Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાજીમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઉગેલા જવેરા પરથી કઢાયો વરસાદનો વરતારો, કેવું રહેશે આખું વર્ષ?

Chaitra Navratri 2025 : હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ને આજે ચૈત્રી અષ્ટમી છે. જે આસો માસની નવરાત્રીની દુર્ગાષ્ટમીની જેમ જ મનાવવામાં આવે છે. આ પર્વને લઈ આજે અંબાજી મંદિર પરિસર ભારે ભક્તિમય બન્યું હતું.

અંબાજીમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઉગેલા જવેરા પરથી કઢાયો વરસાદનો વરતારો, કેવું રહેશે આખું વર્ષ?

Chaitra Navratri 2025: ઝી બ્યુરો/અંબાજી: આજે અષ્ઠમીના રોજ ઉત્થાપન દરમિયાન વિશેષ આરતી પણ કરવામાં આવી હતી આઠ દિવસ દરમિયાન મંદિરના સભા મંડપમાં ઘટ્ટ સ્થાપનમાં ઉગેલા જવેરા જોતા આગામી સમય આર્થિક વૃદ્ધિ અને વરસાદની મિશ્ર પરિસ્થિતિ જોવા મળે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. 

fallbacks

કોણ છે ગુજરાતમાં ગાજરની ખેતીના પ્રણેતા? જાણો 95 વર્ષીય ખેડૂતની એક સફળ ગાથા

નવ દિવસની ચૈત્રી નવરાત્રી હવે પૂર્ણતાની આરે છે, ત્યારે આજે ચૈત્રસુદ અષ્ઠમીને અંબાજી મંદિરમાં યાત્રિકોની ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ્ટ સ્થાપન દરમિયાન વાવેલા જવેરાનું આજે ઉત્થાપન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે અષ્ઠમીના રોજ ઉત્થાપન દરમિયાન વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. 

આ વર્ષે પણ ગુજરાતમાં કેરીનો સ્વાદ ખાટો જ રહેવાની શક્યતા! સુકાઈ રહ્યો છે આંબાનો મોર

આઠ દિવસ દરમિયાન મંદિર ના સભા મંડપ માં ઘટ્ટ સ્થાપન માં ઉગેલા જવેરા જોતા આગામી સમય આર્થિક વૃદ્ધિ અને વરસાદની મિશ્ર પરિસ્થિતિ જોવા મળે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. વરસાદ પણ પ્રમાણસર રહેવાનો જવેરાની વૃદ્ધિના આધારે માનવામાં આવી રહ્યું છે, આજે આ ઉત્થાપન દરમિયાન ભટ્ટજી મહારાજે આરતી ઉતારી ગુજરાત સહીત દેશભરમાં સુખશાંતિ સમૃદ્ધિને રોગમુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. 

ગુજરાત સરકારની આ યોજનાનો ઉઠાવો લાભ; વાવાઝોડું કે માવઠામાં પણ ખેડૂતોનો નહીં બગડે પાક

જોકે ચૈત્રી પ્રારંભથી દિવસ દરમિયાન કરાતી ત્રણ ટાઈમની આરતીના બદલે હવે આવતી કાલથી સવાર અને સાંજ બે સમયે જ આરતી કરવામાં આવશે. 

આવી ગઇ અંબાલાલની નવી આગાહી; ગુજરાતમાં ક્યાંક આવશે વંટોળ તો ક્યાંક પડશે કમોસમી વરસાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More