Home> Sports
Advertisement
Prev
Next

17મી ઓવરમાં બે વખત આઉટ હતો જીતેશ શર્મા છતાં અમ્પાયરે કેમ ના આપ્યો OUT ? દિગ્વેશ રાઠીની ના ચાલી ચાલાકી

LSG vs RCB : લખનૌમાં IPL 2025ની એક રોમાંચક મેચ યોજાઈ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપરજાયન્ટ્સને હરાવ્યું. ઋષભ પંતે અણનમ 118 રન બનાવ્યા, પરંતુ ટીમ જીતી શકી નહીં. જીતેશ શર્માએ 33 બોલમાં 85 રન બનાવીને RCBને જીત અપાવી.

17મી ઓવરમાં બે વખત આઉટ હતો જીતેશ શર્મા છતાં અમ્પાયરે કેમ ના આપ્યો OUT ? દિગ્વેશ રાઠીની ના ચાલી ચાલાકી

LSG vs RCB : RCBની ટીમે IPL 2025માં ઐતિહાસિક પ્રદર્શન કર્યું. RCB પોતાના ઘરની બહાર એક સિઝનમાં સૌથી વધુ સતત 7 મેચ જીતનાર ટીમ સાબિત થઈ. આ પ્રકારની સિદ્ધિ મેળવનારી આ પહેલી ટીમ છે. RCBએ IPLના ઇતિહાસમાં ત્રીજી વખત લખનૌ સામે 6 વિકેટથી જીત મેળવીને ક્વોલિફાય કર્યું છે. આ પહેલા 2011, 201માં પણ ટીમ ક્વોલિફાયરમાં પહોંચી હતી. હવે RCBની ટીમ ટ્રોફીથી માત્ર 2 ડગલા દૂર છે. ક્વોલિફાયર-1માં ટીમ 29 મેના રોજ પંજાબ કિંગ્સનો સામનો કરશે.

fallbacks

IPL વચ્ચે KKRની 'શરમજનક' હરકત, ચાહકો ભડક્યા, શ્રેયસ ઐયરે આ રીતે આપ્યો જવાબ

17મી ઓવરમાં જોરદાર ડ્રામા જોવા મળ્યો 

લીગ સ્ટેજની છેલ્લી મેચમાં લખનૌ અને આરસીબી વચ્ચે કટ્ટર સ્પર્ધા જોવા મળી હતી. ઋષભ પંતના અણનમ 118 અને મિશેલ માર્શના 67 રનના કારણે લખનૌએ સ્કોરબોર્ડ પર 227 રન બનાવ્યા હતા. આરસીબીએ 123 રનના સ્કોર પર તેના 4 બેટ્સમેન ગુમાવી દીધા હતા અને મેચ લખનૌના નિયંત્રણમાં હતી. પરંતુ ખરો ડ્રામા તો 17મી ઓવરમાં જોવા મળ્યો.

 

દિગ્વેશ રાઠીએ 17મી ઓવરના પહેલા બોલે જીતેશને તેની સ્પિનમાં ફસાવ્યો અને નોટબુક સેલિબ્રેશન પણ કર્યું. પરંતુ બાદમાં તે નો બોલ હોવાનું સામે આવ્યું. આ પછી ઓવરના પાંચમા બોલ પર દિગ્વેશે હોશિયારી બતાવી અને નોન-સ્ટ્રાઈક પર ઉભેલા જીતેશ શર્મા ક્રીઝ છોડીને જતાની સાથે જ બોલને વિકેટમાં માર્યો. દિગ્વેશે અમ્પાયરને અપીલ પણ કરી અને અમ્પાયરે થર્ડ અમ્પાયર તરફ ઈશારો કર્યો. જિતેશ બહાર જતો હતો, ત્યાં ઋષભ પંતે દરમિયાનગીરી કરી અને અપીલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો. જો કે, થર્ડ અમ્પાયરે પણ જીતેશને નોટ આઉટ જાહેર કર્યો. દિગ્વેશની આ હરકત પર વિરાટ પણ ડ્રેસિંગ રૂમમાં ગુસ્સે દેખાતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More