Home> Technology
Advertisement
Prev
Next

India-Pakistan War: ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યો તણાવ, જાણો આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર શું શેર ન કરવું ?

India-Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ચરમસીમાએ પહોંચી છે. દેશના કેટલાક વિસ્તારોમાં રાતના સમયે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. તેવામાં લોકોએ ગભરાઈ જવાને બદલે એ સમજવું જરૂરી છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં શું કરવું જોઈએ અને શું કરવાથી બચવું જોઈએ.

India-Pakistan War: ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યો તણાવ, જાણો આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર શું શેર ન કરવું ?

India-Pakistan War: ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારબાદ પાકિસ્તાન એક પછી એક ભુલ કરી રહ્યું છે અને ભારત પર હુમલો કરવાના પ્રયત્ન કરી રહ્યું છે. જેનો જડબાતોડ જવાબ ભારત આપી રહ્યું છે. આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર પણ અફવાઓ અને ખોટી જાણકારીઓનો દોર શરુ થઈ જતો હોય છે. આવી સ્થિતિમાં લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ અને સાથે જ એ જાણવું જોઈએ કે આ સ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ.

fallbacks

આ પણ વાંચો: Health Care: યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે રાખવી ? જાણી લો

સોશિયલ મીડિયાના આ સમયમાં લોકો ભાન ભુલી જાય છે અને ઉત્સાહમાં શેર ન કરવાની જાણકારી પણ સોશિયલ મીડિયા પર શેર કરી બેસે છે. આજે તમને જણાવીએ કે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર કેવી જાણકારી શેર કરવી જોઈએ અને કઈ જાણકારીઓને સોશિયલ મીડિયા પર જાહેર કરવાથી બચવું જોઈએ.

આ પણ વાંચો: યુદ્ધ થાય તો સામાન્ય લોકોએ કયા નિયમોનું પાલન કરવું પડે ? આ જાણવું દરેક માટે જરુરી

યુદ્ધની સ્થિતિમાં શું ન કરવું ?

1. સૌથી પહેલા તમે જે પણ શહેરમાં રહેતા હોય તે લોકેશન પર હોય ત્યાંના બ્લેક આઉટની જાણકારી કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરો.

2. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કે સેનાની કાર્યવાહી ચાલતી હોય તો તેની વીડિયોગ્રાફી કરી સોશિયલ મીડિયા પર શેર કરવી નહીં.

3. યુદ્ધની જૂની કે અન્ય જગ્યાઓની જાણકારી કે ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવી નહીં. તેનાથી અન્ય લોકોમાં અફવા અને ડર ફેલાઈ શકે છે.

આ પણ વાંચો: મિસાઈલ જમીન સુધી પહોંચી શકતી નથી.. અનુપમ ખેરના ભાઈએ જણાવ્યું જમ્મુમાં કેવી છે સ્થિતિ

4. જરૂરી ન હોય તો ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો.

5. ખોટી જાણકારી પર પ્રતિક્રિયા કરવાનું ટાળો અને આક્રોશમાં આવી ગેરકાયદેસર પગલું ભરવું નહીં.

6. સૌથી મહત્વનું છે કે સુરક્ષા દળોની કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની બાધા ઉત્પન્ન થાય તેવું કામ કરવું નહીં.

આ પણ વાંચો: બલૂચિસ્તાનમાં છે સૌથી પ્રસિદ્ધ હિંદૂ મંદિર, અહીં મુસ્લિમો પણ શ્રદ્ધાથી ઝુકાવે માથું

યુદ્ધ જેવી સ્થિતિમાં શું કરવું ?

1. સરકારી દિશા-નિર્દેશોનું પાલન કરવું. પ્રમાણિત સોર્સ તરફથી મળતી જાણકારી પર જ વિશ્વાસ કરવો.

2. સુરક્ષિત સ્થળની ઓળખ કરી સુરક્ષિત સ્થાને ખસી જવું.

આ પણ વાંચો: Yellow Teeth: પીળા દાંતને સફેદ કરવાનો અચૂક ઉપાય, આ 2 વસ્તુથી કરો દાંતની સફાઈ

3. સામાજિક સૌહાર્દ જાળવી રાખો અને અફવાઓ પર ધ્યાન ન આપવું. સમાજમાં શાંતિ જાળવી રાખવી.

4. વડિલો, બાળકો, વિકલાંગોને જરૂર પડે ત્યારે મદદ કરો અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More