બ્રાઝિલિયા: એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી (AstraZeneca and Oxford University) દ્વારા વિક્સિત થઈ રહેલી કોરોના વાયરસ રસીના ક્લિનિકલ પરીક્ષણ દરમિયાન એક વોલેન્ટિયરનું મૃત્યુ થઈ ગયું. બ્રાઝિલની સ્વાસ્થ્ય એજન્સી એનવિસાએ પરીક્ષણ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે પરીક્ષણ દરમિયાન વોલેન્ટિયરને રસી અપાઈ હતી કે નહીં.
મરઘી સાથે યુવકે બનાવ્યો શારીરિક સંબંધ, પત્નીએ બનાવી લીધો VIDEO
કઈ પણ જણાવવાનો ઈન્કાર
સ્વાસ્થ્ય એજન્સી એનવિસાએ ચિકિત્સા ગોપનીયતાના કારણોનો હવાલો આપતા કઈ પણ જણાવવાનો ઈન્કાર કરી દીધો છે. કહેવાય છે કે કોવિડ-19 ર સી સમૂહની સ્વતંત્ર રીતે સમીક્ષા કરાઈ હતી. કોઈ ચૂક થઈ નથી. બ્રાઝિલે રસીના પરીક્ષણ વખતે વર્તવામાં આવતી સુરક્ષા કે ચૂક અંગે કોઈ ચિંતા જાહેર કરી નથી. બ્રાઝિલના નિયામકે ભલામણ કરી કે પરીક્ષણ ચાલુ રહેવું જોઈએ.
ચીનમાં હવે 'બ્રુસેલોસિસ' બીમારીનો કહેર, ઘણા રાજ્યોમાં હજારો લોકો સંક્રમિત
આ બાજુ લંડનમાં પણ યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ (University of Oxford)એ સ્પષ્ટ કરી દીધુ કે રસી એસ્ટ્રાજેનેકા (AstraZeneca) માટે થઈ રહેલું પરીક્ષણ ચાલુ રહેશે. એક સ્વતંત્ર સમીક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂકનો ખુલાસો થયો નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે