જો તમારૂ બેંકમાં એલાઉન્ટ છે કે પછી તમે UPI નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે આગામી મહિને બેંકમાં એક મહત્વપૂર્ણ ફેરફાર થવાનો છે. હકીકતમાં 1 એપ્રિલથી બેંક એકાઉન્ટ, Google Pay, Phonepe અને Paytm જેવી UPI એપ સાથે જોડાયેલા તે યુઝરના એકાઉન્ટને બંધ કરવામાં આવી રહ્યાં છે, જેનો મોબાઈલ નંબર ઘણા સમયથી ઇનએક્ટિવ છે.
આ કારણે બેંક લઈ રહી છે નિર્ણય
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને આ એપને 31 માર્ચ સુધી આવા નંબરને હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ફેરફારનો ઉદ્દેશ્ય ઇનએક્ટિવ કે રીસાયકલ કરવામાં આવેલા મોબાઈલ નંબરોથી થનારી સમસ્યાઓનું સમાધાન કરવાનું છે. ઇનએક્ટિવ કે રીસાઇકલ કરવામાં આવેલા મોબાઈલ નંબર ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા પેદા કરે છે.
મહત્વનું છે કે જો કોઈ નંબરનો ઉપયોગ 90 દિવસ સુધી વોયસ કોલ, એસએમએસ કે ડેટા માટે ન કરવામાં આવે તો તે ઈનએક્ટિવ થઈ જાય છે. આવા નંબર ફરીથી નવા યુઝર્સને આપવામાં આવે છે. તેવામાં જ્યારે આ નંબર તમારી બેંક કે અન્ય નાણાકીય સેવાઓ સાથે જોડાયેલા હોય છે તો તેમાં સમસ્યા આવી શકે છે.
આ પણ વાંચોઃ આ કારના દીવાના બન્યા લોકો, આજે શોરૂમમાં જઈ બુક કરાવશો તો 18 મહિના પછી મળશે ડિલીવરી
1 એપ્રિલ બાદ એકાઉન્ટ ડિલીટ કરવાનું કામ થશે શરૂ
કોઈપણ પેમેન્ટ માટે મોબાઈલ નંબર જરૂરી હોય છે. જો તમારા નંબરમાં કોઈ સમસ્યા છે તો લેતી-દેતી નિષ્ફળ થઈ શકે છે. ઘણા યુઝર્સ બેંક ખાતા કે યુપીઆઈ એપથી ઘણા નંબર લિંક કરે છે. તેવામાં તેમાંથી કોઈ નંબર મહિનાઓ સુધી ઇનએક્ટિવ રહે છે તો તેને ડિલીટ કરી દેવામાં આવશે.
ટ્રાન્ઝેક્શન સમસ્યાઓને રોકવા માટે, NPCI એ આદેશ આપ્યો છે કે બેંકો અને UPI એપ્સ દર અઠવાડિયે કાઢી નાખેલા નંબરોની સૂચિ અપડેટ કરે. 1 એપ્રિલ પછીનો કોઈપણ નિષ્ક્રિય અથવા રિસાયકલ નંબર તરત જ બેંકની સિસ્ટમમાંથી દૂર કરવામાં આવશે. જો તમે તમારું બેંક એકાઉન્ટ અથવા UPI ID એક્ટિવ રાખવા માંગો છો, તો તેને તરત જ રિચાર્જ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે