Home> Sports
Advertisement
Prev
Next

વિશ્વ ક્રિકેટનો તે 'બદનામ ક્રિકેટર', જેનાથી 'ક્રિકેટના ભગવાન' પણ ડરતા હતા, પ્લેન ક્રેશમાં થયું હતું મોત

Hansie Cronje Story: હીરોથી વિલન બનેલા હેન્સી ક્રોનિએનું મોત પ્લેન દુર્ઘટનામાં થયું હતું. 32 વર્ષની ઉંમરમાં પોતાના કરિયરના નાટકીય પતનના 26 મહિના બાદ તેનું મોત થયું હતું.
 

 વિશ્વ ક્રિકેટનો તે 'બદનામ ક્રિકેટર', જેનાથી 'ક્રિકેટના ભગવાન' પણ ડરતા હતા, પ્લેન ક્રેશમાં થયું હતું મોત

The Hansie Cronje Story: અમદાવાદ (Ahmedabad Plane Crash) માં બનેલી ઘટના ઇતિહાસની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનાઓમાંની એક હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ વસ્તીવાળા વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન એરપોર્ટની સીમા ઓળંગીને નજીકના મેઘાણી નગર વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજ હોસ્ટેલમાં અથડાયું. એક મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો, પરંતુ વિમાનમાં સવાર બાકીના 241 લોકો, જેમાં કેબિન ક્રૂનો પણ સમાવેશ થાય છે, મૃત્યુ પામ્યા. આ ઘટના વિશ્વભરના અન્ય જીવલેણ વિમાન દુર્ઘટનાઓની યાદ અપાવે છે. તેવી જ રીતે, ચાહકો 2002 માં ચાર્ટર્ડ ફ્લાઇટ દુર્ઘટનામાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએના મૃત્યુને યાદ કરી રહ્યા છે.

fallbacks

સાઉથ આફ્રિકાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હેન્સી ક્રોનિઓનું મોત વિમાન દુર્ઘટનામાં થયું હતું. પરંતુ ક્રોનિઓના મોતનો માતમ વિશ્વ ક્રિકેટે વધુ ન મનાવ્યો કારણ કે આ ક્રિકેટરે મેચ ફિક્સિંગની વાત સ્વીકાર કરી લીધી હતી અને તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જૂન 2002મા એક ભયાનક દુર્ઘટનામાં ક્રોનિએનું મોત થઈ ગયું હતું. 

મહાન કેપ્ટનોમાંથી એક રહ્યો
હેન્સી ક્રોનિએની ગણના (Hansie Cronje) સાઉથ આફ્રિકાના મહાન કેપ્ટનોમાં થાય છે. તેના તરફથી મેદાન પર બનાવવામાં આવેલી રણનીતિ ખૂબ સફળ રહેતી હતી. ગ્રીમ સ્મિથ પહેલા ક્રોનિએને મહાન કેપ્ટન માનવામાં આવતો હતો. ક્રોનિએની આગેવાનીમાં આફ્રિકાએ 1998મા પ્રથમવાર આઈસીસી ટૂર્નામેન્ટ જીતી હતી. ક્રોનિએની આગેવાનીમાં આફ્રિકાએ ભારતને 1987 બાદ તેની ધરતી પર 2-0થી ટેસ્ટ સિરીઝમાં હરાવવાનો કમાલ પણ કર્યો હતો. ક્રોનિએએ 53 ટેસ્ટ અને 138 વનડેમાં આફ્રિકાનું નેતૃત્વ કર્યું, તેમાંથી ટીમે 27 ટેસ્ટ અને 99 વનડે મેચ જીતી હતી.

1998ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી (ત્યારે ICC નોકઆઉટ) જીતવા સિવાય સાઉથ આફ્રિકીની ટીમ તેની આગેવાનીમાં 1999ના વિશ્વકપ સેમીફાઈનલમાં પહોંચી હતી. આ ઓલરાઉન્ડરે 68 ટેસ્ટ અને 188 વનડેમાં આઠ સદીની મદદથી 9000થી વધુ રન બનાવ્યા હતા.

ક્રોનિએની બોલિંગથી ડરતા હતા સચિન તેંડુલકર
ક્રિકેટના ભગવાન મનાતા સચિન તેંડુલકર હેન્સી ક્રોનિએની બોલિંગને ક્યારેય સમજી શક્યા નહીં. સચિને એક વખત તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેંડુલકરે ક્રોનિએની બોલિંગને લઈને કહ્યુ હતુ- ઈમાનદારીથી કહું તો હેન્સીએ મને કોઈ અન્ય બોલરથી વધુ પરેશાન કર્યો. જ્યારે પણ અમે સાઉથ આફ્રિકા સામે રમતા તો હેન્સી મને હંમેશા આઉટ કરવામાં એલેન ડોનલ્ડ કે શોન પોલોકથી આગળ રહેતો હતો.

આ પણ વાંચોઃ IND vs ENG : શુભમન ગિલનું વધ્યું ટેન્શન...ICCનો આ નિયમ તોડવા બદલ મળી શકે છે સજા !

મેચ ફિક્સિંગનો લાગ્યો આરોપ અને કરિયર બરબાદ થઈ ગયું (The Hansie Cronje Match Fixing Scandal)
ક્રોનિએ હીરોમાંથી વિલન બનવામાં વધુ સમય લાગ્યો ન હતો, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જનાર હીરો અચાનક દેશનો વિલન બની ગયો હતો. તેના પર 1998માં ભારત સામે રમાયેલી મેચ ફિક્સ કરવાનો આરોપ હતો. નિકી બોજે પર પણ આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે આ કેસમાં ફસાયો ન હતો. શરૂઆતમાં ક્રોનિએએ ભારતીય બુકીઓ પાસેથી મેચ ફિક્સ કરવા માટે પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ બાદમાં તેણે તે કબૂલ્યું. તેણે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ સામે પોતાની સામેના આરોપો સ્વીકાર્યા. બંને પક્ષો વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ પણ પ્રકાશમાં આવ્યું.

બાદમાં કિંગ કમિશનની તપાસ દરમિયાન, ક્રોનિએ ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલ્યો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટનને તેના ગુના માટે કડક સજા ભોગવવી પડી કારણ કે ICCએ તેના પર આજીવન ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. હેન્સી ક્રોનિએએ ICCના કિંગ કમિશન સમક્ષ કબૂલાત કરી હતી કે "જો તેની ટીમ ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતની જીત સુનિશ્ચિત કરવા માટે છેલ્લા દિવસે વિકેટ ગુમાવે છે, તો તેને 30 હજાર ડોલર મળશે."

પ્લેન દુર્ઘટનામાં થયું મોત
હીરોથી વિલન બનેલા હેન્સી ક્રોનિએનું મોત પ્લેન દુર્ઘટનામાં થયું હતું. 32 વર્ષની ઉંમરમાં પોતાના કરિયરના નાટકીય પતનના માત્ર 26 મહિના બાદ ક્રોનિએનું આફ્રિકાના પશ્ચિમી કેપના એક ગામ જોર્જની નજીક એક વિમાન દુર્ઘટનામાં મૃત્યું થયું હતું.... અને ક્રોનિએનું નામ ક્રિકેટ ઈતિહાસના પાનામાં ગુમનામ રહી ગયું.

પત્નીએ કર્યા બીજા લગ્ન
સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએની પત્ની રહેલી બર્થા ક્રોનિએએ હેન્સીના મોત બાદ બીજા લગ્ન કર્યા હતા. તેણે જોર્જના ઓડિટર જેક્સ ડુ પ્લેસિસ સાથે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. હેન્સી અને બર્થા સાત વર્ષ સુધી પરીણિત રહ્યાં પરંતુ તેને કોઈ સંતાન નહોતું. 2002મા ક્રોનિએના મોત બાદ બર્થાએ 2003મા બીજા લગ્ન કર્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More