Home> Spiritual
Advertisement
Prev
Next

Shanishchari Amavasya 2025: શનિશ્ચરી અમાસના દિવસે આ 5 કામ કરવા નહીં, કરવાથી લાંબા સમય સુધી ભોગવવા પડશે કષ્ટ

Shanishchari Amavasya 2025: આ મહિનાની અમાસ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. 29 માર્ચ 2025 ના રોજ અમાસની તિથિ છે એટલે કે શનિશ્ચરી અમાસ છે. આ દિવસે શનિ રાશિ પરિવર્તન કરશે અને સૂર્ય ગ્રહણ પણ થવાનું છે. 
 

Shanishchari Amavasya 2025: શનિશ્ચરી અમાસના દિવસે આ 5 કામ કરવા નહીં, કરવાથી લાંબા સમય સુધી ભોગવવા પડશે કષ્ટ

Shanishchari Amavasya 2025: શનિ ગ્રહ 30 વર્ષ પછી મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. 29 તારીખના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે અને આ દિવસે અમાસ પણ છે. સાથે જ આ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે. 29 તારીખે એક સાથે ત્રણ મહત્વની ઘટના બનશે તેથી આ દિવસે કેટલીક ભૂલ કરવાથી બચવું જોઈએ. 29 માર્ચ એટલે કે શનિ અમાસના દિવસે કરેલી આ ભૂલથી લાંબા સમય સુધી શનિનો પ્રકોપ સહન કરવો પડી શકે છે. જેના કારણે જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. 29 તારીખ અને અમાસની તિથિ પર આ ભૂલ કરવાથી કરિયરથી લઈને પારિવારિક જીવન પણ અસ્તવ્યસ્ત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ 29 માર્ચે કઈ ભૂલ કરવી નહીં. 

fallbacks

આ પણ વાંચો: Shani Uday: 9 એપ્રિલથી ચાલશે આ 4 રાશિવાળાઓનું રાજ, શનિ ઉદય થઈને વધારી દેશે ધન, પદ

વાદવિવાદ ટાળો 

29 માર્ચ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ દિવસ. આ દિવસે સૂર્યગ્રહણ થાશે, શનિ રાશિ પરિવર્તન કરશે અને અમાસની તિથિ પણ છે. સૂર્યગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મકતા વધે છે આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનો વાદવિવાદ કરવાથી બચવું જોઈએ આ સમયે વાદવિવાદ કરવાથી માનસિક ચિંતા અને પરેશાની વધી શકે છે. 

આ પણ વાંચો: ધન-વૈભવ આપનાર શુક્ર આ તારીખથી મીન રાશિમાં થશે માર્ગી, પલટી નાખશે 3 રાશિઓનું ભાગ્ય

બહારનું ભોજન ખાવાનું ટાળો 

શનીનું રાશિ પરિવર્તન અને સૂર્યગ્રહણ એક સાથે થવાનું છે આ દિવસે બહારનું ભોજન કરવાનું ટાળવું જોઈએ. બહારના ભોજનને પણ નકારાત્મક ઉર્જા પ્રભાવિત કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કોઈપણ વસ્તુ ખાવી પીવી નહીં. પરંતુ જો ખાવું જરૂરી જ હોય તો ઘરે બનાવેલું ભોજન જ ગ્રહણ કરવું બહારની કે અન્યના ઘરની વસ્તુ ગ્રહણ કરવી નહીં.

આ પણ વાંચો: મીન રાશિમાં શનિ ચાલશે ચાંદીના પાયે, 3 રાશિઓની આવક થશે ચારગણી, નોકરીમાં થશે પદોન્નતિ

યાત્રા કરવાનું ટાળો 

29 માર્ચના દિવસે યાત્રા કરવાથી પણ બચવું જોઈએ. આ દિવસે કરેલી યાત્રાનું શુભ ફળ મળતું નથી. આ દિવસે ઘરે રહીને જ ઈશ્વરનું ધ્યાન અને મંત્રોનો જાપ કરવો જોઈએ. 

આ પણ વાંચો: પુષ્ય નક્ષત્રમાં મંગળનો પ્રવેશ 4 રાશિઓને કરાવશે લાભ, સંપત્તિ વધશે અને કાર્યો થશે સફળ

કાળા રંગના કપડા 

અમાસના દિવસે કાળા કે કોઈપણ ડાર્ક કલરના કપડાં પહેરવાથી પણ બચો. આ દિવસે કાળા કપડા પહેરવાથી શનિની ક્રૂર દૃષ્ટિ તમારા પર પડી શકે છે. જેના કારણે લાંબા સમય સુધી જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દિવસે પીળા રંગના કપડા પહેરો તો વધારે સારું. 

આ પણ વાંચો: Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રી ફળશે આ 3 રાશિને, ધન લાભ થવાની સાથે વધશે સન્માન

દેવી-દેવતાઓની મૂર્તિને સ્પર્શ ન કરો 

ગ્રહણના દિવસે દેવી-દેવતાઓની મૂર્તિને સ્પર્શ કરવો અશુભ ગણાય છે. આ દિવસે ઘરમાં મંદિરને પણ લાલ કે પીળા કપડાથી ઢાંકી દેવું જોઈએ. સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી પૂજા ઘરને ગંગાજળથી શુદ્ધ કરીને પછી જ પૂજા કરવી જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More