Home> Spiritual
Advertisement
Prev
Next

આ મંદિર ડાયાબિટીસને મૂળમાંથી મટાડશે... લાખો દર્દીઓનું સુગર લેવલ પણ ઘટી ગયું, તમે પણ લઈ શકો છો મુલાકાત

Venni Karumbeswarar Temple, Thiruvarur: શું તમને ડાયાબિટીસ છે? તમિલનાડુમાં વેન્ની કરૂંબેશ્વરર મંદિર છે, જ્યાં લોકો માને છે કે સુગર ધરાવવાથી ડાયાબિટીસ ઠીક થઈ શકે છે. તિરૂવારૂરની પાસે સ્થિત વેન્ની કરૂંબેશ્વરર મંદિરમાં લોકો એક આશા સાથે આવે છે કે તેની સુગરની બીમારી ઠીક થઈ જાય. ઘણા લોકો જણાવે છે કે અહીં પૂજા કર્યા બાદ તેનું સુગર લેવલ ઘટ્યું છે, દવાઓ ઓછી થઈ ગઈ છે..
 

આ મંદિર ડાયાબિટીસને મૂળમાંથી મટાડશે... લાખો દર્દીઓનું સુગર લેવલ પણ ઘટી ગયું, તમે પણ લઈ શકો છો મુલાકાત

તિરુવરુરઃ આજકાલ સ્ત્રીઓથી લઈને પુરુષો સુધી ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, અને જો તે વધે તો તે માનવ શરીરને અંદરથી ખાલી કરી દે છે. તે હાડકાંથી લઈને ચેતા સુધી, દરેક જગ્યાએથી તેને તોડી નાખે છે. ગમે તેટલી સારવાર કરાવો, જીવનભર દવાઓ તમારો પીછો છોડતી નથી. પણ તેઓ કહે છે કે, જો તમને કોઈ બાબતમાં શ્રદ્ધા હોય તો માત્ર દવા જ નહીં પણ ભગવાન પણ તમારા બધા દુ:ખ દૂર કરી શકે છે.

fallbacks

તમે ભારતમાં ઘણા મંદિરો વિશે સાંભળ્યું હશે જે ઇચ્છા પૂર્ણ કરવા અને રોગોના ઉપચાર વિશે વાત કરે છે, પરંતુ તમે એવા મંદિર વિશે નહીં સાંભળ્યું હોય જે ડાયાબિટીસને સંપૂર્ણપણે નાબૂદ કરે છે. વેન્ની કરુમ્બેશ્વર મંદિર તમિલનાડુના તિરુવરુર નજીક આવેલું છે, જે લાખો લોકોની ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવા માટે જાણીતું છે. ઈન્ફ્લુએન્સરના મતે, અહીં લાખો લોકો ડાયાબિટીસથી મટાડ્યા છે, જો તમારે અહીં જવું હોય તો પહેલા આ મંદિર વિશે જાણો.

શું છે આ મંદિરની કહાની
ધ ટેમ્પલ ગર્લથી ફેમસ ઈન્ફ્લુએન્સરનું કહેવું છે કે જો તમે ડાયાબિટીસથી પીડિત છો તો તમિલનાડુના આ મંદિરની જરૂર મુલાકાત લો. આ મંતિર તિરૂવરૂરની પાસે સ્થિત વેન્ની કરૂંબેશ્વરર મંદિરના નામથી જાણીતું છે. અહીંની શિવલિંગ શેરડીના સાટાથી બાંધેલી લાકડીઓથી બનેલી છે અને ભગવાનને કરૂંબેશ્વરર એટલે કે શેરડીના ભગવાનના નામથી ઓળખવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દી ભગવાનના ચરણોમાં સુગર ચઢાવે છે અને ભગવાનને માત્ર એક પ્રાર્થના કરે છે કે તેને સુગરથી રાહત મળે. લાખો ભક્તોનું કહેવું છે કે આ મંદિરમાં દર્શન કર્યા બાદ તેનું બ્લડ સુગર લેવલ ઘટ્યું છે, તો કેટલાકનું કહેવું છે કે દવાઓની માત્રા ઘટી છે અને કેટલાક મામલામાં સંપૂર્ણ ઠીક થઈ ગયું છે. એટલે કે વિશ્વાસ રાખો તો તમે બીમારી ઠીક કરી શકો છો.

