Home> Spiritual
Advertisement
Prev
Next

Budh Margi: 7 એપ્રિલથી બુધ માર્ગી થશે બુધ, આ 3 રાશિઓને થશે બમ્પર કમાણી, જીવનમાં આવશે ખુશીઓ

Budh Margi: ગ્રહોના રાશિ પરિવર્તનની અસર દરેક જાતકો પર પડતી હોય છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરતા હોય છે. બુધ 7 એપ્રિલથી માર્ગી અવસ્થામાં રહેશે, જાણો તેનાથી કયા જાતકોને લાભ થશે.

 Budh Margi: 7 એપ્રિલથી બુધ માર્ગી થશે બુધ, આ 3 રાશિઓને થશે બમ્પર કમાણી, જીવનમાં આવશે ખુશીઓ

Budh Margi: જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને શિલ્પ, વાણિજ્ય અને વિદ્યાનો કારક માનવામાં આવે છે. બુધનો સીધો પ્રભાવ બૌદ્ધિક કાર્યો પર પડે છે. બુધની સારી સ્થિતિ વ્યક્તિને તાર્કિક બનાવે છે. બુધ ગ્રહ 7 એપ્રિલથી મીન રાશિમાં માર્ગી ચાલ ચાલશે. બુધના માર્ગી થવાથી કેટલાક જાતકોને 6 મે સુધી શુભ પરિણામ મળવાના છે. કરિયર અને કારોબારમાં આ જાતકોને લાભ થશે. આવો જાણીએ બુધના માર્ગી થયા બાદ કયા જાતકોના જીવનમાં ખુશીઓ આવશે.

fallbacks

વૃષભ રાશિ
બુધ ગ્રહ તમારા એગિયારમાં ભાવમાં માર્ગી ગતિ કરશે. બુધના આ ગોચરથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમારી મહેનત રંગ લાવશે અને જીવનમાં ખુશીઓ આવશે. જો તમે મીડિયા કે ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો જલ્દી નવી સંભાવના બનવાની આશા છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ તમને અનુકૂળ પરિણામ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ યોગ-ધ્યાન અને વ્યાયામ કરવાથી સ્થિતિ સુધરશે.

કન્યા રાશિ
તમારા સપ્તમ ભાવમાં બુધ ગ્રહ માર્ગી થશે. આ ભાવમાં બુધના માર્ગી થવાથી લગ્ન જીવનમાં તમને અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. તમને આર્થિક લાભ પ્રાપ્ત કરવાની તક મળશે. ખોટા ખર્ચથી બચવું પડશે. તમારી તાર્કિક ક્ષમતામાં સુધાર થશે. શિક્ષણના ક્ષેત્રમાં પણ તમને લાભ થશે. જો રોકાણ કર્યું છે તો આ દરમિયાન તમને બમ્પર કમાણી થઈ શકે છે. ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવો.

આ પણ વાંચોઃ ચંદ્ર-ગુરૂની ચાલમાં ફેરફાર આ જાતકો માટે રહેશે શુભ, કરિયર-કારોબારમાં થશે લાભ

વૃશ્ચિક રાશિ
બુધ ગ્રહ તમારા પાંચમાં સ્થાનમાં માર્ગી ચાલ ચાલશે. આ ભાવમાં બુધ હોવાથી શિક્ષણ ક્ષેત્રમાં તમને સિદ્ધિઓ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે સફળ થશો. કેટલાક જાતકોને સરકારી નોકરી મળી શકે છે. કમાણીના નવા સ્ત્રોત મેળવી તમારી આવક વધી શકે છે. તમારી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. તમારા પ્રેમ સંબંધમાં નિખાર આવશે. તમારી વાતોથી પ્રેમ જીવનમાં આવેલા મતભેદો દૂર થઈ શકે છે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More