રથયાત્રાની તૈયારીઓ શરુ
27 જૂનના ભગવાન જગન્નાથની પરંપરાગત રીતે યાત્રા નીકળશે કે નહિ તેની ચર્ચાઓ ચાલી રહી છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ જગન્નાથ યાત્રા અંગે ઘણાં સવાલો સામે આવ્યા હતાં. હવે આ ચર્ચા પર વિરામ મૂકતાં મંદિર પ્રસાશનના મહેન્દ્ર ઝાએ જણાવ્યું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. મંદિરના મહંત દિલીપદાસ મહારજે કહ્યું કે રથયાત્રાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે અને દર વખતની જેમ પરંપરાગત રીતે નીકળશે. યાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે તેવી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ રથયાત્રા તૈયારીની સમીક્ષા કરીરથયાત્રાની તૈયારી દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બુધવારના રોજ અમદાવાદમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. તેમણે રથયાત્રાની સુરક્ષાની વ્યવસ્થા, અત્યાર સુધી થયેલા આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ન્યાસી ઝા, ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલિસ કમિશ્નર જી એસ મલિક અને શહેર પોલીસના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. અમદાવાદની જગન્નાથ યાત્રા દેશની બીજી સૌથી મોટી રથયાત્રા છે. 18 કિલોમીટર લાંબી આ રથયાત્રાની સુરક્ષા માટે 20-22 હજાર જવાન અને પોલીસ કર્મચારીઓ તૈનાત થાય છે. આટલી લાંબી રથયાત્રામાં સુરક્ષાકાર્યને ચુસ્ત રાખવું ખૂબ જરુરી છે. જેથી એક-દોઢ મહિના પહેલાંથી જ અમદાવાદ પોલીસ અને રાજ્ય સરકાર તરફથી તૈયારીઓ શરુ થઈ હતી.
400 યુવાઓની ટીમ બની
રથયાત્રા પરંપરાગત રીતે અને કડક સુરક્ષા સાથે નીકળે તે માટેની વ્યવસ્થામાં પોલીસ સાથે શાહપુર, કારંજ, માધવપુરા વિસ્તારના 400 યુવાઓની સ્વયંસેવકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. ઝોન-2માં નિયુક્ત ભરત રાઠોડની આગેવાની હેઠળ આ ટીમ તૈયાર કરાઈ છે. બાદ રાઈફલ ક્લબમાં સેક્ટર-1 પોલીસમાં નિયુક્ત નીરજ બડગૂજરએ જરુરી માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન શાંતિ સમિતિના સદસ્ય, પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે