યાય અને અનુશાસનને ગૂંચવે છે. તે કાળ વ્યવસ્થા, સત્તા અને ન્યાયમાં ગડબડીનો સંકેત આપે છે.
- ગુરુ અતિચાર
ગુરુ મિથુનમાં અતિચારી ગતિમાં છે. જેનાથી નિર્ણયોમાં ભ્રમ અને નીતિમાં અસ્થિરતા આવે છે. આ સાથે જ મંગળની દ્રષ્ટિ પણ મિથુન પર રહેશે જે યુદ્ધનો કારક બનતી જોવા મળે છે.
શાસ્ત્રોની ચેતવણી, જ્યારે ગ્રહો બગડે ત્યારે યુદ્ધનો ભય વધે
જ્યોતિષ ગ્રંથોમા શનિ અને ગુરુની ઉગ્ર સ્થિતિના સમયે યુદ્ધ, નીતિઓમાં ગડબડી અને સત્તાના સંકટનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
गुरोः अस्ते प्रजायते नीतिहानिः, संग्रामे शस्त्रप्रयोगः स्यात्.
ગુરુ અસ્તથાય તો નીતિ અને નૈતિકતાનું પતન થાય છે અને યુદ્ધની આશંકા પ્રબળ બને છે. 2025ની પ્રાસંગિકતા જોઈએ તો 9 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુરુ અસ્ત રહેશે.
शनि वक्रे स्थिते, युद्धेषु दारुणं फलम्.
શનિના વક્રી થવાથી યુદ્ધનું પરિણામ ભયાનક થાય છે. સત્તા અને ન્યાય સંકટમાં ઘેરાય છે. જ્યારે 13 જુલાઈથી શનિ વક્રી થઈને મીન રાશિમાં ગોચર કરશે.
શનિ-બૃહસ્પતિની ઉગ્ર સ્થિતિથી મહાભારત જેવો સંગ્રામ શક્ય
જ્યારે બે મહાગ્રહો એક સાથે ઉગ્ર સ્થિતિમાં થઈને એક વક્રી, બીજો અસ્ત હોય ત્યારે યુદ્ધ અને સત્તા પરિવર્તનના સંકેત બળવાન બને છે. મહાભારત કાળમાં પણ ગુરુ નિષ્ક્રિય, અને શનિ પ્રભાવી સ્થિતિમાં હતા.
વૈશ્વિક ઘટનાઓ પણ આપી રહ્યા છે ચેતવણી
- રશિયા-યુક્રેન યુદ્ધ થમી રહ્યું નથી
- ઈરાન-ઈઝરાયેલ તણાવ ચરમસીમાએ
- ચીન-તાઈવાન ગતિરોધ વધી રહ્યો છે.
- નાટોની અંદર પણ મતભેદ
- ભારત-ચીન LAC ગતિવિધિઓ
આ પરિસ્થિતિઓમાં શનિ-વક્રી અને ગુરુ-અસ્તનો ખગોળીય સંગમ, એક વૈશ્વિક સંકટનો પૂર્વાભાસ બની રહ્યો છે. જુલાઈ 2025 મંગળની દ્રષ્ટિ ગુરુ પર આક્રમકતા અને યુદ્ધની આશંકા બની શકે છે.
જુલાઈ 2025- સંભવિત સંકટકાળની તિથિઓ
9 જૂન 2025- ગુરુ અસ્ત- નીતિઓ પ્રભાવિત થવાનો સમય, ધર્મનો ક્ષય
13 જુલાઈ 2025- શનિ વક્રી- સત્તા અને વ્યવસ્થામાં ગૂંચવાડો, અમેરિકા અને યુરોપના દેશોમાં તેનો વધુ પ્રભાવ
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે