પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ખાસ કરીને પહેલગામ હુમલા બાદ માહોલ વધુ ગંભીર બની ગયો છે. આ બધા વચ્ચે ભારતીય સેના માટે એક સારા સમાચાર છે. અમેરિકાએ ભારતને 131 મિલિયન અમેરિકી ડોલરની મહત્વપૂર્ણ મિલેટ્રી હાર્ડવેર અને લોજિસ્ટિક સપોર્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ભારત અને અમેરિકાના મજબૂત થઈ રહેલા સંબંધોને દર્શાવે છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ મુજબ પેન્ટાગન હેઠળ કામ કરતી સંસ્થા ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA) એ મિલેટ્રી હાર્ડવેરના સપ્લાય માટે જરૂરી સર્ટિફિકેટ આપી દીધુ છે. અમેરિકી સરકારે આ અંગે અમેરિકી કોંગ્રેસને પણ જાણ કરી છે. અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી વધુ હથિયાર ખરીદે. ભઙારતને રક્ષા સામગ્રીના સપ્લાયની મંજૂરી એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન ભઙારત પર અમેરિકાથી સૈન્ય ખરીદી વધારવા પર દબાણ સર્જી રહ્યુ છે. "વિદેશી સૈન્ય વેચાણ" હેઠળ આ સપ્લાય ઈન્ડો-પેસિફિક મેરીટાઈમ ડોમેન અવેરનેસ પ્રોગ્રામ હેઠળ ભારત-અમેરિકા સંલગ્ન છે. એટલે કે અમેરિકા ભારતને સમુદ્રી વિસ્તારમાં નગરાણી કરવામાં મદદ કરશે.
મિલેટ્રી સપોર્ટ હાર્ડવેર શું છે
અમેરિકી સરકાર મુજબ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને ઈન્ડો-પેસિફિક મેરીટાઈમ ડોમેન અવેરનેસ અને સંબધિત ઉપકરણ લગભગ 131 મિલિયન અમેરિકી ડોલરમાં વેચવાની મંજૂરી આપી છે. એટલે કે અમેરિકા ભારતને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી નિગરાણી માટે ઉપકરણ વેચશે. અમેરિકાના જણાવ્યા અનુસાર ભારતે સી-વિઝન સોફ્ટવેર, રિમોટ સોફ્ટવેર, અને એનાલિટિક સપોર્ટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ભારત સી વિઝન ડોક્યુમેન્ટેશન અને લોજિસ્ટિક્સ સંબંધિત વસ્તુઓ ખરીદવા માંગતુ હતું. સી વિઝન સોફ્ટવેર એક એવી સિસ્ટમ છે જે સમુદ્રમાં જહાજો અને અન્ય ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ કરે છે.
ભારતને મળનારા નવા મિલેટ્રી હાર્ડવેર તેની સમુદ્ર વિસ્તારમાં નિગરાણી કરવાની ક્ષમતાને વધારશે. તેનાથી ભારતને જોખમની જાણકારી મેળવવામાં અને તેને પહોંચી વળવામાં મદદ મળશે. આ સાથે જ ભારતની રણનીતિક સ્થિતિ પણ મજબૂત થશે. અમેરિકાનું કહેવું છે કે ભારત આ ઉપકરણો અને સેવાઓને પોતાની સેનામાં સરળતાથી સામેલ કરી લેશે.
તુર્કીએ પાકિસ્તાનને હથિયારો સપ્લાય કર્યાની વાત ફગાવી
થોડા દિવસ પહેલા એવા અહેવાલ હતા કે તુર્કી પાકિસ્તાનને હથિયારો અને દારૂગોળો આપી રહ્યું છે. રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે તુર્કીનું એક C-130E હરક્યુલિસ વિમાન કરાચીમાં ઉતર્યું હતું જેમાં સૈન્ય ઉપકરણો હતા. કેટલાક રિપોર્ટ્સમાં એમ પણ કહેવાયું કે લગભગ 6 C-130E વિમાન પાકિસ્તાનમાં ઉતર્યા હતા.
જો કે તુર્કીએ આ રિપોર્ટ્સ ફગાવ્યા. તુર્કીના રાષ્ટ્રપતિ કાર્યાલયના સંચાર નિદેશાલયે કહ્યું કે તુર્કીનું એક માલવાહક વિમાન ફક્ત ઈંધણ ભરવા માટે પાકિસ્તાનમાં ઉતર્યું હતું. તુર્કીના અધિકારીઓએ સોશિયલ મીડિયા પર કહ્યું કે તુર્કી દ્વારા પાકિસ્તાનને હથિયારો ભરેલા છ વિમાનો મોકલવા અંગે કેટલાક મીડિયા આઉટલેટ્સમાં પ્રસારિત દાવા સાચા નથી. તેનો અર્થ એ થયો કે તુર્કીએ પાકિસ્તાનને કોઈ હથિયારો મોકલ્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે