How to control Blood Sugar Level: ડાયાબિટીસ એક ખતરનાક બીમારી છે. ડાયાબિટીસના કારણે કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ન સર્જાય તે માટે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે. ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખવું હોય તો ખાવા પીવાની આદતોમાં સુધારો કરવો જરૂરી છે. કારણ કે ડાયાબિટીસમાં વ્યક્તિ જે પણ વસ્તુ ખાય છે અથવા પીવે છે તેની અસર તુરંત જ બ્લડ સુગર લેવલ પર પડે છે. તેથી જ ખાવા પીવાની બાબતમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે.
આ પણ વાંચો: જમ્યા પછી એલચી ચાવીને ખાવાથી શરીરની 5 પ્રોબ્લેમ્સ થશે દુર, શરુ કરી દો આજથી જ આ કામ
ડાયાબિટીસમાં દિવસની શરૂઆત જો યોગ્ય વસ્તુ સાથે કરવામાં આવે તો આખો દિવસ બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધી જાય છે. તેની સામે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને દિવસની શરૂઆતમાં ખાલી પેટ ખાઈ લેવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં અસર દેખાય છે. આજે તમને 4 એવી વસ્તુ વિશે જણાવીએ જેને સવારે ખાલી પેટ ખાવાથી ડાયાબિટીસના દર્દીને લાભ થઈ શકે છે.
ડાયાબિટીસમાં ખાલી પેટ ખાવી જોઈએ આ 4 વસ્તુઓ
આ પણ વાંચો: Monsoon: ચોમાસામાં બીમાર ન પડવું હોય તો છોડી દો આ 4 આદતો, આખું ચોમાસું રહેશો સ્વસ્થ
પલાળેલા ચિયા સીડ્સ
ચિયા સીડ્સ ફાઇબરનો સૌથી સારો સોર્સ છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે રાત્રે પાણીમાં ચિયા સીડ્સ પલાળી દેવા અને સવારે ખાલી પેટ આ પાણી પી જવું. ચિયા સીડ્સમાં ઘુલનશીલ ફાઈબર હોય છે જે પાચન પ્રક્રિયાને સ્લો કરે છે અને ગ્લુકોઝ ધીરે ધીરે રીલીઝ થાય છે. ચિયા સીડ્સ પીવાથી અચાનક બ્લડ સુગર લેવલ સ્પાઇક થતું નથી. ચિયા સીડ્સ લેવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે તેથી ઓવર ઈટિંગ પણ થતું નથી.
આ પણ વાંચો: લાઈટ ચાલુ કરશો તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુ
સુકુ નાળિયેર
નાળિયેરમાં પણ એવા તત્વ હોય છે જે બ્લડ સુગરને વધતું અટકાવે છે. ડાયાબિટીસના દર્દી સવારે ખાલી પેટ સૂકા નાળિયેરના થોડા ટુકડા ખાય તો તેને ફાયદો થઈ શકે છે. નાળિયેર સિવાય એક ચમચી વર્જિન કોકોનટ ઓઇલ પીવાથી પણ ફાયદો થઈ શકે છે. તેનાથી શરીરનું મેટાબોલીઝમ સુધરે છે.
આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવે તેની 2 મિનિટની અંદર આ કામ કરવામાં આવે તો ટળી શકે છે મોત
પલાળેલી બદામ
બદામમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, ફાઇબર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પલાળેલી બદામ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો: Betel Leaf: 5 રુપિયાનું આ પાન શરદી-ઉધરસ, માથાનો દુખાવો જેવી તકલીફોને કરી દેશે છૂમંતર
કાળી કિસમિસ અથવા તો ડ્રાય પ્લમ
શરીરને એનર્જી મળે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે તે માટે કાળી કિસમિસ અથવા તો ડ્રાય પ્લમ ખાવાની સલાહ પણ આપવામાં આવે છે. તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચન સુધારે છે અને બ્લડ સુગર લેવલને સ્થિર રાખવામાં મદદ કરે છે. પરંતુ આ બંને વસ્તુને ખાવાની શરૂઆત કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી અને મર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે