ઇસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાની ઇનફોર્મેશન વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડાયરેક્ટર જનરલ અહમદ શરીફ ચૌધરીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. અહમદ શરીફ ચૌધરી, UN અને અમેરિકા દ્વારા જાહેર વૈશ્વિક આતંકવાદી સુલ્તાન બશીરૂદ્દીન મહમૂદનો પુત્ર છે. અહમદ શરીફ ચૌધરીના પિતાએ કુખ્યાત આતંકી ઓસામા બિન લાદેશનને રાસાયણિક, જૈવિક અને પરમાણુ હથિયાર વિશે જાણકારી આપી હતી.
વૈશ્વિક આતંકવાદી સુલ્તાન બશીરૂદ્દીન અહમૂદ કોણ હતો?
સુલ્તાન બશીરૂદ્દીન મહમૂદે પાકિસ્તાન પરમાણુ ઉર્જા આયોગ (પીએઈસી) માં કામ કર્યું હતું. ત્યારબાદ મહમૂદે 1999મા ઉમ્માહ તામીર-એ-નૌ (યુટીએન) ની સ્થાપના કરી હતી. આ એક દક્ષિણપંથી સંગઠન હતું, જેના પર 2001મા સંયુક્ત રાજ્ય અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો. ડિસેમ્બર 2001 માં અલ-કાયદા પ્રતિબંધ સમિતિ દ્વારા સૂચિબદ્ધ અને પ્રતિબંધિત કરાયેલા લોકોમાં મહમૂદનો સમાવેશ થતો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ દ્વારા તેને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી તરીકે પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
કોણ છે આઈએસપીઆરના ડાયરેક્ટર જનરલ અહમદ શરીફ ચૌધરી?
ડાયરેક્ટર જનરલ અહમદ શરીફ ચૌધરીનું પાકિસ્તાની સેનામાં મોટું કદ છે અને 6 ડિસેમ્બર 2022થી ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના 22મા ડાયરેક્ટર જનરલના રૂપમાં કાર્યરત છે. તેની પાસે ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ (ઈએમઈ) કોર છે અને તે આ કોરથી આઈએસપીઆરનો ડીજી બનનાર પ્રથમ અધિકારી છે.
આ પણ વાંચોઃ પાકને બરબાદ કરી છોડશે આ 3 ગ્રહ, કુંડળીના વિનાશકારી યોગ આપી રહ્યાં છે ખતરનાક સંકેત
આ પહેલા તેણે ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓર્ગેનાઇઝેશન (DESTO) ના ડાયરેક્ટર જનરલના રૂપમાં કાર્ય કર્યું હતું. તેનો જન્મ પંજાબના થલ રેગિસ્તાનમાં થયો હતો અને તેના પિતા સુલ્તાન બશીરૂદ્દીન મહમૂદ એક પરમાણુ વૈજ્ઞાનિક હતા, જેની 2001મા તાલિબાન સાથે કથિત સંબંધોને કારણે ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સમયે તણાવ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાન સતત ભારત પર હુમલા કરી રહ્યું છે અને ભારત તેનો વળતો જવાબ આપી રહ્યું છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે