KKR New Captain : કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા IPLની આગામી સીઝન માટે ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. રહાણેને IPLમાં કેપ્ટનશિપનો લાંબો અનુભવ છે. તે અગાઉ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતાએ વેંકટેશ અય્યરને વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે.
કપિલ શર્મા સાથે કનેક્શન, પરદાદા હિન્દુ....આ પાકિસ્તાની ક્રિકેટરે ખોલ્યું મોટું રહસ્ય
રહાણેએ શું કહ્યું ?
કેપ્ટન બન્યા બાદ અજિંક્ય રહાણેએ કહ્યું કે KKRનું નેતૃત્વ કરવું એ મારા માટે સન્માનની વાત છે, KKR IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાંની એક રહી છે. મને લાગે છે કે અમારી પાસે એક ઉત્તમ અને સંતુલિત ટીમ છે. હું દરેક સાથે કામ કરવા અને ટાઈટલ બચાવી રાખવાનો પડકાર ઝીલવા આતુર છું. KKR તેના IPL 2025 અભિયાનની શરૂઆત 22 માર્ચના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચથી કરશે.
વેંકી મૈસૂરનું નિવેદન
KKRના CEO વેંકી મૈસૂરે કહ્યું કે, અમને અજિંક્ય રહાણે જેવી વ્યક્તિ મળવાથી આનંદ છે, કારણ કે તે એક લીડર તરીકે અનુભવ અને પરિપક્વતા ધરાવે છે. આ ઉપરાંત, વેંકટેશ અય્યર KKR માટે ફ્રેન્ચાઇઝી ખેલાડી છે અને ઘણા નેતૃત્વ ગુણો ધરાવે છે. અમને વિશ્વાસ છે કે અમે અમારા ટાઇટલ બચાવવાની સાથે સારી શરૂઆત કરીશું.
વરુણ ચક્રવર્તી નહીં, પણ આ ખેલાડી હતો 'મેન ઓફ ધ મેચ'નો અસલી દાવેદાર
કોલકાતાની ટીમ ત્રણ વખત ટાઈટલ જીતી ચૂકી છે
KKRની ટીમ ચાર વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની છે. તેણે 2012, 2014 અને 2024માં આ ખિતાબ જીત્યો હતો. ગયા વર્ષે શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં ટીમે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ટાઈટલ જીત્યું હતું. અય્યર હવે ટીમમાં નથી. તે આગામી સિઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે