Home> Sports
Advertisement
Prev
Next

દિલ્હી સામે હાર્યા બાદ મેદાનમાં ઉતર્યા LSGના માલિક સંજીવ ગોયન્કા, રિષભ પંતનો લીધો ક્લાસ ? કેએલ રાહુલની આવી યાદ

Delhi Capitals vs Lucknow Super Giants : લખનૌ સુપર જાયન્ટ્સને પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે લખનૌ તરફી લાગી રહેલી મેચમાં અચાનક ટર્નિગ પોઈન્ટ આવ્યો અને દિલ્હી કેપિટલ્સે મેચ જીતી લીધી. મેચ હાર્યા બાદ LSGના માલિક સંજીવ ગોયન્કા મેદાનમાં આવ્યા હતા અને રિષભ પંત સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. 

દિલ્હી સામે હાર્યા બાદ મેદાનમાં ઉતર્યા LSGના માલિક સંજીવ ગોયન્કા, રિષભ પંતનો લીધો ક્લાસ ? કેએલ રાહુલની આવી યાદ

Delhi Capitals vs Lucknow Super Giants : IPL 2025ની પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 209 રન બનાવવા છતાં લખનૌની ટીમ મેચ હારી ગઈ હતી. આ મેચમાં બધાની નજર તેના કેપ્ટન રિષભ પંત પર હતી. મેગા ઓક્શનમાં તેને ફ્રેન્ચાઈઝીએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો, પરંતુ પ્રથમ મેચમાં તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું.

fallbacks

બેટિંગમાં નિષ્ફળ

24 માર્ચ પંત માટે કેપ્ટન અને ખેલાડી તરીકે ખૂબ જ સામાન્ય દિવસ હતો. આ મેચમાં 420 રન બન્યા હતા અને પાંચ ખેલાડીઓએ 200થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ મેચમાં રિષભ પંત નિષ્ફળ રહ્યો હતો. તેણે છ બોલનો સામનો કર્યો અને ખાતું પણ ખોલી શક્યો નહીં. આ પછી તેની કેપ્ટનશિપ પણ કોઈને સમજાઈ નહીં. તેણે શાર્દુલ ઠાકુરને માત્ર બે ઓવર કરાવી, જેણે બે વિકેટ લીધી હતી.

કેપ્ટનશિપમાં વિચિત્ર નિર્ણયો

છેલ્લી બે ઓવરમાં જ્યારે દિલ્હી કેપિટલ્સને 22 રનની જરૂર હતી ત્યારે પણ પંતે શાર્દુલને બદલે બિનઅનુભવી રાજકુમાર યાદવને બોલ સોંપ્યો હતો. યુવા ઝડપી બોલરે બે ચોગ્ગા અને એક છગ્ગા સહિત 16 રન આપ્યા હતા. જ્યારે છેલ્લી ઓવરમાં એક રનની જરૂર હતી, ત્યારે પંત સ્પિનર ​​શાહબાઝ અહેમદને બોલિંગ આપી. આશ્ચર્યની વાત એ છે કે તેણે શાર્દુલને ના આપી.

સ્ટમ્પિંગમાં પણ નિરાશ કર્યા

દિલ્હીને છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી. શાહબાઝના પહેલા બોલ પર મોહિત શર્મા આગળ વધ્યો અને બોલ તેના પેડ સાથે અથડાયા બાદ પાછળ ગયો. વિકેટકીપર પંત પાસે તેને સ્ટમ્પિંગ કરવાની આસાન તક હતી. તે ચૂકી ગયો અને પછીના બોલ પર મોહિતે એક રન લઈને આશુતોષને સ્ટ્રાઈક આપી. આશુતોષે શાહબાઝની બોલ પર ફ્રન્ટ સાઇડ પર સિક્સર ફટકારીને મેચનો અંત લાવ્યો હતો. પંતની ભૂલને કારણે લખનૌની ટીમ મેચ હારી ગઈ હતી.

 

ગોએન્કા મેદાનમાં પહોંચ્યા, ચાહકોએ રાહુલને યાદ કર્યો

મેચ ખતમ થયા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા મેદાનમાં આવ્યા હતા. તેણે કોચ જસ્ટિન લેંગર અને કેપ્ટન રિષભ પંત સાથે વાતચીત કરી. આ દરમિયાન એવું લાગી રહ્યું હતું કે તે કોચ અને કેપ્ટનને કંઈક ફરિયાદ કરી રહ્યો છે. જો કે, તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ ચાહકોએ ટીમના પૂર્વ કેપ્ટન કેએલ રાહુલને યાદ કર્યો. 2024માં એક મેચ હાર્યા બાદ ગોએન્કાએ કથિત રીતે કેપ્ટન રાહુલને ઠપકો આપ્યો હતો.

પંતે શું કહ્યું ?

પંતે મેચ બાદ કહ્યું કે, રમતમાં ચોક્કસપણે નસીબની ભૂમિકા છે અને જો મોહિત શર્માના પેડને બોલ ચૂકી ગયો હોત, તો સ્ટમ્પિંગની તક હતી. પરંતુ ક્રિકેટની રમતમાં આ વસ્તુઓ થાય છે, તમે આ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, તેના બદલે તમારે વધુ સારું ક્રિકેટ રમવાની જરૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More