Home> Sports
Advertisement
Prev
Next

Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ વરસાદના કારણે રદ થાય તો કઈ ટીમ બનશે વિજેતા - ભારત કે ન્યુઝીલેન્ડ ?

Champions Trophy Final Ind vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 માર્ચે રમાશે. ફાઈનલ પહેલા લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો કઈ ટીમ ટ્રોફી જીતશે. ત્યારે આ લેખમાં અમે તમને જો મેચ રદ થાય તો ICCના નિયમો શું કહે છે, તેના વિશે જણાવીશું.

Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ વરસાદના કારણે રદ થાય તો કઈ ટીમ બનશે વિજેતા - ભારત કે ન્યુઝીલેન્ડ ?

Champions Trophy Final Ind vs NZ : દુબઈનું ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ માટે તૈયાર થઈ રહ્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ અહીં 9 માર્ચે રમાશે. આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો એક વખત આમને-સામને આવી ચૂકી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. ત્યારે હવે આ બંને ટીમો વચ્ચે દુબઈમાં ફાઈનલ રમાવાની છે, ત્યારે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો હશે કે જો ફાઈનલ મેચમાં વરસાદ પડે અને મેચ રદ થાય તો કઈ ટીમ વિજેતા ગણાશે ? તો આ લેખમાં અમે તમારા આ સવાલનો જવાબ આપીશું. 

fallbacks

મોહમ્મદ શમીએ રોઝા ન રાખીને ગુનો કર્યો...બરેલીના મૌલાના ભડક્યા

કઈ ટીમ બનશે વિજેતા ?

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં હજુ પણ અજેય છે. ભારતે તેના લીગ તબક્કાની ત્રણેય મેચો જીત્યા પછી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે માત્ર એક મેચ હારી છે. મતલબ કે સ્પર્ધા કઠિન થવાની શક્યતા છે. હવે વાત કરીએ વરસાદ અને હવામાનની તો, Accuweather ના રિપોર્ટ મુજબ દુબઈમાં 9 માર્ચે વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ જો વરસાદ પડે અને મેચ ના રમાય તો ICCએ આ માટે રિઝર્વ ડેની પણ વ્યવસ્થા કરી છે. એટલે કે જો મેચ 9 માર્ચે ન થઈ શકે તો તે 10 માર્ચે યોજાશે. 

રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે તો...

2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને શ્રીલંકાએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તે દરમિયાન બંને દિવસે મેચ થઈ શકી ન હતી. ત્યારબાદ ICCના નિયમો મુજબ બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. વરસાદ પડશે તો આ વખતે પણ આવું જ કંઈક થશે. આઈસીસીના મતે ફાઈનલ મેચ પૂર્ણ થવી જોઈએ. જો આ શક્ય ન હોય તો સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. અહીં અગાઉ રમાયેલી મેચોના આધારે નિર્ણય લેવામાં આવશે નહીં. મેચના દિવસે જે ટીમ જીતશે તે જીતશે. જો કે, વરસાદ ન હોય તો સારું. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને આઈસીસીએ ફાઈનલ અને સેમીફાઈનલ માટે અનામત દિવસોની પણ વ્યવસ્થા કરી છે.

ડ્રેસિંગ રૂમમાં સૂઈ ગયો પાકિસ્તાની બેટ્સમેન, અમ્પાયરે આપ્યો 'આઉટ'

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 25 વર્ષ બાદ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર

ભારત અને ન્યુઝીલેન્ડ અત્યાર સુધીમાં 119 ODI મેચોમાં સામસામે આવી ચુક્યા છે. તેમાંથી ભારતે 61 મેચ જીતી છે જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ 50 મેચ જીતવામાં સફળ રહી છે. સાત મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી, જ્યારે એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ન્યુઝીલેન્ડ પર ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં ન્યુઝીલેન્ડનો વિજય થયો હતો. આ પછી હવે એટલે કે લગભગ 25 વર્ષ બાદ ફરી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More