Home> Spiritual
Advertisement
Prev
Next

ચાણક્ય નીતિનો ગોલ્ડન રૂલ, ન માનવા પર રાજાને ફકીર બનાવી શકે છે આ 4 ભૂલ

chanakya neeti quotes: પોતાના અનુભવના આધાર પર આચાર્ય ચાણક્યએ કૂટનીતિ, અર્થશાસ્ત્ર, નીતિ શાસ્ત્ર સહિત ચાણક્ય નીતિની રચના કરી હતી. જેમાં પતિ-પત્ની, ઘર, પરિવાર, સમાજ, મિત્રો, પૈસા, પર્યાવરણ વગેરે સાથે જોડાયેલી વાતો કહેવામાં આવી છે.
 

ચાણક્ય નીતિનો ગોલ્ડન રૂલ, ન માનવા પર રાજાને ફકીર બનાવી શકે છે આ 4 ભૂલ

Chanakya Niti: આચાર્ય ચાણક્યની નીતિઓ દરેક વ્યક્તિ અપનાવે છે, જેથી તે જીવનમાં સફળતા મેળવી શકે. તે માટે લોકો સતત મહેનત કરતા હોય છે. દેશ જ નહીં વિશ્વમાં આચાર્ય ચાણક્ય વિદ્વાન માનવામાં આવે છે. તેમણે લખેલા પુસ્તકોમાં જીવનના દરેક પાસાની વિસ્તારથી ચર્ચા કરવામાં આવે છે. જેને વાંચી અને સમજનાર વ્યક્તિ જરૂર સુખી અને સમૃદ્ધ બને છે. સાથે તે શાંતિથી જીવન પસાર કરે છે અને જીવનમાં આવતી મુશ્કેલીનો આત્મવિશ્વાસ સાથે સામનો કરે છે.

fallbacks

આચાર્ય ચાણક્યનો ઈતિહાસ અનેક સદીઓ જૂનો છે. તેમણે નંદ વંશને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે તેમની નીતિઓ જેટલી મહત્વપૂર્ણ હતી, આજે પણ તે એટલી ઉપયોગી છે.

ચાણક્ય નીતિ (Chanakya Niti)
ચાણક્યને વિષ્ણુ ગુપ્ત કે પછી કૌટિલ્સના નામથી ઓળખવામાં આવે છે, જેમણે બાળપણથી શીખવાની કળાને મહત્વ આપ્યું અને દરેક ક્ષેત્રમાં નિપુણતા હાસિલ કરી. ત્યારબાદ તેમણે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યને પ્રશિક્ષિત કર્યા. સાથે એક સુખી અને સમૃદ્ધ રાજ્યની સ્થાપના કરવામાં તેની મદદ કરી. આ સિવાય પોતાના અનુભવના આધાર પર ચાણક્ય કૂટનીતિ, અર્થશાસ્ત્ર, નીતિ શાસ્ત્ર સહિત ચાણક્ય નીતિની રચના કરી હતી. જેમાં જીવનના દરેક પાસા વિશે જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને તે ભૂલો વિશે જણાવીશું, જેને કરવા પર વ્યક્તિ કંગાળ બની રસ્તા પર આવી જાય છે.

આ પણ વાંચોઃ લોઢાના પાયે ચાલી શનિ કરે જીવન રમણભમણ, અઢી વર્ષ સુધી આ 3 રાશિને આપશે ભયંકર કષ્ટ

ન કરો આ ભૂલ
ધાર્મિક માન્યતા એવી છે કે દેવી-દેવતાઓનો ઘરમાં વાસ હોય છે. જે ઘરમાં તેની પૂજા-અર્છના ન કરવામાં આવે, તેના નામના જાપ ન થાય, તે ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. તેવામાં ધનના દેવી માતા નારાજ થઈ જતાં રહે છે. જેનાથી તે વ્યક્તિના જીવનમાં આર્થિક મુશ્કેલી આવવા લાગે છે. એટલે તમારા ઘરમાં ક્યારેય નેગેટિવ વસ્તુને પ્રવેશ ન કરવા દો.

આ સિવાય જે લોકો ખોટી રીતે પૈસા કમાઈ જીવનમાં પ્રગતિ કરવા ઈચ્છે છે તે જલ્દી કંગાળ બની જાય છે, કારણ કે મહેનતથી સફળતા હાસિલ થાય છે. જીવનમાં શોર્ટકટ અપનાવવો તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ચાણક્ય નીતિ અનુસાર જે ઘરમાં દરરોજ ઝઘડા થાય છે. ત્યાંથી માતા લક્ષ્મી નારાજ થઈ જતાં રહે છે, કારણ કે ઘરમાં શાંતિનો માહોલ હોવો ખૂબ જરૂરી છે. તેથી તમારા મગજને શાંત રાખવાની સાથે પરિવારના અન્ય સભ્યોને પણ શાંત અને ખુશ રાખો.

જે લોકોને ક્યાં ખર્ચ કરવો તે ખબર નથી, પૈસા હોવા છતાં તેની કદર કરતા નથી. સમજ્યા વગર ગમે ત્યાં પૈસા ઉડાવનાર પણ આર્થિક મુશ્કેલીનો શિકાર થાય છે. તેનાથી બચવા માટે પૈસાનો યોગ્ય ઉપયોગ અને ક્યાં ખર્ચ કરવા તે પણ શીખવું જોઈએ.

ડિસ્ક્લેમરઃ સામાન્ય જાણકારીના આધારે આ વાત લખવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More