Virat Kohli Retirement: ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ દરમિયાન પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. સિરીઝની શરૂ થાય તે પહેલાં જ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. રોહિતની નિવૃત્તિ બાદ ફેન્સને વધુ એક ઝટકો લાગવાનો છે. કારણ કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ક્રિકેટના આ લાંબા ફોર્મેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.
વિરાટ કોહલીએ BCCI ને જાણ કરી
એક સૂત્રએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, 'વિરાટ કોહલીએ પોતાનું મન બનાવી લીધું છે અને બીસીસીઆઈને જાણ કરી દીધી છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે.' જો કે, BCCI એ તેમને આ અંગે પુનર્વિચાર કરવા વિનંતી કરી છે કારણ કે ઇંગ્લેન્ડનો મહત્વપૂર્ણ પ્રવાસ નજીક આવી રહ્યો છે. વિરાટ કોહલીએ હજુ સુધી આ વિનંતીનો જવાબ આપ્યો નથી.
મળતી માહિતી અનુસાર કોહલી આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીથી પોતાના ટેસ્ટ ભવિષ્ય પર વિચાર કરી રહ્યો છે, જ્યારે તે પહેલી ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા બાદ ફોર્મમાં નહોતો.
PSL કરાવવાની ભીખ માંગવા UAE પહોંચેલા પાકિસ્તાની થઈ બેઇજ્જતી, રદ કરવી પડી ટૂર્નામેન્ટ
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે વિરાટ કોહલી
વિરાટ કોહલી હાલ માત્ર 36 વર્ષનો છે અને તે થોડા વધુ વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે. આવી સ્થિતિમાં આ સમાચાર તેના ફેન્સને નિરાશ કરી શકે છે. વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 46.85ની સરેરાશથી 9230 રન બનાવ્યા છે. વિરાટ કોહલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 30 સદી અને 31 અડધી સદી છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 7 વખત બેવડી સદી ફટકારી છે.
ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન રહ્યા છે વિરાટ કોહલી
વિરાટ કોહલીનો ટેસ્ટ કેપ્ટન તરીકે ખૂબ જ શાનદાર રેકોર્ડ છે. વિરાટ કોહલીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ 68 ટેસ્ટ મેચમાંથી 40 મેચમાં ભારતને જીત અપાવી છે. વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ભારત માટે 68 ટેસ્ટ મેચોમાં 54.80 ની સરેરાશથી 5864 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન વિરાટ કોહલીએ 20 સદી અને 18 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર 254 રન અણનમ છે.
મિસાઈલો નથી રોકી શકતા યુદ્ધ શું લડશે... પાકિસ્તાની લોકોએ સેનાની ઉઠાવી રહ્યા છે મજાક
હવે મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યો છે વિરાટ કોહલી
નોંધનીય છે કે, વિરાટ કોહલીનો આ નિર્ણય રોહિત શર્માના થોડા દિવસો પહેલા ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિ આવતા મહિને ઇંગ્લેન્ડમાં યોજાનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે થોડા દિવસોમાં ટીમની પસંદગી કરવા જઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝ બાદથી વિરાટ કોહલી પોતાના ટેસ્ટ ભવિષ્ય વિશે વિચારી રહ્યો હોવાનું માનવામાં આવે છે.
વિરાટ કોહલીની નિવૃત્તિ બાદ કમજોર થઈ જશે ટીમ ઈન્ડિયા
જો વિરાટ કોહલી પોતાનો નિર્ણય નહીં બદલે તો ભારતે આવતા મહિને 20 જૂનથી શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં એક બિનઅનુભવી મધ્યમ ક્રમ સાથે જવું પડશે, જેમાં કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને ઋષભ પંત જેવા બેટ્સમેનનો સમાવેશ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે