Rahu Dosh: રાહુ અને કેતુને જ્યોતિષશાસ્ત્રમાં ક્રૂર અને પાપી ગ્રહ કહેવાય છે. જો કુંડળીમાં રાહુ, કેતુ કે પછી શનિની નકારાત્મક સ્થિતિ હોય તો જીવનમાં સમસ્યાઓ એક પછી એક આવતી જ રહે છે. આ ત્રણેય ગ્રહ એવા છે જે શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને રાજા જેવું વૈભવી જીવન આપે છે. પરંતુ જ્યારે આ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો જીવનમાં સમસ્યાઓ વધી જાય છે. ખાસ કરીને જો રાહુ ખરાબ હોય તો જીવનમાં કેટલાક પ્રકારની ઘટનાઓ બને છે તેના પરથી જાણી શકાય છે કે રાહુ અશુભ છે.
આ પણ વાંચો: Guru Margi: વૃષભ રાશિમાં માર્ગી થશે ગુરુ, 5 રાશિને કરાવશે જોરદાર ફાયદા, થશે મોટો લાભ
રાહુ રાક્ષસી સાપનો મુખ્યા ગણાય છે. રાહુ છાયા ગ્રહ છે. છાયા ગ્રહ હોવા છતાં રાહુ વ્યક્તિના જીવન પર સૌથી વધુ અસર કરે છે. રાહુના ગુણ રોગ, શત્રુતા અને ઋણ છે. જો રાહુ બળવાન હોય તો વ્યક્તિ ધાર્મિક હોય છે. અને જો રાહુ ખરાબ હોય તો વ્યક્તિ અનૈતિક કામો કરે છે અને સાથે જ બીમારીઓ કરજ અને નશાની લત લાગી જાય છે.
આ પણ વાંચો: 7 ફેબ્રુઆરીથી 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, સૂર્ય, મંગળ, બુધ સાથે મળી ધન લાભ કરાવશે
ખરાબ રાહુના લક્ષણ
રાહુ ખરાબ હોય તો વ્યક્તિને અનેક બીમારીઓ થઈ શકે છે. જેમ કે પેટ સંબંધિત સમસ્યા, માઈગ્રેન, સંબંધો બગડવા, ભ્રમની સ્થિતિ, નિર્ણય ન લઈ શકવો, આર્થિક નુકસાન, લોકો સાથે તાલમેલનો અભાવ, વાત વાત પર ગુસ્સો આવવો, વાણી કડવી થવી, વાહન દુર્ઘટના, માનહાની, નશાની લત આ બધા ખરાબ રાહુના લક્ષણ છે. આવા લોકો જ્યારે ખરાબ લોકોની સંગતમાં ફસાઈ જાય છે તો ઘરની સંપત્તિ પણ તબાહ કરી નાખે છે.
આ પણ વાંચો: Weekly Horoscope: મેષ અને મિથુન રાશિ માટે આ અઠવાડિયું ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે
રાહુને શાંત કરવાના ઉપાય
રાહુ મનને ભ્રમિત કરે છે. તેથી રાહુ ખરાબ હોય તો વ્યક્તિએ નિયમિત ધ્યાન અથવા યોગ કરવા જોઈએ. આ સાથે જ રોજ ભગવાન શિવની પૂજા કરવી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ભગવાન ભૈરવના મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો કરવાથી પણ રાહુ શાંત થાય છે. આ સિવાય રોજ હનુમાન ચાલીસા વાંચવી. વિવાહિત વ્યક્તિ હોય તો તેને સાસરા પક્ષના લોકો સાથે સંબંધો સારા રાખવા અને નશાથી દૂર રહેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે