નવી દિલ્હીઃ યુઝવેન્દ્ર ચહલ છેલ્લે વર્ષ 2023મા બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ થયો હતો. ત્યારે તે સી કેટેગરીમાં સામેલ હતો. પરંતુ ત્યારબાદ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વરૂણ ચક્રવર્તીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી બધાને પ્રભાવિત કર્યાં છે. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે ચહલનું કરિયર ખતમ થઈ શકે છે?
ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં જ્યોતિષ Greenstone Lobo ના હવાલાથી ચહલના કરિયરમાં અચાનક નીચે આવેલા ગ્રાફ પર રિપોર્ટ આવ્યો છે. તેમાં તેની સામે આવતી મુશ્કેલી પાછળ બ્રહ્માંડીય કારણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. Greenstone Lobo એ જણાવ્યુ કે યુઝવેન્દ્ર ચહલનો જન્મ 23 જુલાઈ 1990ના થયો હતો, ત્યારે પ્લૂટો ગ્રહ શૂન્ય ડિગ્રી પર પોતાના ઘરમાં પ્રવેશ કરી ચૂક્યો હતો, જે એક અત્યંત શક્તિશાળી સ્થિતિ છે.
તેના કરિયરનો ગ્રાફ કેમ નીચે ગયો? આ સવાલના જવાબમાં Greenstone Lobo એ જણાવ્યું કે તેની પાછળ મુખ્ય કારણ છે કે ચહલની કુંડળીમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ પ્લૂટો અચાનક ગ્રે લિઝર્ડ અવતારમાં પ્રવેશ કરી ગયો છે. આ ફેરફાર/પરિવર્તન દર્શાવે છે, જે હંમેશા કઠિન હોય છે. આ કારણ છે કે આ તબક્કો તેના માટે નકારાત્મક છે. જેથી તેને કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી.
આ ખેલાડીને 2-3 વર્,માં મળી શકે છે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ
રિપોર્ટમાં જ્યોતિષે આગળ કહ્યુ- IPL 2025 ને જુઓ તો એક નામ ઉભરી રહ્યું છે. વિપ્રજ નિગમની કુંડળી સારી છે અને તે ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકે છે. અન્ય એક ઉદાહરણ સુયશ શર્મા છે, જેની જ્યોતિષીય કુંડળી પણ મજબૂત છે અને તે મોટી સફળતા હાસિલ કરી શકે છે. વિપ્રજ નિગમ, ખાસ કરી માત્ર સ્પિનર નથી, પરંતુ એક ઓલરાઉન્ડર છે. તેને એક કે બે વર્ષમાં બીસીસીઆઈનો કોન્ટ્રાક્ટ મળી શકે છે અને તે લાંબા સમય સુધી રમી શકે છે. ચહલ 35 વર્ષનો છે અને આગામી વિશ્વકપમાં ન રમી શકે, તે પણ તેના બહાર હોવાનું એક કારણ બની શકે છે. તેના કરિયરના આ તબક્કા માટે જ્યોતિષીય અને વ્યાવહારિક રૂપથી પર્યાપ્ત કારણ છે.
શું આ ચહલનો અંત છે?
આ સવાલના જવાબમાં Greenstone Lobo બિલકુલ નહીં. ચહલની ખાસિયત છે કે તે પોતાના કામ પ્રત્યે સમર્પિત છે. તે એક બોલરના રૂપમાં પોતાની ભૂમિકા પર યથાવત છે. પરિણામ સારૂ આવી રહ્યું છે. તે આમ કરવાનું જાળવી રાખશે અને આઈપીએલ તથા અન્ય મુખ્ય ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરવાની સંભાવના છે.
શાનદાર કોમેન્ટ્રેટર બનવાની ક્ષમતા
જ્યોતિષે કહ્યુ- માત્ર એટલું જ નહીં ચહલ પોતાના કરિયર બાદ નવી ભૂમિકામાં સારૂ કરી શકે છે. તે આંતરરાષ્ટ્રીય લીગમાં ભાગ લઈ શકે છે. પોતાના ઉચ્ચ બૃહસ્પતિની સાથે, એક શાનદાર કોમેન્ટ્રેટર બનવાની ક્ષમતા રાખે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે