Home> Sports
Advertisement
Prev
Next

CSK vs PBKS : જીતનો જશ્ન હજુ ચાલી રહ્યો હતો અને...BCCIએ પંજાબ કિંગ્સના કેપ્ટન સામે કરી કાર્યવાહી

Shreyas Iyer : ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં પંજાબે ચાર વિકેટથી જીત મેળવી હતી. આ જીત બાદ પણ પંજાબ કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. BCCIએ ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર સામે કાર્યવાહી કરી છે. 

CSK vs PBKS : જીતનો જશ્ન હજુ ચાલી રહ્યો હતો અને...BCCIએ પંજાબ કિંગ્સના કેપ્ટન સામે કરી કાર્યવાહી

Shreyas Iyer : IPL 2025ની 49મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું અને ધોનીની ટીમને પ્લેઓફમાંથી બહાર ફેંકી દીધી. પંજાબની જીતના હીરો યુઝવેન્દ્ર ચહલ, પ્રભસિમરન સિંહ અને કેપ્ટન શ્રેયસ ઐયર હતા. ચહલે હેટ્રિક લીધી જ્યારે કેપ્ટન ઐયર અને પ્રભસિમરન સિંહે શાનદાર અડધી સદી ફટકારી હતી. જીતની ઉજવણી વચ્ચે BCCIએ શ્રેયસ ઐયર સામે મોટી કાર્યવાહી કરી છે. 

fallbacks

ઐયરને દંડ ફટકારવામાં આવ્યો

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને CSK સામે સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ઐયરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ટુર્નામેન્ટની આચારસંહિતા હેઠળ IPL 2025માં પંજાબ કિંગ્સનો આ પહેલો સ્લો ઓવર-રેટ ગુનો હતો. 19મી ઓવર શરૂ થાય તે પહેલાં પંજાબ કિંગ્સને સર્કલની અંદર એક વધારાનો ખેલાડી લાવવાની ફરજ પડી હતી.

ચહલની હેટ્રિક પર આરજે મહવશે આ રીતે વરસાવ્યો પ્રેમ, વાયરલ થઈ રહ્યું છે રિએક્શન

આ કેપ્ટનોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે

આ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત, શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ), અક્ષર પટેલ (દિલ્હી કેપિટલ્સ), સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ), રજત પાટીદાર (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર), રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ) અને હાર્દિક પંડ્યા (મુંબઈ ઇન્ડિયન્સ) ને આ સિઝનમાં સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

પંજાબની ટીમ બીજા સ્થાને પહોંચી

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું. તેણે 32 રન આપીને 4 વિકેટ લીધી. ચહલે IPL 2025ની પહેલી હેટ્રિક પણ લીધી. મોટા સ્કોર તરફ આગળ વધી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સને ચહલની શાનદાર બોલિંગના આધારે પંજાબે 190 રન પર રોકી દીધી. આ જીત સાથે પંજાબ કિંગ્સે 10 મેચમાં છઠ્ઠી જીત નોંધાવી અને 13 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું. પંજાબે પોઈન્ટ ટેબલમાં ત્રણ ટીમોને પાછળ છોડી દીધી છે.

CSK બહાર થયું 

CSK પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે, કારણ કે તે 10 મેચમાંથી ફક્ત બે જીત સાથે ટેબલમાં સૌથી નીચે છે. CSK એ આ સિઝનની શરૂઆત જીત સાથે કરી. પરંતુ ત્યાર બાદ રમાયેલી મેચોમાં નબળી બેટિંગ અને બોલિંગને કારણે તે ઘરઆંગણે સતત હારતું રહ્યું છે. ચેપોક પર એક સમયે પ્રભુત્વ ધરાવતું CSK આ સિઝનમાં પોતાનો કિલ્લો બચાવવામાં નિષ્ફળ ગયું છે. તેને સતત 5 હારનો સામનો કરવો પડ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More