Home> Sports
Advertisement
Prev
Next

PBKS vs RCB : જો ક્વોલિફાયર-1 વરસાદના કારણે ધોવાઈ જાય તો કોને મળશે ફાઇનલની ટિકિટ - બેંગ્લોર કે પંજાબ ? રિઝર્વ ડે પણ નથી

IPL 2025 Qualifier-1 PBKS vs RCB : બધાની નજર IPL 2025માં 29 મેના રોજ થનારા મોટા મુકાબલા પર રહેશે. પંજાબ અને RCB પાસે ટ્રોફીની નજીક જવાની સુવર્ણ તક છે. ટોપ-2માં સ્થાન મેળવ્યા પછી બંને ટીમો ક્વોલિફાયર-1માં ટકરાઈ રહી છે. પરંતુ જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય, તો કઈ ટીમને ફાયદો થશે ?

PBKS vs RCB : જો ક્વોલિફાયર-1 વરસાદના કારણે ધોવાઈ જાય તો કોને મળશે ફાઇનલની ટિકિટ - બેંગ્લોર કે પંજાબ ? રિઝર્વ ડે પણ નથી

IPL 2025 Qualifier-1 PBKS vs RCB : IPL 2025માં 29 મેના રોજ યોજાનારી પંજાબ અને RCB વચ્ચેની મેચ પર બધાની નજર રહેશે. બંને ટીમો ક્વોલિફાયર-1માં ટકરાશે. જે ટીમ જીતશે તેને ડાયરેક્ટ ફાઈનલની ટિકિટ મળી જશે. લીગ સ્ટેજમાં અગાઉ બંને ટીમોની મેચ વરસાદને કારણે એક-એક વખત ધોવાઈ ગઈ છે. જે પછી બંનેને 1-1 પોઈન્ટ મળ્યો હતો. પરંતુ જો ક્વોલિફાયર-1માં વરસાદ આવે તો શું થશે, આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં હશે.

fallbacks

ક્વોલિફાયર માટે કોઈ રિઝર્વ ડે નથી

IPL 2025માં પ્લેઓફની પ્રથમ ત્રણ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે મેગા ઇવેન્ટ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. જેના કારણે પ્લેઓફ અને ફાઇનલ મેચ મુલતવી રાખવામાં આવી હતી અને સ્થળો પણ બદલવામાં આવ્યા હતા. IPL 2025ની ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ માટે રિઝર્વ ડે 4 જૂન છે. પરંતુ એલિમિનેટર, ક્વોલિફાયર-1 અને ક્વોલિફાયર-2 માટે કોઈ રિઝર્વ ડે નથી.

IPL 2025 પ્લેઓફનું સંપૂર્ણ શેડ્યૂલ...નોંધી લો દિવસ, તારીખ, સ્થળ અને સમય સહિતની વિગતો

હવામાન કેવું રહેશે ?

પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ મોહાલીના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. 29 મેના રોજ મોહાલીના હવામાનની વાત કરીએ તો, AccuWeather મુજબ, 29 મેના રોજ વરસાદની શક્યતા નહિવત્ છે. પરંતુ જો વરસાદને કારણે મેચ નહીં થાય, તો પંજાબ કિંગ્સને ફાયદો થશે.

પંજાબ કિંગ્સ માટે વરસાદ વરદાન સાબિત થશે

પંજાબ કિંગ્સ ટીમે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તો RCBએ લખનૌ સામે લીગ સ્ટેજની છેલ્લી મેચમાં 6 વિકેટથી જીત મેળવી અને 19 પોઈન્ટ પર પહોંચી ગઈ. પરંતુ પંજાબના રન-રેટને પછાડવામાં સફળ રહી નહીં. આવી સ્થિતિમાં, જો ક્વોલિફાયર-1માં વરસાદ પડે છે, તો તે પંજાબ માટે વરદાન સાબિત થશે. શ્રેયસ ઐયરની ટીમને રમ્યા વિના ફાઇનલની ટિકિટ મળી જશે. જ્યારે RCBને ક્વોલિફાયર-2માં જીત માટે લડવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More