ધરતીના 71 ટકા ભાગમાં દરિયો ફેલાયેલો છે. ફક્ત 29 થી 30 ટકા વિસ્તાર જ પર જ જમીન છે. આવામાં આ એક તૃતિયાંશ ભાગ પર વસતા જીવન માટે સમુદ્ર ખુબ મહત્વનો છે. કારણ કે તેના લીધે જળવાયુ અને મૌસમનું સંતુલન પૃથ્વી પર જળવાઈ રહેલું છે. પરંતુ આપણા મહાસાગરો અંગે વૈજ્ઞાનિકોએ એક ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે તેનો રંગ બદલાઈ રહ્યો છે. સમુદ્રો જલદી કાળા પડી રહ્યા છે.
પ્લાયમાઉથ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ છેલ્લા બે દાયકામાં વૈશ્વિક મહાસાગરોનો 21 ટકાથી વધુ ભાગ કાળો થઈ ગયો છે. આ પ્રક્રિયા જેને મહાસાગરોનું કાળા પડવું એમ કહે છે, તે ત્યારે ઘટે છે જ્યારે મહાસાગરના સૌથી ઉપરના સ્તરમાં પરિવર્તનના કારણે સૂર્યના પ્રકાશની ઊંડાઈ ઓછી થઈ જાય છે.
એક મોટા વિસ્તારમાં છવાયેલું છે અંધારું
આ એ રીતે સમજો કે મહાસાગરોના એક મોટા વિસ્તારમાં અંધારું છવાયેલું છે. જેનાથી સમુદ્રી જીવન માટે જરૂરી ઉપરી પરત, જેને ફોટિક ઝોન કહે છે કે જ્યાં સૂરજની રોશનીનો પ્રવેશ ઓછો થઈ ગયો છે. લગભગ 20 વર્ષના સેટેલાઈટ ડેટાથી આ ચિંતાજનક માહિતી મળી છે જે ફક્ત પર્યાવરણ સંબંધિત મુદ્દો નથી પરંતુ એક વૈશ્વિક મુદ્દો પણ છે.
દરિયાઈ ઈકોસિસ્ટમની સાથે માણસો ઉપર પણ ખરાબ પ્રભાવ
સમેટાઈ રહેલો ફોટિક ઝોન સમુદ્રી જૈવ વિવિધતાને જોખમમાં નાખે છે. તે અહીંની ઈકોસિસ્ટમને ખોરવે છે અને જીવનને સહારો આપવા, જળવાયુને નિયંત્રિત કરવા અને ઓક્સિજનનું ઉત્પાદન કરવાની મહાસાગરની ક્ષમતાને નબળી કરી શકે છે. હવે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આ ફેરફાર વૈશ્વિક સ્તર પર એ ચેતવણી તરીકે કામ કરવો જોઈએ, જે આપણને યાદ અપાવે છે કે આપણું ભવિષ્ય મહાસાગરોના સ્વાસ્થ્ય સાથે કેટલું નજીકથી જોડાયેલું છે.
મહાસાગરોનું કાળું પડવું એ પાણીની પારદર્શકતામાં કમીને દર્શાવે છે જે સૂર્યપ્રકાશને સમુદ્રમાં પ્રવેશ કરવાની સીમાને મર્યાદિત કરે છે. સમુદ્રનો પ્રકાશ ક્ષેત્ર, એવી જગ્યા છે જ્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સરળતાથી થાય છે અને સમુદ્રી ફૂડ ચેન શરૂ થાય છે. અહીં પ્રકાશ ક્ષેત્ર અનેક ક્ષેત્રોમાં સંકોચાઈ રહ્યો છે.
આફ્રિકાના આકાર બરાબર સમુદ્રી ક્ષેત્ર પડી ગયો છે કાળો
સમુદ્રમાં આ ફેરફાર માટે જવાબદાર કેટલાક કારણો છે. જેમાં સમુદ્રના ગરમ થવાથી શેવાળનું વધુ વિકસવું, સમુદ્ર તળ અને સપાટીના તાપમાનમાં ફેરફાર, સમુદ્રમાં વધુ તલછટ જમા થવા જેવા કારણો સામેલ છે. ગ્લોબલ ચેન્જ બાયોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહાસાગરનો 9 ટકાથી વધુ ભાગ જે આફ્રિકાના આકાર બરાબર ક્ષેત્ર છે, અહીંના પ્રકાશ ક્ષેત્રમાં 164 ફૂટ (50 મીટર)થી વધુની કમી જોવા મળી છે.
શું કહે છે વૈજ્ઞાનિકો
રિસર્ચર્સ કહે છે કે ગ્રહની મોટી સંખ્યામાં સમુદ્રી પ્રજાતિઓ અને પરિસ્થિતિઓની તંત્ર સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. યુનિવર્સિટીમાં સમુદ્રી સંરક્ષણના એસોસિએટ પ્રોફેસર ડો. થોમસ ડેવિસે કહ્યું કે અનુસંધાનથી જાણવા મળ્યું છે કે છેલ્લા 20 વર્ષોમાં સમુદ્રની સપાટીનો રંગ કેવી રીતે બદલાઈ ગયો છે. આપણા પરિણામ એ વાતનું પ્રમાણ આપે છે કે આવા પરિવર્તનોના કારણે મોટા પાયે અંધારુ છવાઈ જાય છે જેનાથી તેવા જાનવારો માટે સમુદ્રની ઉપલબ્ધતા ઓછી થઈ જાય છે જે પોતાના અસ્તિત્વ અને પ્રજનન માટે સૂર્ય અને ચંદ્રમા પર નિર્ભર રહે છે.
ડો. ડેવિસે કહ્યું કે મહાસાગરોના કાળા થવાથી મનુષ્યો દ્વારા શ્વાસમાં લેવાતી હવા, તેમના દ્વારા ખવાતી માછલીઓ તથા જળવાયુ પરિવર્તન સામે લડવાની વિશ્વની ક્ષમતા પર પ્રભાવ પડી શકે છે. તેમણે કહ્યું કે અમારા તારણો ચિંતાનું વાસ્તવિક કારણ છે. પ્રોફેસર ટિમ સ્મિથે કહ્યું કે કેટલાક સમુદ્રી જીવો, જેમને પ્રકાશની જરૂર હોય છે તે આ પરિવર્તનોના પરિણામસ્વરૂપ સપાટીની નજીક આવી શકે છે. તેમણે ચેતવણી આપી કે તેનાથી ખાદ્યાન્ન અને અન્ય સંસાધનો માટે પ્રતિસ્પર્ધા વધી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે