Home> Spiritual
Advertisement
Prev
Next

Jagannath Puri: ભારતનું એકમાત્ર મંદિર જ્યાં બને છે મૃત્યુની નજીક હોય તેવા લોકો માટે ખાસ પ્રસાદ, જાણો આ પ્રસાદનું રહસ્ય

Jagannath Puri Mahaprasad: જગન્નાથ પુરી મંદિરમાં ખાસ પ્રકારનો પ્રસાદ ખાસ ભક્તો માટે બને છે. આ અંગે ખૂબ ઓછા લોકો જાણે છે. આ પ્રસાદ સ્વસ્થ લોકો લઈ શકતા નથી. આ પ્રસાદ એવા લોકો માટે બને છે જે મૃત્યુની નજીક હોય.
 

Jagannath Puri: ભારતનું એકમાત્ર મંદિર જ્યાં બને છે મૃત્યુની નજીક હોય તેવા લોકો માટે ખાસ પ્રસાદ, જાણો આ પ્રસાદનું રહસ્ય

Jagannath Puri Mahaprasad: ભારતમાં કેટલાક મંદિર એવા છે જ્યાંના પ્રસાદનો વિશેષ મહિમા છે. જેમાં સૌથી મુખ્ય છે ભગવાન જગન્નાથનું પૂરી સ્થિત મંદિર. જગન્નાથ મંદિરના પ્રસાદને મહાપ્રસાદ ગણવામાં આવે છે. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જગન્નાથ મંદિરના મહાપ્રસાદની ચર્ચા થતી હોય છે. માન્યતા છે કે ભગવાન જગન્નાથના મંદિરમાં પ્રસાદ ગ્રહણ કરવાથી જાણે અજાણે થયેલી બધી જ ભૂલ માફ થઈ જાય છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન જગન્નાથના મંદિરમાં એક ખાસ પ્રકારનો પ્રસાદ પણ બને છે જેને ફક્ત એવા લોકો જ ગ્રહણ કરી શકે છે જે મૃત્યુની નજીક હોય. ભારતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં મૃત્યુની નજીક હોય એવા લોકો માટે ખાસ પ્રસાદ બને છે. આ પ્રસાદનું શું મહત્વ છે ચાલો જાણીએ. 

fallbacks

આ પણ વાંચો: 9 જુલાઈથી શરુ થશે આ રાશિવાળાઓનો ગોલ્ડન ટાઈમ, કલ્પના નહીં કરી હોય ત્યાંથી પણ મળશે ધન

જગન્નાથપુરી મંદિરમાં ભગવાનને જે ભોગ ધરાવવામાં આવે છે તેને મહાપ્રસાદ કહેવામાં આવે છે. આ પ્રસાદનું મહત્વ સૌથી વધારે હોવાનું કારણ છે કે દેવી લક્ષ્મીની અનુમતિ પછી જ ભગવાન માટે આ પ્રસાદ બનતો હોય છે. માન્યતા છે કે આજે પણ દેવી લક્ષ્મી કોઈને કોઈ રીતે સંકેત આપીને પૂજારીઓને પ્રસાદ બનાવવાની સ્વીકૃતિ આપે છે. દૈવીય અંશ હોવાના કારણે જગન્નાથ મંદિરનો પ્રસાદ વિશેષ બની જાય છે. 

આ પણ વાંચો: Budhwar ke Upay: નોકરી-વેપારમાં લાભ માટે બુધવારના દિવસે કરો આ અચૂક ઉપાય

જગન્નાથપુરી મંદિરના મહાપ્રસાદની વિશેષ વાત એ છે કે અહીં જ્યારે પ્રસાદ બનતો હોય છે ત્યારે કોઈ જ સુગંધ આવતી નથી. પ્રસાદ સૌથી પહેલા વિમલા દેવીને ચઢાવવામાં આવે છે ત્યાર પછી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને મહાપ્રસાદનો ભોગ લગાવાય છે. ભગવાનને અર્પણ કર્યા પછી મહાપ્રસાદ ભક્તોમાં વિતરિત કરી દેવામાં આવે છે. આ મહાપ્રસાદનો એક પણ કણ જમીન પર ન પડે તે વાતનું ધ્યાન રાખવું પડે છે. મંદિરની બહાર આ પ્રસાદ લઈ જવાતો નથી. આ પ્રસાદમાં ભાત, દાળ, શાક અને દલીયા જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. 

આ પણ વાંચો: મહિલાઓ રસોઈ કરતી વખતે બસ આ વાતોનું ધ્યાન રાખે તો ઘરમાં દિવસ રાત વધે સુખ-સમૃદ્ધિ

જગન્નાથ મંદિરમાં સુખિલા મહાપ્રસાદ પણ મળે છે જે વિશેષ પ્રકારનો પ્રસાદ હોય છે આ પ્રસાદ સુકો હોય છે. આ સૂકો પ્રસાદ ભક્તો પોતાના ઘરે લઈ જઈ શકે છે અને પરિવારમાં આપી પણ શકે છે. સૂકા પ્રસાદમાં ખસતા વસ્તુઓ, લાડુ અને સૂકી સામગ્રીનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો: જુલાઈ મહિનામાં શનિ, ગુરુ સહિતના ગ્રહોની બદલશે ચાલ, 3 રાશિઓનું ભાગ્ય હશે સાતમા આસમાને

જગન્નાથ મંદિરનો નિર્મલા પ્રસાદ 

જગન્નાથ મંદિર ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં આ ખાસ પ્રકારનો પ્રસાદ બને છે. આ વિશેષ પ્રસાદને સ્થાનિક ભાષામાં નિર્મલા પ્રસાદ કહેવાય છે. આ પ્રસાદ સૂકા ભાતથી બને છે અને તેને કોયલી વૈકુંઠમાં બનાવવામાં આવે છે. કોઈલી વૈકુંઠ મંદિર પાસેની એક જગ્યા છે. આ જગ્યા એ છે જ્યાં ભગવાન જગન્નાથની જૂની પ્રતિમાઓને જમીનમાં સમાહિત કરવામાં આવે છે. આ જગ્યા પર જે પ્રસાદ બને છે તેનું વિશેષ મહત્વ હોય છે. આ પ્રસાદ સામાન્ય લોકો માટે નથી હોતો. 

આ પણ વાંચો: જગન્નાથ પુરી મંદિરમાં દર્શન કર્યા પછી ત્રીજી સીડી પર પગ ન મુકવા પાછળ શું છે કારણ ?

આ પ્રસાદ એવા લોકો જ ગ્રહણ કરી શકે છે જેવો કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત હોય અથવા તો મૃત્યુની નજીક હોય. માન્યતા છે કે ગંભીર રોગથી ગ્રસ્ત કે મરણની નજીક હોય તેવા વ્યક્તિ આ પ્રસાદ ગ્રહણ કરે તો તેના બધા જ પાપનો નાશ થઈ જાય છે અને તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રસાદ ગ્રહણ કરવાથી મૃત્યુનો ભય, ચિંતા અને નકારાત્મક ભાવ દૂર થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More