Science News in Gujarati: આજથી આશરે 300 વર્ષ પહેલા મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટનનું નિધન થયું હતું. ન્યૂટને વિજ્ઞાનને ગતિ અને ગુરૂત્વાકર્ષણના નિયમ આપ્યા છે. તો તેમણે દુનિયા ખતમ થવાની પણ ભવિષ્યવાણી કરી હતી. તેમણે અનુમાન વ્યક્ત કર્યું હતું કે વર્ષ 2060 સુધી દુનિયા ખતમ થઈ જશે. એટલે કે હવે આ દિવસો દૂર નથી.
કઈ રીતે કરી ભવિષ્યવાણી?
ન્યૂટન તરફથી કરવામાં આવેલી આ ભયાનક ભવિષ્યવાણીને લઈને કોઈ વિગતવાર ડોક્યુમેન્ટ ઉપલબ્ધ નથી. પરંતુ તેમણે પોતાની ગણિતીય ગણનાઓના આધાર પર આ ભવિષ્યવાણી કરી હતી. આ પછી તેમણે લાંબો કાગળ લખ્યો હતો. ન્યૂટનને પૃથ્વીના અંતિમ વિનાશને શોધવામાં ખૂબ જ રસ હતો. તેમણે ધર્મ અને વિજ્ઞાનને જોડીને પોતાની ભવિષ્યવાણીઓ કરી હતી. બાઈબલમાં લખેલી કેટલીક બાબતોના આધારે તેમણે કહ્યું કે 800 એડીમાં રોમન સામ્રાજ્યની સ્થાપના પછી પૃથ્વીની ગણતરી શરૂ થઈ હતી. જો આપણે બાઈબલ અને વિજ્ઞાનને જોડીએ તો આ દુનિયા વર્ષ 2060માં ખતમ થઈ જશે.
આ પણ વાંચોઃ ફટાફટ જોઈએ કેનેડાના PR? સરકાર લાવી નવો પ્રોગ્રામ, આ લોકોને મળશે ફાયદો
વૈજ્ઞાનિકો શું કહે છે?
વર્તમાન વૈજ્ઞાનિકો ન્યૂટનની આ આગાહીના મૂલ્યાંકનને ગંભીરતાથી લેતા નથી. તેમનું માનવું છે કે જે ગાણિતિક આધાર પર ન્યૂટને આ ગણતરી કરી છે તે ખૂબ જ સરળ ગણિત છે. આને યોગ્ય ગણી શકાય નહીં. કેટલાક લોકો માને છે કે ન્યૂટને કહ્યું હતું કે વર્ષ 2060 પહેલા દુનિયા ખતમ નહીં થાય. આ પછી જ તે ક્યારેય સમાપ્ત થશે. ઘણા વૈજ્ઞાનિકો માને છે કે ન્યૂટનની ભવિષ્યવાણીને ગંભીરતાથી લઈ શકાય નહીં કારણ કે તેણે આ ભવિષ્યવાણી બાઈબલ અને ધાર્મિક ગ્રંથોના આધારે કરી હતી.
કઈ રીતે ખતમ થશે ધરતી?
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ધરમીનો નાશ ઘણા કારણે થઈ શકે છે. જેમ કે 5-7 અબજો વર્ષ બાદ જ્યારે સૂર્યનો હાઇડ્રોજન ખતમ થઈ જશે તો તે પોતાનો આકાર વધારી બુધ, શુક્ર અને લગભગ ધરતીને ગળી જશે. આ સિવાય એસ્ટેરોયડમાં ટકરાવ, ગામા રેના વિસ્ફોટ, જળવાયુ પરિવર્તન, પરમાણુ યુદ્ધ, બ્લેક હોલના પ્રભાવને કારણે ધરતી સમાપ્ત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે