Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Dhaiya 2025: વર્ષ 2025 આ રાશિઓ માટે વરદાન સમાન, શનિની ઢૈય્યા પુરી થતા સુખના દિવસો શરુ થશે

Shani Dhaiya 2025: જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 માં શનિ દેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. શનિના આ રાશિ પરિવર્તનથી 2 રાશિની ઢૈયા પુરી થશે અને તેમને લાભ મળવાની શરુઆત થઈ જશે. 

Shani Dhaiya 2025: વર્ષ 2025 આ રાશિઓ માટે વરદાન સમાન, શનિની ઢૈય્યા પુરી થતા સુખના દિવસો શરુ થશે

Shani Dhaiya 2025: વર્ષ 2025 ની શરૂઆત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. વર્ષ 2025 જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ હશે. વર્ષ 2025 માં શનિનું મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન થવાનું છે. નવા વર્ષમાં જ્યારે શનિ રાશિ પરિવર્તન કરશે ત્યાર પછીનો સમય બે રાશિ માટે અત્યંત ખાસ બની જશે. કારણ કે એ આ 2 રાશિના લોકોને ઢૈયાના પ્રભાવથી મુક્તિ મળી જશે. ઢૈયા પૂરી થતાં આ રાશિના લોકોના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખના રસ્તા પણ ખુલી જશે. તો ચાલો તમને જણાવીએ કે વર્ષ 2025 માં શનિના ગોચરથી કઈ બે રાશિના લોકોને લાભ થવાનો છે. 

fallbacks

આ પણ વાંચો: વર્ષ 2025 માં આ રાશિઓ પર મહેરબાન રહેશે બુધ ગ્રહ, નવા વર્ષમાં ધનથી છલોછલ રહેશે તિજોરી

2 રાશિઓની ઢૈયા શરુ થશે 

પંચાંગ અનુસાર વર્ષ 2025માં 29 માર્ચે ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે તેના કારણે ઢૈયાનું ગણિત બદલી જશે. જ્યોતિષગણના અનુસાર શનિના મીન રાશિમાં પ્રવેશ સાથે જ સિંહ અને ધન રાશિની ઢૈયા શરૂ થઈ જશે. જેથી આ રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવી પડશે. 

આ પણ વાંચો: ગરીબમાં ગરીબને પણ રાતોરાત કરોડપતિ બનાવી શકે છે રાહુ, જાણો રાહુને પ્રસન્ન કરવાના ઉપાય

કર્ક અને વૃશ્ચિક માટે વર્ષ 2025 શુભ

શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે તો કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો ઢૈયાથી મુક્ત થઈ જશે. વર્ષ 2025 માં આ બે રાશિનો ઢૈયાનો પ્રભાવ પૂર્ણ થઈ જશે જેના કારણે તેઓ સમસ્યાઓથી પણ મુક્ત થઈ જશે. શનિના રાશિ પરિવર્તન પછી આ રાશિના લોકોને જબરદસ્ત ફાયદા થવા લાગશે અને તેમની સફળતાઓનો સમય શરૂ થશે. 

આ પણ વાંચો: વર્ષ 2025 આ 5 રાશિઓને અપાર ધન અપાવશે રાહુ-કેતુ, નવા વર્ષમાં થશે લાભ જ લાભ

વર્ષ 2025 માં આ રાશિ ઉપર મહેરબાન હશે શનિદેવ 

કર્ક રાશિ 

વર્ષ 2025 માં કર્ક રાશિના લોકો પર શનિની વિશેષ કૃપા રહેશે. આ રાશિનો ઢૈયાનો પ્રભાવ પૂરો થઈ જશે જેના કારણે આ રાશિના લોકોને આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરવા લાગશે. ધન સંચય કરવામાં સફળતા મળશે. વધારાના ખર્ચ પર કાબુ આવશે. બેંક બેલેન્સ વધશે. પારિવારિક જીવન સુખમય રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. સંબંધોમાં વધુતા આવશે. કારોબારનો વિસ્તાર થશે 

આ પણ વાંચો: મૂલાંક 9 ના લોકો માટે વર્ષ 2025 અત્યંત લકી, મળશે ધનલાભ, કારર્કિદી માટે ઉત્તમ વર્ષ

વૃશ્ચિક રાશિ 

મીન રાશિમાં શનિના પ્રવેશથી વૃશ્ચિક રાશિની ઢૈયા પણ પૂરી થઈ જશે. આ રાશિના લોકોના ધન ધાન્યમાં વધારો થશે. નવા વર્ષમાં રોકાણ લાભકારી સિદ્ધ થશે. અગાઉ કરેલા રોકાણથી પણ ભરપૂર લાભ નવા વર્ષમાં મળી શકે છે. વેપારમાં આર્થિક સ્થિતિ સુધરશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More