Home> World
Advertisement
Prev
Next

Pahalgam Attack: છુટ આપી ત્યા જ પગ ધ્રુજવા લાગ્યા! 24-36 કલાકમાં હુમલો કરશે ભારત! પાકિસ્તાને રાત્રે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને કર્યા દાવો

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત કોઈ પણ સમયે પાકિસ્તાન સામે એક્શન લઈ શકે છે, ત્યારે 29 એપ્રિલના રોજ પીએમ મોદીએ પણ સેનાને ખુલી છુટ આપી દીધી છે. જેના કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને ભારત તરફથી લશ્કરી હુમલાનો ડર લાગી રહ્યો છે.
 

Pahalgam Attack: છુટ આપી ત્યા જ પગ ધ્રુજવા લાગ્યા! 24-36 કલાકમાં હુમલો કરશે ભારત! પાકિસ્તાને રાત્રે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને કર્યા દાવો

Pahalgam Terror Attack: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાનને ભારત તરફથી લશ્કરી હુમલાનો ડર છે. આ જ કારણ છે કે મંગળવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તા તરારે એક તત્કાલ પત્રકાર પરિષદમાં મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે કે ભારત 24થી 36 કલાકમાં પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.

fallbacks

અત્તા તરારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ માહિતી આપી છે. તેણે કહ્યું કે ભારત ખોટા આરોપોના આધારે અને કોઈપણ આધાર વિના પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાન આને સંપૂર્ણપણે નકારી કાઢે છે અને કોઈપણ પ્રકારની આક્રમકતાનો નિર્ણાયક જવાબ આપશે. તેમણે એમ પણ કહ્યું કે ભારતે પોતાને જજ, જ્યુરી અને જલ્લાદ તરીકે વિચારવાનું શરૂ કર્યું છે, જે એક ખતરનાક અને બેજવાબદાર વલણ છે.

સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો, પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં ભારત

અત્તા તરારે દાવો કર્યો હતો કે પાકિસ્તાને પહેલગામ હુમલાની સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવા માટે તટસ્થ નિષ્ણાત કમિશનની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ભારતે નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે તપાસ ટાળવી એ સાબિતી છે કે ભારતના ઇરાદા સારા નથી. તે ફક્ત રાજકીય લાભ માટે જાહેર લાગણીઓને ઉશ્કેરીને લશ્કરી નિર્ણયો લઈ રહ્યું છે.

તરારે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી અને કહ્યું કે જો ભારત લશ્કરી કાર્યવાહી કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભારતની રહેશે. તેણે કહ્યું કે પાકિસ્તાન આવી કોઈપણ આક્રમક કાર્યવાહીનો સંપૂર્ણ આત્મવિશ્વાસ અને મક્કમતા સાથે જવાબ આપશે. અમે દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છીએ.

2025 પછી નહીં હોય પાકિસ્તાનનું નામ નિશાન, 4 ભાગમાં વહેંચાઈ જશે

તમને જણાવી દઈએ કે ભારતે અગાઉ કહ્યું હતું કે ગયા અઠવાડિયે પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની લોકો સામેલ હતા. ઇસ્લામાબાદે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને નિષ્પક્ષ તપાસ તેમજ આંતરરાષ્ટ્રીય એજન્સીઓની સંડોવણીની માંગ કરી છે. બંને પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રોએ એકબીજા સામે અનેક પગલાં લીધાં છે, જેમાં ભારતે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી છે અને પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના સશસ્ત્ર દળો જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે જણાવ્યું હતું કે ભારત દ્વારા લશ્કરી હુમલો નિકટવર્તી છે અને દેશ હાઇ એલર્ટ પર છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન પોતાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરશે જો પાકિસ્તાનના અસ્તિત્વ માટે સીધો ખતરો હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More