Home> Spiritual
Advertisement
Prev
Next

Budhwar ke Upay: નોકરી-વેપારમાં લાભ માટે બુધવારના દિવસે કરો આ અચૂક ઉપાય

Budhwar ke Upay: બુધવાર ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ છે. આ દિવસ પ્રથમ પૂજ્ય દેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી કરિયરમાં સફળતા મળે છે અને વેપારમાં લાભ થાય છે.
 

Budhwar ke Upay: નોકરી-વેપારમાં લાભ માટે બુધવારના દિવસે કરો આ અચૂક ઉપાય

Budhwar ke Upay: બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ગૌરીપુત્ર ગણેશની પૂજા અર્ચના કરવાનું વિધાન છે. કહેવાય છે કે બુધવારે ભગવાન ગણેશની આરાધના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને કાર્યોમાં આવતી બધાનો અંત આવે છે. કોઈ શુભ કાર્ય કરવાનું હોય તો તે પણ બુધવારે શરૂ કરવાથી ગણેશજીની વિશેષ કૃપા થાય છે અને કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આજે તમને બુધવારના કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 18 જૂન 2025: આજે કુંભ રાશિના લોકોને લાભ થશે, દરેક કામમાં સફળતા મળશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કરિયર કે વેપારમાં કોઈ બાધા આવતી હોય અને પ્રગતિ અટકી ગઈ હોય તો બુધવારના દિવસે કેટલાક ઉપાય કરી શકાય છે. આ ઉપાયો કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે અને બધા જ વિધ્ન દુર થઈ જાય છે. આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે. તો ચાલો જાણીએ કરિયર અને વેપારમાં લાભ કરાવતા ઉપાયો વિશે.

ગણેશજીને પ્રસન્ન કરવાના બુધવારના ઉપાય 

આ પણ વાંચો: મહિલાઓ રસોઈ કરતી વખતે બસ આ વાતોનું ધ્યાન રાખે તો ઘરમાં દિવસ રાત વધે સુખ-સમૃદ્ધિ

મોદકનો ભોગ 

ધાર્મિક માન્યતા અનુસાર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો ત્યારે પૂજામાં મોદકનો ભોગ અર્પણ કરવો જોઈએ તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે. 

આ પણ વાંચો: જુલાઈ મહિનામાં શનિ, ગુરુ સહિતના ગ્રહોની બદલશે ચાલ, 3 રાશિઓનું ભાગ્ય હશે સાતમા આસમાને

વેપારમાં લાભ 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે ગણેશજીને 11 અથવા તો 21 દુર્વા અર્પણ કરવાથી વેપારમાં સફળતા પ્રાપ્ત થાય છે અને ગૃહ ક્લેશથી મુક્તિ મળે છે. 

આ પણ વાંચો: જગન્નાથ પુરી મંદિરમાં દર્શન કર્યા પછી ત્રીજી સીડી પર પગ ન મુકવા પાછળ શું છે કારણ ?

લીલી વસ્તુનું દાન 

બુધવારના દિવસે મગ અથવા લીલા કપડાનું દાન કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. જો દાન ન કરી શકો તો દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવાનું શરૂ કરી શકો છો. 

આ પણ વાંચો: Vastu Dosh: કોઈ પાસેથી ફ્રીમાં ન લેવી આ વસ્તુઓ, લેનાર પર તુટી પડે છે મુસીબતોના પહાડ

ગણેશ ચાલીસા 

બુધવારના દિવસે ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી માનસિક ચિંતા દૂર થાય છે અને જીવનમાં સરકારાત્મકતા આવે છે. બુધવારે ॐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમ: મંત્રનો જાપ કરવાથી પણ ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More