કીડીઓ સુગર ઘટાડે છે
સોશિયલ મીડિયા પર મળેલી બીજી પોસ્ટ મુજબ, ડાયાબિટીસ આજકાલના મુખ્ય રોગોમાંનો એક છે. એવું કહેવાય છે કે ડાયાબિટીસની અસર ઓછી કરવા માટે ભગવાન શિવને સોજી અને ખાંડનો ખાસ પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ મિશ્રણ મંદિરની આસપાસ વેરવિખેર કરવામાં આવે છે જેથી કીડીઓ તેને ખાઈ શકે. એવું માનવામાં આવે છે કે કીડીઓ ખાંડ ખાય છે તેમ આપણા શરીરમાં સુગરનું સ્તર પણ ઘટે છે.

વૈજ્ઞાનિક પણ ચોંકી ગયા
ભારતનું આ એક એવું અનોખું મંદિર છે જે ડાયાબિટીસ જેવી બીમારીને ઠીક કરે છે. આ મંદિર તમિલનાડુના અમ્માપેટ્ટી ગામમાં સ્થિત છે. આ મંદિરમાં 5000 વર્ષ જૂનું શિવલિંગ છે અને કહેવામાં આવે છે કે તેને ખુબ ભગવાન શ્રીકૃષ્ણએ સ્થાપિત કર્યું હતું. આ કારણે લોકોને વિશ્વાસ છે કે આ મંદિરમાં ચમત્કારી શક્તિ છે.

અહીં માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશી લોકો પણ આવે છે અને પોતાની ડાયાબિટીસમાં રાહત મેળવે છે. મંદિરના આ ચમત્કાર પર વૈજ્ઞાનિકોએ પણ રિસર્ચ કર્યું છે. તેણે ટેસ્ટ અને સાજા થયેલા લોકોની જાણકારી લઈને તે સાબિત કર્યું કે અહીં ખરેખર કંઈક અનોખું છે. આ ચમત્કારને જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે.

કીડીઓથી ડોક્ટર અને મુગલ બંને ચોંકી ગયા
તેમ કહેવામાં આવે છે કે ડોક્ટર ખુદ આ વાતની તપાસ કરવા અહીં પહોંચ્યા અને તે પણ ચોંકી ગયા કે જ્યારે તેમણે જોયું કે કીડીઓ દ્વારા ખાંડ ચાખ્યા બાદ જે વ્યક્તિને ડાયાબિટીસ છે તેના શરીરમાં સુગર લેવલ ઘટી ગયું. માત્ર એટલું જ નહીં ડોક્ટરોએ પણ સ્વીકાર્યું કે આ ચમત્કાર સત્ય છે, કારણ કે સુગર લેવલમાં ખરેખર ઘટાડો થયો છે. આ મંદિરની કીડીઓને ભગવાનની કીડીઓ કહેવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે મુગલ શાસક આ મંદિર પર હુમલો કરવા આવ્યા હતા તો આ કીડીઓએ મંદિરની રક્ષા કરી હતી.

મંદિરમાં દર્શનનો સમય અને કઈ રીતે પહોંચશો
મંદિરના દર્શનનો સમય સવારે 8 કલાકથી બપોરે 12 કલાક સુધી અને સાંજે 5 કલાકથી રાત્રે 8 કલાક સુધીનો છે. આ જગ્યા તિરૂવરૂરથી લગભગ 36 કિમી અને તંજાવુરતી આશરે 26 કિમી દૂર છે.

એરપોર્ટઃ પાસેનું એરપોર્ટ ત્રિચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે મંદિરથી આશરે 90 કિમી દૂર છે. એરપોર્ટથી તમે ટેક્સી કે બસ દ્વારા તિરૂવરૂર કે સીધા કોઇલ ચેન્ની પહોંચી શકો છો.
રેલ માર્ગઃ પાસેનું રેલવે સ્ટેશન તિરૂવરૂર જંક્શન છે, જે મંદિરથી લગભગ 23 કિમી દૂર છે. તિરૂવરૂરથી તમે ટેક્સી કે સ્થાનિક બસના માધ્યમથી મંદિર પહોંચી શકો છો.
રોડ માર્ગઃ તિરૂવરૂર, તંજાવુર, કુંભકોણમ અને મન્નારગુડી જેવા શહેરોથી કોઇલ વેન્ની માટે નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. જો તમે ખાનગી વાહનથી યાત્રા કરો છો તો તંજાવુરથી અમ્માપેટ્ટઈ થતાં કોઇલ વેની સુધી પહોંચી શકો છો. અમ્માપેટ્ટઈથી કોઇલ વેન્ની બસ સ્ટોપ પર ઉતર્યા બાદ મંદિર સુધી પહોંચવા 2 કિમીનું અંતર કાપવું પડશે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં જણાવવામાં જાણકારીની વિશ્વસનીયતાની ગેરંટી નથી. અમે માત્ર તમને માહિતી આપી છે. તમે તેને સૂચના તરીકે લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More