Astro Tips: રોજબરોજના કેટલાક કાર્યોને જો પરંપરા અને વૈદિક નિયમ અનુસાર કરવામાં આવે તો તેનાથી જીવન પર પોઝિટિવ અસરો થાય છે. સનાતન ધર્મમાં એટલા માટે જ મહત્વના કાર્યોને કરવા માટે વૈદિક નિયમોનું પાલન કરવામાં આવે તે વાત પર ભાર મૂકવામાં આવે છે. આવા જ કેટલાક નિયમો ખાવા પીવાની વસ્તુઓને પણ લાગુ થાય છે. જ્યોતિષ નિયમ અનુસાર જો ઘઉં દળાવતી વખતે પણ શુભ-અશુભ દિવસોને ધ્યાનમાં લેવામાં આવે તો જીવનમાં અસરકારક પરિવર્તન ઝડપથી જોવા મળે છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 26 મે 2025: વૃષભ રાશિ માટે આજે સમૃદ્ધિનો દિવસ રહેશે, આવકના સ્ત્રોત વધશે
મોટાભાગના લોકો ઘઉં દળાવતી વખતે આ વાત પર ધ્યાન આપતા નથી. પરંતુ ઘઉં દળવાની પ્રક્રિયાનો સીધો સંબંધ સુખ-સમૃદ્ધિ સાથે હોય છે. તેથી જ ઘઉં કયા દિવસે દળાવવા અને કયા દિવસે ન દળાવવા તે જાણવું જરૂરી છે. જો તમે ઘઉં દળાવવાનું કામ શુભ દિવસે કરો છો તો આર્થિક તંગી અને જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો: આ સપ્તાહ કર્ક રાશિના લોકોને ઉત્તમ ફળ પ્રદાન કરનારું, કુંભ અને મીન રાશિએ સંભાળવું
જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો અનુસાર ઘઉં દળાવવામાં માટે સૌથી શુભ દિવસ સોમવાર અથવા તો શનિવાર હોય છે. સપ્તાહના આ બે દિવસ દરમિયાન તમારી સુવિધા અનુસાર તમે ઘઉં દળાવી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં તો એવું પણ કહેવાયું છે કે જ્યારે તમે ઘઉં દળાવવા જાવ અથવા તો ઘરે ઘઉં દળતા હોય તો તેમાં તુલસીના 11 પાન ઉમેરી દેવા જોઈએ. આ સિવાય ઘઉં સાથે જોડાયેલા કેટલાક ચમત્કારી ઉપાયો પણ છે જેને અપનાવવાથી પણ જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: 27 મે થઈ ઉત્તરમુખી થશે બુધ, વૃષભ સહિત 3 રાશિઓ પર ભગવાન કુબેર બે હાથે ધન લુંટાવશે
ઘઉંની પોટલી
એક લાલ રંગના કપડામાં ઘઉંના થોડા દાણા રાખો અને તેમાં કેસરના બે તાંતણા રાખો. હવે આ પોટલીને મંદિર લઈ જાઓ અને ભગવાન સામે રાખી ભગવાનની પૂજા કરી સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. ત્યાર પછી આ ઘઉં ઘરે લઈ આવો અને જે ઘઉં દળાવવાના હોય તેમાં મિક્સ કરીને લોટ બનાવી લો.
આ પણ વાંચો: જૂન મહિનામાં શક્તિશાળી બનશે બુધ, જાણો કઈ રાશિઓને કરિયર, ધનમાં વિશેષ લાભ કરાવશે
આર્થિક તંગી દૂર કરવાનો ઉપાય
જો તમે આર્થિક સમસ્યામાં ફસાયેલા છો અને કરજ ઉતારવું છે તો આ સ્થિતિમાં ઘઉં દળાવો તે પહેલા તેમાં કેસર, તુલસી અને કાળા ચણા મિક્સ કરો. આ વસ્તુઓ ઉમેરી શનિવારના દિવસે ઘઉં દળાવો.
આ પણ વાંચો: ગ્રહ ગોચરના કારણે 5 રાશિઓ માટે જૂન મહિનો શુભ, અટકેલા કામ પુરા થશે, આર્થિક લાભ પણ થશે
ઘઉં અને હળદર
ધાર્મિક નિષ્ણાંતો અનુસાર જો ઘરમાં પૈસા આવતા હોય પણ ટકતાં ન હોય તોદર ગુરુવારે આ કામ કરો. તેના માટે ઘઉંના લોટમાં હળદર મિક્સ કરી લોટ બાંધી અને રોટલી બનાવો. આ પીળી રોટલી ગાયને ખવડાવો. દર ગુરુવારે આ કામ કરવાથી આવકના સ્થાયી સ્ત્રોત ઊભા થશે અને ઘરમાં ધનની આવક વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે