Home> World
Advertisement
Prev
Next

ઈરાનના વિદેશમંત્રીનો દાવો; ઈઝરાયેલ સાથે કોઈ સીઝફાયર થયું નથી, ટ્રમ્પે કરી હતી યુદ્ધ રોકવાની વાત

No agreement on any ceasefire iran with israel: ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં આખી દુનિયાને  કહી દીધુ છે કે ઈઝરાયેલ સાથે કોઈ સીઝફાયર થયું નથી. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરનો દાવો કર્યો હતો. જાણ વિસ્તૃત માહિતી...

ઈરાનના વિદેશમંત્રીનો દાવો; ઈઝરાયેલ સાથે કોઈ સીઝફાયર થયું નથી, ટ્રમ્પે કરી હતી યુદ્ધ રોકવાની વાત

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) પર સહમતિ બની ગઈ છે. પરંતુ ઈરાના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ આ દાવો ફગાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાલ કોઈ પણ યુદ્ધવિરામ કે સૈન્ય અભિયાનોની સમાપ્તિ પર કોઈ 'સમજૂતિ' થઈ નથી. જો ઈઝરાયેલી સરકાર તેહરાન સમય મુજબ સવારે 4 વાગ્યા પહેલા ઈરાની લોકો સામે તેમનું ગેરકાયદેસર આક્રમણ બંધ કરે, તો તે પછી અમારી પ્રતિક્રિયા ચાલુ રાખવાનો અમારો કોઈ ઇરાદો નથી.

fallbacks

ઈરાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ
અરાઘચીએ પોતાના નિવેદનમાં કહી દીધુ કે જેમ કે ઈરાન પહેલા પણ અનેકવાર કહી ચૂક્યું છે, આ યુદ્ધ ઈઝરાયેલે શરૂ કર્યું, અમે નહીં. હજુ સુધી કોઈ પણ સીઝફાયર કે સૈન્ય કાર્યવાહી રોકવા અંગે કોઈ સમજૂતિ થઈ નથી. તેમણે એ પણ કહ્યું કે જો ઈઝરાયેલ તહેરાનના સમય મુજબ સવારે 4 વાગ્યા સુધીમાં ઈરાની લોકો પર હુમલા બંદ કરી દે તો ઈરાન પોતાની જવાબી કાર્યવાહી આગળ વધારશે નહીં. પરંતુ સૈન્ય કાર્યવાહીને સંપૂર્ણ રીતે રોકવાનો અંતિમ નિર્ણય બાદમાં લેવાશે. 

ટ્રમ્પનો દાવો- 24 કલાકમાં બંધ થશે યુદ્ધ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતું કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 24 કલાકમાં સીઝફાયર લાગૂ થશે. જેનાથી મધ્ય પૂર્વમાં શાંતિ બહાલ થશે. તેમણે બંને દેશોના વખાણ પણ કર્યા હતા. પરંતુ ઈરાને તરત દાવાને નકારી દીધો. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે કોઈ પણ સમજૂતિ થઈ નથી અને ટ્રમ્પનું નિવેદન હકીકતોથી ઘણું દૂર છે. 

કેમ વધ્યો તણાવ?
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગ તેજ થઈ છે. ઈઝરાયેલે ઈરાનના પરમાણુ ઠેકાણા અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો જેના જવાબમા ઈરાને ઈઝરાયેલ પર અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી. આ હુમલામાં બંને બાજુ ભારે નુકસાન થયું છે. ઈરાનનું કહેવું છે કે તેઓ ફક્ત પોતાની આત્મરક્ષામાં જવાબી કાર્યવાહી કરે છે. બીજી બાજુ ઈઝરાયેલનું કહેવું છે કે તેણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને નબળો કરવા માટે આ હુમલા કર્યા. 

ઈરાન પાછળ હટવાના મૂડમાં નથી
અરાઘચીના નિવેદનથી સ્પષ્ટ છે કે ઈરાન હાલ પાછળ હટવાના મૂડમાં બિલકુલ નથી. જો ઈઝરાયેલ હુમલા બંધ કરે તો ઈરાન પર પોતાની કાર્યવાહી પર વિચાર કરશે. બીજી બાજુ ટ્રમ્પનો સીઝફાયરનો દાવો હવે હવા હવાઈ લાગી રહ્યો છે. જ્યાં સુધી કોઈ ઠોસ પહેલ બંને દેશો વચ્ચે ન થાય ત્યાં સુધી કોઈ અર્થ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More