Rawalpindi Cricket Stadium : ઓપરેશન સિંદૂર હેઠળ ભારતના હુમલાને કારણે સમગ્ર પાકિસ્તાનમાં અરાજકતા છે. ભારતના એક પછી એક ડ્રોન હુમલાઓએ સમગ્ર પાકિસ્તાનને ગભરાટમાં મૂકી દીધું છે. કરાચી, લાહોર, ઇસ્લામાબાદ અને રાવલપિંડી જેવા મુખ્ય શહેરોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે આ હુમલાઓમાં પાકિસ્તાનનું રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પણ સંપૂર્ણપણે નાશ પામ્યું છે, જ્યાં આજે સાંજે પાકિસ્તાન સુપર લીગની મેચ યોજાવાની હતી.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર...ધર્મશાળાના બદલે હવે અમદાવાદમાં રમાશે આ મેચ
ભારતના ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ તબાહ થયું છે. આજે સાંજે આ મેદાન પર પાકિસ્તાન સુપર લીગની મેચ યોજાવાની હતી. આ પીએસએલ મેચ પેશાવર ઝાલ્મી અને કરાચી કિંગ્સ વચ્ચે યોજાવાની હતી. કરાચીના કેપ્ટન ઓસ્ટ્રેલિયાના અનુભવી ક્રિકેટર ડેવિડ વોર્નર છે અને પેશાવરના કેપ્ટન બાબર આઝમ છે. પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે યોજાનારી કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે અને તેને કરાચી ખસેડવામાં આવી છે.
ફરી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, લાહોર બાદ કરાચીમાં પણ ધડાકો, ભારે દહેશતનો માહોલ
ભારતના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. તેથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવની ચરમસીમાએ છે. પાકિસ્તાને ભારતના 15 શહેરો પર મિસાઇલ હુમલા કર્યા, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ પાકિસ્તાની મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે