Home> World
Advertisement
Prev
Next

હેવ આ RCI શું છે? ભારત-ચીનના સંબંધોમાં આવેલી કડવાશને દૂર કરવા રશિયાનો મોટો પ્લાન

What is RIC: ઓક્ટોબર 2024માં રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ યોજાયું હતું. આમાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા અને સરહદી તણાવને સમાપ્ત કરવા વિશે વાત કરી હતી. ત્યારબાદ રશિયાએ RIC ને ફરીથી સક્રિય કરવા સંમતિ આપી હતી. હવે તે ફરી એકવાર ચર્ચામાં છે.

હેવ આ RCI શું છે? ભારત-ચીનના સંબંધોમાં આવેલી કડવાશને દૂર કરવા રશિયાનો મોટો પ્લાન

India China Relationship: ઓક્ટોબર 2024માં રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ યોજાયું હતું, જેમાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા અને સરહદી તણાવને સમાપ્ત કરવા વિશે વાત કરી હતી. ત્યારબાદ રશિયાએ RICને ફરીથી સક્રિય કરવા સંમતિ આપી હતી. હવે આ પહેલને ચીન દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. ચીને કહ્યું છે કે, રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય જોડાણ ફક્ત ત્રણ દેશો માટે વધુ સારું સાબિત થશે નહીં, પરંતુ તેના દ્વારા વિશ્વમાં શાંતિ અને સ્થિરતા લાવી શકાય છે. તમે વિચારતા હશો કે આ RIC શું છે અને તેના દ્વારા રશિયા શું યોજના બનાવી રહ્યું છે, ચાલો જાણીએ.

fallbacks

ત્રણેય દેશોના હિત
રશિયા ફરી એકવાર RICને સક્રિય કરવા માંગે છે. આ અંગે રશિયન ઉપવિદેશ મંત્રી આન્દ્રેઈ રુડેન્કોએ કહ્યું કે, તેઓ આ મુદ્દા પર ચીન અને ભારત સાથે વાત કરી રહ્યા છે. આન્દ્રેઈ રુડેન્કો માને છે કે ભારત, ચીન અને રશિયા BRICSના સ્થાપક અને મહત્વપૂર્ણ ભાગીદાર છે. આવી સ્થિતિમાં RICને લાંબા સમય સુધી બંધ રાખવું યોગ્ય નથી. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને RIC વિશે કહ્યું કે, તે ત્રણેય દેશોના હિતમાં છે અને તેનાથી ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થશે અને શાંતિનું વાતાવરણ બનશે, તેમણે વધુમાં કહ્યું કે, આ માટે તેઓ ભારત અને રશિયા સાથે વાત કરવા તૈયાર છે.

સસ્પેન્સ ખતમ... જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટ રમશે કે નહીં? મેનેજમેન્ટે લીધો મોટો નિર્ણય

મુલતવી રાખવામાં આવ્યું હતું આ ગઠબંધન
RIC ગઠબંધન કોરોના વાયરસ અને લદ્દાખમાં લશ્કરી ગતિરોધને કારણે મુલતવી રાખવામાં આવ્યું હતું. જો કે, હાલમાં જ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનની મુલાકાત લીધી હતી અને ત્યાં ચીની અને રશિયન નેતાઓને મળ્યા હતા. આ બેઠક પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બન્ને દેશો વચ્ચે વર્ષોથી ચાલી રહેલો સંઘર્ષ હવે સમાપ્ત થવાના આરે છે. આ જોડાણ રશિયા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મે મહિનાની શરૂઆતમાં રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે તેને ફરીથી શરૂ કરવામાં રસ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે, રશિયાના ભારત અને ચીન સાથે સારા સંબંધો છે.

ઓગસ્ટમાં મહાગોચર ખોલશે ખજાનો, ધન-દોલતથી માલામાલ થશે આ 5 રાશિ; બદલી જશે કિસ્મત!

શું છે RIC?
ત્રિપક્ષીય વ્યવસ્થાની શરૂઆત વર્ષ 1990ના દાયકાના અંતમાં રશિયાના પૂર્વ પીએમ યેવગેની પ્રીમાકોવ દ્વારા કરવામાં આવી હતી. તેમનો ઉદ્દેશ્ય એક એવું પ્લેટફોર્મ બનાવવાનો હતો જે અમેરિકા અને પશ્ચિમી દેશોના એકધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થાને સંતુલિત કરી શકે. આ અંતર્ગત ત્રણેય દેશો વચ્ચે વિવિધ સ્તરે 20 બેઠકો યોજાઈ છે. આ ત્રિપક્ષીય વ્યવસ્થા દ્વારા વિદેશ નીતિ તેમજ સુરક્ષા બાબતોમાં સદ્ભાવના લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જો કે, ભારત-ચીન ગાલવાન સરહદ વિવાદ પછી આ પ્લેટફોર્મ ખૂબ જ નિષ્ક્રિય થઈ ગયું હતું, જેને ફરીથી સક્રિય કરવાની વાત કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More