Home> Sports
Advertisement
Prev
Next

આ તે કેવા છૂટાછેડા...ખોટા દાવા કે સાચો પ્રેમ, ચહલ અને ધનશ્રીના છૂટાછેડામાં કંઈક તો ગડબડ છે

Yuzvendra Chahal-Dhanashree divorce : ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે 20 માર્ચે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા હતા. ચહલ અને ધનશ્રીના લગ્ન વર્ષ 2020માં થયા હતા. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને 2022થી સાથે નથી રહેતા.

આ તે કેવા છૂટાછેડા...ખોટા દાવા કે સાચો પ્રેમ, ચહલ અને ધનશ્રીના છૂટાછેડામાં કંઈક તો ગડબડ છે

Yuzvendra Chahal-Dhanashree divorce : એવું કહેવાય છે કે લગ્નનું બંધન સાત જીવન સુધી રહે છે. તે સંબંધોની એક ગાંઠ છે જે માત્ર બે લોકોને જ નહીં પરંતુ એક પરિવાર અને ઘણી બધી લાગણીઓને પણ બાંધે છે. ખાસ કરીને જો તમે સેલિબ્રિટી સ્ટેટસ ધરાવનાર વ્યક્તિ છો, તો તમારા ચાહકો પણ તમારા સંબંધ સાથે જોડાઈ જાય છે. આવું જ કંઈક ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે થયું. બંનેના પોતાના અલગ-અલગ ફેન બેઝ છે, પરંતુ ચહલ અને ધનશ્રીના છૂટાછેડા બાદ તેમના ચાહકો છેતરાયાનો અહેસાસ કરી રહ્યા છે.

fallbacks

IPL Controversy : IPLના 8 મોટા વિવાદ, જેણે ક્રિકેટ જગતને આપ્યો મોટો આંચકો

2022થી સાથે નથી, પરંતુ IPL 2023માં ધનશ્રી ચહલને ચીયર કરતી જોવા મળી હતી

20 માર્ચે જ્યારે મુંબઈ બાંદ્રા ફેમિલી કોર્ટમાં તેમના છૂટાછેડાનો ફેંસલો આવ્યો ત્યારે ચહલના વકીલ નીતિન ગુપ્તાએ તેમની અરજીમાં કહ્યું હતું કે તે 2022થી ચહલ અને ધનશ્રી સાથે નથી રહેતા, પરંતુ હવે અરજીમાં જે દાવા કરવામાં આવી રહ્યા છે તે ઘણી હદ સુધી ખોટા હોવાનું જણાય છે. આનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો અને ટીવી રિયાલિટી શોમાં ધનશ્રી અને ચહલનું સાથે દેખાવું છે. હવે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો IPL 2023નો છે જ્યારે તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો હતો.

 

જ્યારે પણ ધનશ્રી મારી સાથે હોય છે ત્યારે મારો આત્મવિશ્વાસ વધે છે : ચહલ

IPL 2023 દરમિયાન રાજસ્થાન રોયલ્સ માટે ઈન્ટરવ્યુ આપતા ચહલે કહ્યું હતું કે, જ્યારે પણ ધનશ્રી મારી સાથે હોય છે ત્યારે મારો આત્મવિશ્વાસ વધે છે. મને તેની પાસેથી સકારાત્મક ઉર્જા મળે છે. જ્યારે તમારા પોતાના લોકો ઉત્સાહિત હોય ત્યારે સારું લાગે છે. ધનશ્રી મારી બોલિંગને સારી રીતે સમજે છે. તે જાણે છે કે હું શું કરવાનો છું. તે સારી વાત છે કે તે મારી સાથે છે અને અન્ય કોઈ ટીમ સાથે નથી.

આ ઈન્ટરવ્યુ સિવાય ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વર્ષ 2024માં ટીવી રિયાલિટી શો ઝલક દિખલા જામાં પણ જોવા મળ્યા હતા. ધનશ્રી અને ચહલે આ શોમાં એકસાથે પરફોર્મ કર્યું હતું અને તેમનું બોન્ડિંગ અદ્ભુત લાગતું હતું, પરંતુ આ પછી અચાનક જ તેમના સંબંધોમાં ખટાશની ચર્ચા થઈ હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચહલ અને ધનશ્રી 2022થી જ અલગ રહેવા લાગ્યા હતા. હવે આને લઈને ચાહકોમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો જોવા મળી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More